SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ હાડકાં વગેરે અગ્નિ પરિણત હોય તે અગ્નિ શરીર કહેવામાં આવે છે. રાખ કોલસા વગેરે પણ આવી જ રીતે સમજવા. ઉદ્દેશક ઃ ૩-૪ (૧) એક જીવનાં હજારો આયુષ્ય એક સાથે બાંધેલા હોતા નથી. પરભવનો આયુ જીવ આ ભવમાં બાંધે છે. તે આયુબંધ યોગ્ય આચરણ પણ આજ ભવમાં કરે છે. એક સાથે એક સમયમાં બે આયુષ્ય ભોગવી શકાતા નથી. (૨) છદ્મસ્થ મનુષ્ય સીમામાં રહેલ સ્પષ્ટ શબ્દોને સાંભળે; અસ્પષ્ટ શબ્દોને સાંભળતા નથી. સર્વજ્ઞાની સર્વદર્શી હોવાથી કેવલી સીમાવર્તી અને સીમા બહાર રહેતા બધા શબ્દોને જાણે જુએ છે. (૩) છદ્મસ્થ મનુષ્ય મોહ કર્મના ઉદયથી હસે છે, ઉત્સુક થાય છે. પરંતુ કેવલી ભગવાનને મોહ નહીં હોવાથી હસતા નથી. હસવાવાળા જીવો સાત યા આઠ કર્મોનો બંધ કરે છે. બહુવચનની અપેક્ષા જીવ તેમજ એકેન્દ્રિયમાં એક ભંગ થાય છે અને બાકીમાં ત્રણ ભંગ થાય છે. (૪) આવી રીતે છદ્મસ્થ નિદ્રા વગેરે કરે છે. કેવલી ભગવાનને દર્શન મોહનીય કર્મ ન હોવાથી નિદ્રા કરતા નથી. નિદ્રામાં પણ ૭ યા ૮ કર્મ નો બંધ ચાલે છે. (૫) શક્રેન્દ્રના દૂત સ્થાનીય હરિણગમેષીદેવ સ્ત્રીની યોનિથી ગર્ભનું સંહરણ કરી શકેછેઅને અન્ય સ્ત્રીનાં ગર્ભમાં રાખી શકેછે. આ ગર્ભને કાઢવાનું કાર્યયોનીમાર્ગથી કરે છે. છતાં પણ નખ અથવા રોમકૂપોથી તે ગર્ભને એવી કુશળતાથી બહાર કાઢી શકે છે કે તે ગર્ભનાં જીવને કષ્ટ વેદન કરવું પડતું નથી. (૬) અતિમુકતક કુમાર શ્રમણે વરસાદના પાણીમાં પાત્રને તરાવી હતી અને મારી નાવ તરે, મારી નાવ તરે નો અનુભવ બાલસ્વભાવથી કર્યો હતો. નવદીક્ષિતની આવી પરિસ્થિતિ ન થાય એ જવાબદારી પૂર્વ દીક્ષિત તેમજ સ્થવિર શ્રમણોની હોય છે. ભગવાન આ ઘટના પર સ્થવિર શ્રમણોને સૂચન કરે છે કે કુમાર શ્રમણને સાવધાનીપૂર્વક, રુચિપૂર્વક શિક્ષિત કરો અને તેની સાર સંભાળ ગ્લાનિ રહિત ભાવો સાથે કરો પરંતુ અવહેલના નિંદા ન કરો. આ કુમાર શ્રમણ આ ભવમાં જ મોક્ષગામી છે. [ વિશેષ વર્ણન માટે જુઓ—અંતગડ સૂત્ર. સારાંશ ખંડ–૧] (૭) એકવાર બે દેવો ભગવાનની સેવામાં આવ્યા. મનથી વંદન નમસ્કાર કર્યા. મનથી જ પ્રશ્ન પૂછયા અને ભગવાને પણ મનથી જ ઉત્તર આપ્યા. દેવો સંતુષ્ટ થયા; વંદન-નમસ્કાર કરી યથાસ્થાને બેસીને પર્યુપાસના કરવા લાગ્યા. ગૌતમ સ્વામીને જિજ્ઞાસા થઈ કે આ દેવો કયા દેવલોકમાંથી આવ્યા ? ગૌતમ સ્વામી ઊભા થઈને ભગવાનની પાસે જઈને વંદન કરીને પૂછવા માટે ભગવતી સૂત્રઃ શતક-૫ Jain Education International For Private & Personal Use Only 93 www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy