SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ઇચ્છતા હતા. ત્યાં સ્વયં ભગવાને જ સ્પષ્ટીકરણ કર્યું કે હે ગૌતમ! તમને જે જિજ્ઞાસા થઈ છે. તેનું સમાધાન આ દેવ પોતે જ કરશે. ગૌતમ સ્વામી ફરીથી ભગવાનને વંદન નમસ્કાર કરીને દેવોની નિકટ જવા માટે તત્પર થયા. ત્યારે પોતાની તરફ આવતા ગૌતમ સ્વામીને જોઈને દેવો સ્વયં પ્રસન્ન વદને ગૌતમ સ્વામીની નજીક ગયા અને વંદન-નમસ્કાર કરીને કહ્યું– “અમે આઠમાં સહસ્ત્રાર નામના દેવલોકના દેવ છીએ. અમે મનથી જ વંદન-નમસ્કાર કરીને પ્રશ્ન પૂછયો અને તેનું સમાધાન પણ મનથી જ પામ્યા અને પર્યાપાસના કરી રહ્યા છીએ. અમારો પ્રશ્ન હતો કે ભગવાનના શાસનમાં ભગવાનના જીવનકાળમાં કેટલા શ્રમણ મોક્ષે જશે? ઉત્તર મલ્યો કે ૭૦૦ (સાતસો) શ્રમણ આ ભવમાં મોક્ષે જશે.” (૮) બધા દેવો અસંયત જ હોય છે. સંયત કે સંયતાસંમત હોતા નથી. પરંતુ વચન વિવેકની દષ્ટિથી તેઓને વ્યક્તિગત અસંયત નહીં કહેતાં નોસંયત કહેવાય છે. અસંયત કહેવુંનિષ્ફરવચન છે. (૯) દેવોની ભાષાઅર્ધમાગધી છે. આ ભાષામાં જ તેઓ સ્વાભાવિક રીતે વાર્તાલાપ વગેરે કરે છે. અર્ધમાગધી શબ્દએ રૂઢ નામ છે એનો અર્ધા મગધ દેશની ભાષા, એમ અર્થ ન કરાય. (૧૦) આ જીવ ચરમ શરીરી છે, આ ભવમાં મોક્ષે જશે,એવું તો કેવલી જ જાણી શકે છે, છદ્મસ્થ સ્વતઃ જાણી શકતા નથી. આગમ આદિ પ્રમાણોથી અથવા અનંતર પરંપર સર્વજ્ઞો પાસેથી સાંભળીને જાણી શકે છે. (૧૧) પ્રમાણ ચાર છે. ૧. પ્રત્યક્ષ ર. અનુમાન ૩. ઉપમા ૪. આગમ. આના વિશેષ વર્ણન માટે જુઓ– અનુયોગ દ્વારા સૂત્ર સારાંશ ખંડ–૭. (૧૨) ચરમ નિર્જરા પુદ્ગલોને અર્થાત્ કેવલીના મુક્ત થવાના સમયના નિર્જરિત કર્મ પુદ્ગલોને કેવલી જાણે છે, જુએ છે. છસ્થ જાણતા નથી. (૧૩) કેવલીના જે સ્પષ્ટ પ્રગટ મન વચન પ્રયોગ હોય છે, તેને સમ્યગ્દષ્ટિ દેવ ઉપયોગવંત થઈને જાણી શકે છે. (૧૪) અનુત્તર વિમાનના દેવ પોતાના સ્થાન પરથી જ કેવલજ્ઞાની ભગવાન સાથે આલાપ-સલાપ કરી શકે છે, પ્રશ્ન પૂછીને ઉત્તર મેળવી શકે છે. તેઓને મનોદ્રવ્ય વર્ગણા લબ્ધિ હોય છે, જેનાંથી તેઓ કેવલજ્ઞાની ભગવાન દ્વારા મનથી અપાયેલા ઉત્તરને ત્યાંજ રહીને જાણી શકે છે. (૧૫) અનુત્તર દેવોનાં મોહકર્મ બહુ જ ઉપશાંત હોય છે. તેથી તેઓ “ઉપશાંત મોહા' કહેવાય છે. (૧૬) ગાયાર્દિ = સીમાથી કે ઇન્દ્રિયથી. કેવલી ભગવાનનું જ્ઞાન ઇન્દ્રિયજન્યપણ હોતું નથી અને સીમિત પણ હોતું નથી, પરંતુ નિરાવરણ, ઇન્દ્રિયાતીત, સીમાતીત હોય છે. તેથી તેઓ સીમિત અને સીમાતીત સર્વને કેવલજ્ઞાનથી જાણે છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીતા વજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy