SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) કેવલીને પણ શરીરની પ્રવૃત્તિ સ્વવશ કે સ્થિરયોગવાળી હોય તેમ જરૂરી નથી. અર્થાત્ જે આકાશ પ્રદેશ ઉપર હાથ રાખ્યો છે, કે શરીરથી બેઠા છે કે ઉભા છે તે ત્યાંથી હટાવીને ફરીથી તે જ સર્વે ય આકાશ પ્રદેશ ઉપર હાથ મૂકવો કે શરીરથી બેસવું કે ઊભા રહેવું એ સંભવ નથી હોતું. (૧૮) ઉત્કારિકા ભેદ લબ્ધિથી સમ્પન્ન ૧૪ પૂર્વધારી એક ઘટ થી હજાર ઘટ બનાવી શકે છે. એવી જ રીતે એક-એક વસ્ત્રથી, ચટ્ટાઈ થી, રથથી, છત્રથી, દંડથી હજાર-હજાર વસ્ત્ર વગેરે કાઢી શકે છે. ઉદ્દેશક : ૫ (૧) જીવોનાં જે કર્મોનો સ્થિતિઘાત, રસઘાત વગેરે થઈ જાય છે તે અનેવંભૂત કર્મ વેદાય છે અને જે કર્મોનો સ્થિતિઘાત વગેરે નથી હોતો તે એવંભૂત(બાંધેલા જેવા જ) વેદાય છે. (૨) કુલકર, ચક્રવતી વગેરેનું વર્ણન સમવાયાંગ સૂત્રમાં છે જુઓ, સારાંશ ખંડ–૩. ઉદ્દેશક ઃ ૬ (૧) સાધુઓ માટે આરંભ-સમારંભ કરીને અને જૂઠ-કપટ કરીને અકલ્પનીય આહાર-પાણી આપવાથી અલ્પ આયુષ્ય પ્રાપ્ત થાય છે. (૨) હિંસા કર્યા વગર, ખોટું બોલ્યા વગર, શુદ્ધ નિર્દોષ આહાર-પાણી શ્રમણ નિગ્રન્થને આપવાથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. તેમજ તેઓની વંદના ભક્તિ પર્યુપાસના કરી મનોજ્ઞ પ્રીતિકારક આહાર-પાણી આપવાથી શુભ દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે. (૩) આનાથી વિપરીત હિંસા, જૂઠનું સેવન કરીને શ્રમણોની અવહેલના, નિંદા, અપમાન વગેરે કરે તેમજ અમનોજ્ઞ, અપ્રીતિકારક આહાર-પાણી આપે તો અશુભ દીર્ઘાયુ ની પ્રાપ્તિ થાય છે. (૪) ખોવાઈ ગયેલી વસ્તુની શોધ કરનાર વ્યક્તિ(ગૃહસ્થ)ને આરંભિકી વગેરે ચાર ક્રિયાઓ લાગે છે. શેષ મિથ્યાત્વ ક્રિયા વિકલ્પથી(ભજનાથી) લાગે છે. ખોવાયેલી વસ્તુ મળી જવાથી બધી ક્રિયાઓ સૂક્ષ્મરૂપે લાગે છે. વેચાણ કરેલી વસ્તુ વેપારી પાસે જ પડી રહે તો તેને ચાર ક્રિયાઓ લાગે છે. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા વિકલ્પથી લાગે છે. ક્રેતા એટલે ખરીદનારને સૂક્ષ્મરૂપે ક્રિયાઓ લાગે છે. વેચાણ કરેલી વસ્તુ ખરીદનાર લઈ જાય તો તેને ચાર ક્રિયા લાગે છે. મિથ્યાત્વની ક્રિયામાં વિકલ્પ છે. વેચનારને સૂક્ષ્મરૂપથી ક્રિયાઓ લાગેછે. જોકિંમત ન આપી હોય તો એ ધન થી ખરીદનારને ચાર ક્રિયાઓ લાગે છે. મિથ્યાત્વની ભગવતી સૂત્રઃ શતક-૫ Jain Education International For Private & Personal Use Only પ www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy