SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (ર) રાજધાની – એક લાખ યોજન લાંબી-પહોળી જંબુદ્વીપ પ્રમાણ રાજધાની છે. ૧૫0 યોજન ઊંચા, ૫૦ યોજન પહોળા કોટ છે. બે હજાર દ્વાર છે, જે ર૫૦ યોજન ઊંચા ૧૨૫ યોજન પહોળા છે. ઉપકારિકાલયન(રાજ ભવન ક્ષેત્રે) ૧૬હજાર યોજન લાંબો પહોળો છે. તેનું અંદર-બહારનું વર્ણનવિજયદેવની રાજધાનીના સમાન છે. આ સંપૂર્ણ જન્માભિષેક સુધીનું વર્ણન વિજયદેવ(જીવા સૂત્ર) અથવા સૂર્યાભદેવ (ઔપ સૂત્ર)થી જાણવું. (૩) ઉત્પાત પર્વતઃ– ઊંચાઈ ૧૭ર૧ યોજન, મૂલમાં પહોળાઈ ૧૦રર યોજન, મધ્યમાં ૪૨૪ યોજન, ઉપર ૭ર૩ યોજન છે. પરિક્ષેપ પરિધિ સર્વત્ર ત્રિગુણી સાધિક છે. સર્વરત્નમય આ પર્વત છે. તે પદ્મવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલ છે. શિખર ઉપર મધ્યમાં પ્રાષાદાવતષક(મહેલો છે. જે રપ0 યોજન ઊંચો ૧૨૫ યોજન પહોળો છે. તેમાં ચબૂતરા પર સપરિવાર અમરેન્દ્રને બેસવા માટે સિંહાસન અને ભદ્રાસન છે. નીચા લોકથી તિર્થી લોકમાં આવવા સમયે ચમરેન્દ્ર આદિ આ પર્વત પર વિશ્રાંતિ કરે છે, ભ્રમણ ચંક્રમણ કરે છે અને વિમાન સંકોચ આદિકરે છે. ઉદ્દેશકઃ ૯-૧૦ સમય ક્ષેત્રનું વર્ણન જીવાભિગમ સૂત્રના સમાન છે. (૧) પંચાસ્તિકાયઃ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયદ્રવ્યથી એકએકદ્રવ્ય છે, ક્ષેત્રથી લોક પ્રમાણ છે, કાલથી અનાદિ અનંત છે, ભાવથી વર્ણાદિથી રહિત અરૂપી અજીવ છે. આકાશાસ્તિકાય પણ આ પ્રકારે છે. પરંતુ ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ છે. જીવાસ્તિકાય દ્રવ્યથી અનંત દ્રવ્ય છે, શેષ ધર્માસ્તિકાયના સમાન છે પરંતુ અજીવ નથી. પુદ્ગલાસ્તિકાયજીવનાં સમાન છે પરન્તુ વર્ણાદિ છે, રૂપી અજીવ છે. (૧) પંચાસ્તિકાયના ગુણો આ પ્રમાણે છે – (૧)ધર્માસ્તિકાય– ચલણ સહાય ગુણ (ર) અધર્માસ્તિકાય- સ્થિર સહાય ગુણ (૩) આકાશાસ્તિકાય- અવગાહ (જગ્યા દેવાનો) ગુણ, (૪) જીવાસ્તિકાય- ઉપયોગ ગુણ (૫) પુદ્ગલાસ્તિકાયગ્રહણ-ધારણ ગુણ. (ર) સંપૂર્ણ સ્કંધ ધર્માસ્તિકાય આદિ કહેવાય છે. કાંઈ પણ અલ્પ હોય તેને ધર્માસ્તિકાય આદિનો દેશ કહેવાય છે. (૩) ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર–પરાક્રમવાળા જીવ પોતાના આત્મભાવને, જીવત્વ ભાવને બતાવે છે, પ્રગટ કરે છે. જીવના મતિજ્ઞાન આદિ ૧ર ઉપયોગોના અનંત પર્યવ(પર્યાય) છે તેનાથી પણ જીવ પોતાના જીવત્વ ભાવને પ્રકટ કરે છે, પ્રકાશિત કરે છે, બતાવે છે. (૪) આકાશના બે વિભાગ છે– લોકાકાશ અને અલોકાકાશ. લોકાકાશમાં જીવા ભગવતી સૂત્રઃ શતક-ર, | |૪૯) ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy