SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ - ઉદ્દેશક : ૨ - - (૧) એકવાર ચમરેન્દ્રભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા રાજગૃહીમાં આવ્યા. ઉપદેશ સાંભળી નાટયવિધિનું પ્રદર્શન કરી ચાલ્યા ગયા. (૨) અસુરકુમાર દેવોનું સામર્થ્ય નીચે સાતમી નરક સુધી જવાનું છે. પરન્તુ ત્રીજી નરક સુધી જાય છે. પૂર્વમિત્ર અથવા પૂર્વશત્રુનરકમાં હોય તેને સુખદુઃખદેવા માટે જાય છે. આ કથન ઈન્દ્રની અપેક્ષાએ છે. તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી જવાની ક્ષમતા છે. પરંતુ નંદીશ્વરદ્વીપ પર્યન્ત જાય છે. આ ગમન ત્રણ દિશાઓની અપેક્ષાએ છે. દક્ષિણમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર તેમનો માર્ગ ક્ષેત્ર જ છે તે દિશામાં તેઓ તીર્થકર જન્મ આદિ પર જેબૂદ્વીપ સુધી જાય છે. ઉપર પ્રથમ દેવલોક સુધી ગયા હતા અને જાય છે. સામર્થ્યબારમાં દેવલોક સુધી છે. પહેલા દેવલોકની સાથે તેમનું ભવ પ્રત્યયિક જાતિ(જન્મ) વેર હોય છે. તે શકેન્દ્રના આત્મ રક્ષક દેવોને ત્રાસ આપતા રહે છે. ત્યાંથી નાના-મોટા સામાન્ય રત્નની ચોરી કરી લઈ જાય છે. જ્યારે શક્રેન્દ્રને ખબર પડે છે ત્યારે તે દેવોને શારીરિક કષ્ટ આપે છે. પહેલા દેવલોકથી દેવીઓને પણ ત્યાં લાવી શકે છે અને ત્યાં લઈ ગયા બાદ તેમની ઇચ્છા થવાથી તેમની સાથે પરિચારણા પણ કરી શકે છે. પરંતુ બલાત્કાર કરી શકતા નથી. ત્યાં પ્રથમ દેવલોકમાં તેમની સાથે પરિચારણા કરી શકતા નથી. (૩) અસુર કુમારદેવ પ્રથમદેવલોકમાં ઉપદ્રવ કરવા જાય છે તે પણ લોક આશ્ચર્ય ભૂત એટલે લોકમાં એક ન થવા જોગ ઘટના(મોટું આશ્ચર્ય) કહેવાય છે. અસુરેન્દ્ર અરિહંત અથવા અરિહંત ભગવાનના શ્રમણની નિશ્રા આલંબન લઈને જ જઈ શકે છે અને બધા દેવ જતા નથી. કોઈક મહદ્ધિક દેવ જ કયારેક જાય છે. (૪) વર્તમાનમાં જે ચમરેન્દ્રઅસુરેન્દ્ર છે તે ભગવાન મહાવીરની નિશ્રા લઈને એક વખત પહેલા દેવલોકમાં શક્રેન્દ્રની પાસે ગયા છે. (૫) ચમરેન્દ્રનો પૂર્વભવ આદિ – બેભેલ નામના સન્નિવેશમાં પૂરણ નામના ગાથાપતિ રહેતા હતા. તે ઋદ્ધિ સમ્પન્ન શેઠ હતા. તામલીની જેમ તેને પણ ધર્મારાધનના વિચાર આવ્યા. તે પ્રમાણે તેણે દાનામા નામની તાપસી પ્રવ્રજ્યા પોતાની મેળે અંગીકાર કરી.છઠ-છઠની નિરંતર તપસ્યા અને આતાપના કરવા લાગ્યા. ભિક્ષાના માટે કાષ્ટ પાત્રના ચાર ખંડ બનાવી રાખ્યા હતા. તેમાંથી ત્રણ ખંડમાં જે ભિક્ષા આવતી તે દાન કરી દેતા અને એક ખંડ પોતાના માટે રાખતા હતા. તેમાં રહેલી ભિક્ષાથી તે પારણા કરતા હતા. ચાર ખંડવાળા ચૌમુખી કાષ્ટ પાત્રના એક ખંડની ભિક્ષા પથિકોને, બીજા ભગવતી સૂત્ર: શતક-૩ પ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy