________________
કિરીને(નીચે માથું ઉપર પગ કરીને) તીવ્ર ગતિથી દોડી અને ભગવાનના બે પગની વચ્ચે ભરાઈ ગયો. શક્રેન્દ્ર ઉપયોગ લગાવીને જાણ્યું કે- તે ચમરેન્દ્ર ભગવાન મહાવીરનું શરણ લઈને આવ્યો છે. આ જાણી શક્રેન્દ્રને બહુ અફસોસ થયો કે “અરે અકૃત્ય થઈ ગયું અને તરત પોતાના શસ્ત્રને પકડવા માટે તેની પાછળ ચાલી નીકળ્યા. ભગવાનના માથાથી ચાર અંગુલી દૂર રહેતાં જ તે શસ્ત્રને શક્રેન્ડે પકડી લીધું અને ભગવાનને હકીકત કહીને ક્ષમા માંગી.
ત્યારબાદ દૂર જઈને ભૂમિઆસ્ફાલન કરી ચમરેન્દ્રને સંબોધન કરીને કહ્યુંહે ચમર! આજે હું તને છોડું છું. જા, આજથી તું મુક્ત છે. શ્રમણ મહાવીરના પ્રતાપથી છોડું છું; મારાથી તું નિર્ભય છે, એમ કહીને શક્રેન્દ્ર પોતાનાં સ્થાને ચાલ્યા ગયા.
ચમરેન્દ્ર પણ ત્યાંથી નિકળી ભગવાનને વંદન કરી પોતાના સ્થાને ગયો. પોતાના દેવોને સંપૂર્ણ હકીકત કહી સંભળાવી અને ફરી મહાન ઋદ્ધિની સાથે ભગવાનનાદર્શન કરવા માટે આવ્યો. વંદના નમસ્કાર કરી કૃતજ્ઞતા પ્રગટ કરી ક્ષમા માંગી અને વારંવાર કીર્તન કરતાં નાટક બતાવીને ચાલ્યો ગયો. ચમરેન્દ્ર ત્યાં એક સાગરોપમની સ્થિતિ પૂર્ણ થતાં મહાવિદેહ ક્ષેત્રથી મુક્તિ પ્રાપ્ત કરશે. વિશેષ જ્ઞાતવ્ય :- ઇન્દ્રાદિ મહદ્ધિક દેવોનો જન્માભિષેક વિધિ સહિત કરવામાં ઉજવવામાં આવે છે, જે સૂર્યાભ દેવના વર્ણનમાં રાજપ્રશ્રીય સૂત્રમાં કહેવામાં આવેલ છે. પરંતુ અમરેન્દ્રઅસુરરાજનો જન્માભિષેક યથાસમયે થઈન શકયો.દેવ દૂષ્ય વસ્ત્ર ઢાંકેલી શય્યામાં જન્મ લેતાં જ દેવદૂષ્ય વસ્ત્ર હટાવી, ઉઠતાં જ તે પરિધ શસ્ત્ર લઈને એકલાજ ચાલ્યા ગયા હતા. પછી ક્યારે જન્માભિષેક થયો તે વર્ણન શાસ્ત્રમાં નથી. (૯) નીચી દિશામાં ચમરેન્દ્રની ગતિ તેજ હોય છે, તેનાથી શક્રેન્દ્રની મંદ હોય છે અને તેનાથી શક્રેન્દ્રના શસ્ત્રવજની ગતિ મંદ હોય છે. આ કારણે વજચમરેન્દ્રને માર્ગમાં ન લાગતાં અને ભગવાનને વજ લાગતાં પહેલાં જ શક્રેન્દ્ર ત્યાં પહોંચી ગયા તેમજ આ કારણે જ શક્રેન્દ્ર ચમરેન્દ્રને માર્ગમાં પકડી ન શક્યો.
ચમરેન્દ્રને જેટલો નીચે આવવામાં એક સમય લાગે, તેટલો આવવામાં શકેન્દ્રને બે સમય અને વજને ત્રણ સમય લાગે. ઉપર જવાની અપેક્ષાએ શક્રેન્દ્રને એકસમય, વજને બે સમય અને ચમરેન્દ્રને ત્રણ સમય લાગે છે. પોતાની અપેક્ષાએ અમરેન્દ્ર અને શકેન્દ્રની તિછલોકમાં મધ્યમગતિ હોય છે. ઉપર, નીચે જઘન્ય ઉત્કૃષ્ટ ગતિ હોય છે. (૭) એકબીજાની શક્તિ સામર્થ્યને જોવા, જાણવા કેઅજમાવવા માટે અનંતકાલથી કયારેક ચમરેન્દ્ર ઉપર કેન્દ્રની પાસે જાય છે. છૂપી રીતે (ચોરીથી) જવાવાળા દેવ કયારેક-કયારેક જતા હશે. તેની ગણના અચ્છેરામાં થતી નથી અને અહીં પણ કહેવામાં આવ્યું નથી. ભગવતી સૂત્રઃ શતક-૩
પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org