SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે વર્ષનો પ્રારંભ થાય છે, ત્યારે તેના અનંતર સમયમાં ઉત્તર-દક્ષિણવિભાગના પ્રાથમિક કિનારે વર્ષનો પ્રારંભ થાય છે એવું સમજવું જોઈએ. વર્ષના પ્રારંભ આદિ સંબંધી વર્ણનની સમાન વર્ષાવાસ, ગ્રીષ્મકાલ, હેમંતકાલના પ્રથમ સમય સમજી લેવો જોઈએ. એવી જ રીતે પ્રથમ સમયની સમાન જ આવલિકા, દિવસ, પક્ષ, માસ, ઋતુ, આદિ સાગરોપમ સુધી સમજવું. (૪) પૂર્વ-પશ્ચિમ વિભાગમાં ઉત્સર્પિણી હોતી નથી. (૫) ઉપરોક્ત જંબુદ્રીપની સમાન જ લવણ સમુદ્રના ચાર વિભાગોનું વર્ણન સમજી લેવું જોઈએ. અહીં પણ પૂર્વ-પશ્ચિમ વિભાગમાં ઉત્સર્પિણી અવર્સર્પિણી હોતા નથી. વિશેષતા એ છે કે અહીં મેરુ પર્વત ન કહેતાં દિશાઓનાં વિભાગનું વર્ણન કરવામાં આવે છે. ન (૬) ધાતકી ખંડ દ્વીપનું કથન જંબૂદ્દીપના સમાન અને કાલોદધિ સમુદ્રનું કથન લવણ સમુદ્રના સમાન છે. ધાતકી ખંડના સમાન આવ્યંતર પુષ્કર દ્વીપનું કથન છે. ઉદ્દેશક ઃ ર (૧) પુરોવાત = પરવાયુ, સ્નિગ્ધતા યુક્ત વાયુ. પથ્ય વાયુ = વનસ્પતિ વગેરે માટે પથ્યકારી વાયુ. મન્દ વાયુ - ધીરે ધીરે વાતો વાયુ. મહા વાયુ = પ્રચંડ તોફાની વાયુ. આવી ચારે ય પ્રકારની હવા બધી દિશામાં, વિદિશામાં દ્વીપમાં સમુદ્રમાં ચાલી શકે છે પરંતુ એક સાથે એક સમયમાં બે વિરોધી દિશાઓમાં ચાલી શકતી નથી. આ સર્વે વાયુકાય સ્વાભાવિક પણ હોઈ શકે છે. વાયુકાયના ઉત્તર વૈક્રિયથી પણ હોઈ શકે છે અને દેવકૃત(વાયુકુમાર આદિ કૃત) પણ હોય છે લવણસમુદ્રમાં ચાલતી હવા વેલાથી બાધિત થઈ જાય છે. અને તેનાથી આગળ નહીં વધતાં ત્યાં જ અટકી જાય છે. ભલે પછી તે મંદ વાયુ હોય કે પ્રચંડ વાયુ હોય. લવણ સમુદ્રની વચ્ચે જે ૧૬ હજાર યોજન ઊંચા પાણી ઉઠેલા છે, તેને વેલા કહેવામાં આવે છે. (૨) કોઈપણ સચિત્ત, સજીવ વસ્તુ સ્વતઃ અચિત થઈ જાય તો તે પૂર્વ કાય જીવનું શરીર કહેવામાં આવે છે. અગ્નિથી પરિતાપિત-પરિણત થઈને અચિત-નિર્જીવ બનવાવાળા પદાર્થ અગ્નિકાયના ત્યક્ત શરીર કહેવામાં આવે છે. પૂર્વભાવની વિવક્ષામાં(અપેક્ષામાં) મૂળ જીવની કાયા(યોનિ) કહી શકાય છે. યથા— કોઈ પણ "લીલા પાંદડા" વનસ્પતિકાય છે તે સ્વાભાવિક સુકાઈ જાય અથવા તેને પીસીને ચટણી બનાવી દેવાય તો તે વનસ્પતિકાયનું ત્યક્ત શરીર છે. પરંતુ અગ્નિ ઉપર ઉકાળીને અચિત બનાવી દેવાય તો તે અગ્નિકાયનું ત્યક્ત શરીર છે. પૂર્વ ભાવની અપેક્ષાથી વનસ્પતિ શરીર કહેવાય છે. એવી જ રીતે મીઠું(નમક) વગેરે પદાર્થ સમજીલેવા.ખાણમાંથી નીકળતા પદાર્થોલોખંડ વગેરે તેમજ ત્રસજીવોના અવયવો કર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy