________________
પંદર પરમાધામી દેવ તેના પુત્ર સ્થાનીય માનવામાં આવ્યા છે અને યમ લોકપાલની સ્થિતિ સોમ લોકપાલની સમાન છે. વરુણ લોકપાલઃ- પોતાના વિમાનવાસી દેવ, નાગકુમાર ઉદધિકુમાર, સનિતકુમાર જાતિના દેવ-દેવી, વરુણ લોકપાલને આધીન હોય છે. મેથી દક્ષિણમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સુવૃષ્ટિ, કુવૃષ્ટિ, ઝરણા, તળાવ આદિ અને તેનાથી થનાર જનક્ષય, ધનક્ષય આદિ વરુણ લોકપાલની જાણકારીમાં હોય છે.
કર્કોટક, કર્દમક, અંજન, શંખ, પાલક, પુન્ડ, પલાશ, મોદ, જય, દધિમુખઅચંપલ, કાતરિકઆતેના પુત્ર સ્થાનીયદેવમાનવામાં આવ્યા છે. વરુણ લોકપાલની સ્થિતિ દેશોન(કંઈક ઓછી) બે પલ્યોપમની છે, તેના પુત્ર સ્થાનીય દેવોની એક પલ્યોપમની સ્થિતિ છે. વૈશ્રમણ લોકપાલઃ–પોતાનાં વિમાનવાસીદેવ, સુવર્ણકુમાર, દ્વીપકુમાર, દિશાકુમાર, જાતિના દેવ-દેવી, વાણવ્યંતર દેવ-દેવી આદિ આ વૈશ્રમણ લોકપાલને આધીન હોય છે.
મેરુથી દક્ષિણમાં સોનું ચાંદી આદિ અનેક પ્રકારની ખાણો, દાટેલા-રાખેલા ધન,માલિક રહિતધન, ધનવૃષ્ટિ સોમૈયાઆદિનીવૃષ્ટિપુષ્પાદિનીવૃષ્ટિ. ગંધમાલા ચૂર્ણ આદિ સુગંધી પદાર્થની વૃષ્ટિ, વસ્ત્ર, ભોજન(પાત્ર) અને ક્ષીર સુકાળ-દુષ્કાળ, સુભિક્ષ-ર્ભિક્ષ, સસ્તાઈ(મોંધવારી) અને સ્મશાન, પર્વત, ગુફા, ભવન આદિમાં રાખેલ ધન, મણિ રત્ન ઈત્યાદિ આ વૈશ્રમણ લોકપાલની જાણકારીમાં હોય છે.
પૂર્ણભદ્ર, મણિભદ્ર, શાલીભદ્ર, સુમનભદ્ર, ચક્ર, રક્ષ, પૂર્ણરક્ષ, સદ્વાન, સર્વજશ, સર્વકામ, સમૃદ્ધિ, અમોધ અસંગ, આ તેમનાં પુત્ર સ્થાનીયદેવ માનવામાં આવ્યા છે. વૈશ્રમણ લોકપાલની સ્થિતિ બે પલ્યોપમની હોય છે. તેના પુત્ર સ્થાનીય દેવોની સ્થિતિ એક પલ્યોપમની હોય છે.
ઉદ્દેશક : ૮
-
--
અધિપતિ દેવ -
અસુરકુમાર આદિ ૧૦ ભવનપતિમાં અને વૈમાનિકનાં ૧૦ સ્થાનોમાં પાંચ-પાંચ અધિપતિ દેવ છે. અર્થાત્ ભવનપતિમાં દક્ષિણ અને ઉત્તરના બે-ઈન્દ્ર અને તેના ચાર-ચાર લોકપાલ એમ ૧૦-૧૦ અધિપતિ દેવ છે. વૈમાનિકમાં દસ ઈન્દ્રોનાંદસસ્થાન છે. તેમાં એકઈન્દ્રઅને ચારલોકપાલ એમ પાંચ-પાંચ અધિપતિ દેવ છે. લોકપાલોના નામ વૈમાનિકમાં એક સરખા છે– સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ, અસુરકુમાર આદિ દસેના લોકપાલોનાં નામ અલગ અલગ છે. પરંતુ ઉત્તર દક્ષિણમાં નામ સરખા છે– ભગવતી સૂત્રઃ શતક-૩
પ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org