SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડની ભિક્ષા કૂતરા આદિપશુ પક્ષીઓને, ત્રીજા ખંડની ભિક્ષા મચ્છ, કચ્છ, જલજસ્તુઓને તે તાપસ આપી દેતા હતા. વર્ષો સુધી આ પ્રકારનું તપ કરતાં તેમનું શરીર કુશ-શુષ્ક જેવું થઈ ગયું. સન્નિવેષની બહાર આગ્નેયકોણમાં (દક્ષિણપૂર્વમાં) જઈને અધુનિવર્તન(૧૦વાસ પ્રમાણ) ક્ષેત્ર સાફ કરી અને પાદપોપગમન સંથારો સ્વીકાર કર્યો. - આ પ્રકારે ૧૨ વર્ષની તાપસ પર્યાય અને એક માસના સંથારાનું પૂર્ણપાલન કરીને તે ચમરેન્દ્ર દેવેન્દ્ર થયા. ત્યાં ઉત્પન્ન થતાં જ સ્વાભાવિક અવધિજ્ઞાનનો ઉપયોગ લાગવાથી પોતાના માથા ઉપર ઊંચે પ્રથમદેવલોકમાં શક્રસિંહાસન પર શક્રેન્દ્રને દેખતાં તેને ઘણું જ ખરાબ લાગ્યું. પોતાનાં સામાનિક દેવોને બોલાવીને પૂછયું– આ કોણ છે? તેમણે મહર્તિક શક્રેન્દ્રનો પરિચય આપ્યો. પરિચય સાંભળી તેના ઇષ્પષથી ક્રોધની પ્રચંડતા વધી ગઈ અને પોતે ત્યાં જઈ, શક્રને અપમાનિત કરી, તેની શોભાને નષ્ટ કરવા માટે તૈયાર થયો. અવધિજ્ઞાનથી કોઈ મહાત્માને શરણ માટે દેખવા લાગ્યો. તેણે ભગવાન મહાવીર સ્વામીને જોયા. તે સમયે ભગવાન છદ્મસ્થ કાળમાં સંસમારપુર નગરના અશોક વનખંડ નામના બગીચામાંઅશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટપરઅઠ્ઠમતપની તપસ્યાથી એક રાત્રિની ૧રમી ભિક્ષુ પડિમા ગ્રહણ કરી ધ્યાનમાં લીન હતા. ચમરેન્દ્ર ભગવાનનું શરણ લઈને જવાનો નિશ્ચય કર્યો. પોતાના શાસ્ત્રાગારમાંથી પરિધ નામનું શસ્ત્ર લઈને એકલો જ પોતાના ઉત્પાત પર્વત પર જઈને, વિકુવણા કરીને ભગવાનની સમીપ આવ્યોવંદના,નમસ્કાર કર્યાઅને હેભગવાના આપનું શરણ હો” હું ઈન્દ્રની આશાતના કરવા તેની શોભા ભ્રષ્ટ કરવા ઇચ્છું છું. એમ કહીને ત્યાંથી દૂર જઈને વિકરાળ ભયાનક એક લાખયોજનનો રાક્ષસી રૂપની વિદુર્વણા કરી અને ઉછળતી-કૂદતો, સિંહનાદ કરતો, ગર્જના કરતો, જ્યોતિષી વિમાનોને દૂર હટાવતો. તિર્થાલોકથી બહાર નીકળ્યો. પછી ઊંચાલોકમાં અસંખ્ય યોજન ક્ષેત્ર પાર કરીને પ્રથમ દેવલોકની સુધર્મા સભાની પાસે પહોંચી ગયો. એક પગપાવરવેદિકામાં (પાળીમાં) અને એક પગ સુધર્માસભામાં રાખી પરિધરનથી ઇન્દ્રકીલને પ્રતાડિત કરતાં (મારતા) શકેન્દ્રને અપશબ્દોથી સંબોધિત કરીને કહેવા લાગ્યોકે–આજે હું તને મારીશ અને તમારી અપ્સરાઓને મારા વશમાં કરી લઈશ. શક્રેન્દ્રને અમનોજ્ઞ ન સાંભળી શકાય એવા કઠોર શબ્દો સાંભળીને ગુસ્સો આવ્યો અને તે બોલ્યો-હે અસુરરાજ ! આજે તારું શુભ નથી,ખેર નથી, સુખ નથી, આમ કહીને સિંહાસન પર બેઠા-બેઠા જ પોતાનું વજ(શસ્ત્ર) ઉઠાવી અને હજારો અગ્નિ જ્વાલાઓને છોડતો. જાકલ્યમાન, અગ્નિથી પણ અતિ અધિક તાપતેજવાળા, મહાભયાવહ, ભયંકર એવા તે વજને ચમરેન્દ્રના વધને માટે ફેક્યું. તે વજને સામે આવતું જોઈને જ ચમરેન્દ્ર ગભરાઈ ગયો અને ઊંધું માથું | પ૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત| ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy