________________
નથી. જ્યારે સમ્યગ્દષ્ટિ ઉપર કહેલ બધી સ્થિતિઓને યથાર્થરૂપમાં જાણે, દેખે અને સમજે છે. તેને એવો ખોટો ભ્રમ થતો નથી.
ઉદ્દેશક : ૭ લોકપાલ :
શક્રેન્દ્રના ચાર લોકપાલ છે. – ૧. સોમ, ૨. યમ, ૩. વરુણ, ૪. વૈશ્રમણ, ચારેયના ચાર વિમાન છે.- ૧. સંધ્યાપ્રભ, ૨. વરશિષ્ટ, ૩. સ્વયંજવલ, ૪. વલ્ય, આ ચારે વિમાન શક્રેન્દ્રના સૌધર્માવલંસકવિમાનથી અસંખ્ય યોજન દૂર ક્રમશઃ ૧. પૂર્વ, ૨. દક્ષિણ, ૩. પશ્ચિમ, ૪. ઉત્તરમાં છે. સાડા બાર લાખ યોજનવિસ્તારવાળા આ વિમાન છે. વિમાનનું વર્ણન સૌધર્માવલંસક વિમાનની જેમ છે. તેની રાજધાની તેના વિમાનની સીધમાં(સમાંતરે) નીચે તિછલોકમાં છે. જે જંબુદ્વીપ પ્રમાણ છે. કોટ વગેરે શક્રેન્દ્રની રાજધાનીથી અર્ધા છે. ઉપકારિકાલયન (રાજભવન) સોળ હજાર યોજન વિસ્તારમાં છે. તેમાં ચાર પ્રાસાદોની હારમાળા છે. શેષ વર્ણન નથી અર્થાત્ ઉપપાત સભા આદિત્યાંનથી.વૈમાનિકદેવપોતાના દેવલોકમાંજ ઉત્પન્ન થાય છે. સોમ લોકપાલ:- પોતાના વિમાન વાસી દેવ અને વિધુતકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર જાતિના ભવનપતિ દેવ દેવી, ચન્દ્ર સૂર્ય આદિ સર્વ જ્યોતિષી દેવ-દેવી સોમ લોકપાલને આધીન હોય છે.
મેરુ પર્વતથી દક્ષિણ વિભાગમાં ગ્રહોની અનેક પ્રકારની સ્થિતિઓ અભ્ર વિકાર, ગર્જના, વિજળી, ઉલ્કાપાત, ગંધર્વનગર, સંધ્યા, દિગ્દાહ, યક્ષોદીપ્ત, ધૂઅર(ધુમ્મસ), મહિકા, રજ ઉઘાત, ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણ, જલકુંડાદિ, પ્રતિચન્દ્ર-સૂર્ય, ઇન્દ્રધનુષ, તમામ પ્રકારની હવા, ગ્રામદાહ, આદિ પ્રાણક્ષય, ધનક્ષય, કુલક્ષય આદિ સોમ લોકપાલની જાણકારીમાં હોય છે.
અંગારક(મંગલ), વિકોલિક, લોહિતાક્ષ, શનિશ્ચર,ચન્દ્ર, સૂર્ય, શુક્ર, બુધ, બૃહસ્પતિ, રાહુ આવસોમલોકપાલના પુત્ર સ્થાનીય માનવામાં આવ્યા છે. સોમ લોકપાલની સ્થિતિ ૧૩-પલ્યોપમની છે. અને પુત્ર સ્થાનીય દેવોની એકપલ્યોપમની સ્થિતિ છે. યમ લોકપાલ – પોતાના વિમાન વાસી દેવ, પ્રેતકાયિક વ્યંતરદેવ, અસુરકુમાર જાતિના ભવનપતિના દેવ-દેવી, પરમાધામી દેવ, કન્દર્ષિક, આભિયોગિક દેવ, યમ લોકપાલની આધીનતામાં હોય છે.
મેરુથી દક્ષિણવિભાગમાં નાના-મોટા થવાવાળા કંકાસ, યુદ્ધ, સંગ્રામવિવિધ રોગ, યક્ષ ભૂત આદિના ઉપદ્રવ, મહામારી આદિ અને તેનાથી થનારા કુલક્ષય, ગ્રામક્ષય, ધનક્ષય આદિયમ લોકપાલની જાણકારીથી થાય છે. પ૮ |મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org