________________
ઉચિત છે. તેનો અર્થ છે– મુનિદર્શન સમયે અચિત પગરખા શસ્ત્ર આદિનો ત્યાગ કરવો આવશ્યક છે. (૧૪) સંયમનું ફળ અનાશ્રવ છે અને તપનું ફળ પૂર્વસંચિત કર્મક્ષય છે. (૧૫) બાકીનાં(અવશેષ રહેલાં) કર્મોનાં કારણે જ જીવ પૂર્વ તપથી અને સરાગ સંયમથી દેવલોકમાં જાય છે. કર્મ અવશેષ ન રહે તો તપ સંયમથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. (૧૬) ગૌતમ સ્વામીએ પારણા માટે જવાના સમયે મુખવસ્ત્રિકાનું પડિલેહણ કર્યું અનેક પાત્રોનું, વસ્ત્રોનું પડિલેહણ–પ્રમાર્જનકરી ભગવાનની આજ્ઞા લઈને ગોચરી ગયા. આહાર-પાણી આદિ સંપૂર્ણ સામગ્રી એક જ વાર પોતાને માટે લઈ આવ્યા ભગવાનને બતાવી યોગ્ય સ્થાને બેસી પારણું કર્યું. (૧૭) પર્ફપાસનાનું ફળ-શ્રમણોની સેવામાં પહોંચી વંદન નમસ્કાર કરી થોડો સમય બેસવાથી ધર્મશ્રવણનો પ્રથમ લાભ મળે છે. જેનાથી ક્રમશઃ ૨. જ્ઞાન ૩. વિજ્ઞાન ૪. પ્રખ્યાખ્યાન ૫. સંયમ. અનાશ્રવ૭. તપ૮.નિર્જરા૯.અક્રિયા ૧૦. સિદ્ધિ-મુક્તિ ફળની પ્રાપ્તિ થાય છે. (૧૮) રાજગૃહનગરની બહારભારગિરિ પર્વતની નજીકમહાતપોપતરપ્રભવ નામનું એક ઝરણું છે. જે ૫૦૦ધનુષ લાંબુ પહોળું છે. અનેક વૃક્ષ તેની આસપાસ સુશોભિત છે. તેમાં ઉષ્ણ યોનિક જીવ અને પુદ્ગલ આવીને ઉત્પન્ન થતા રહે છે અને નીકળતા રહે છે. તેથી ગરમપાણી વહેતું રહે છે. અન્યતીર્થિક તેને જ હૃદ(કુંડ) કહે છે અને અનેક યોજન લાંબો પહોળો કહે છે.
(ઉદ્દેશક : ૬-૭) (૧) પ્રજ્ઞાપના સૂત્ર પદ ૧૧ માં વર્ણવેલ સંપૂર્ણ ભાષા વર્ણન અહીં જાણવું. (ર) પ્રજ્ઞાપના પદ૨ માં વર્ણવેલ દેવોનાં સ્થાન સંબંધી વર્ણન અહીં જાણવું અને જીવાભિગમ પ્રતિપત્તિ–૩માંથી વિમાનો સંબંધી વર્ણન અહીં જાણી લેવું.
ઉદ્દેશકઃ ૮) (૧) ચમરેન્દ્રની સુધર્મા સભા :– મેરુ પર્વતથી દક્ષિણમાં અસંખ્ય દ્વીપ સમ પછી અરુણોદયસમુદ્ર છે. તેમાંકિનારાથી ૪રલાખયોજન અંદર પાણીમાંતિગિચ્છ કુટ નામના ચમરેન્દ્રનો ઉત્પાત પર્વત છે. તેનાથી દક્ષિણ દિશામાં ૬, પપ, ૩પ ૫૦,૦૦૦(છ અબજ,પચાવન કરોડ,પાંત્રીસ લાખ, પચ્ચાસ હજાર) યોજન સમુદ્રમાં ગયા પછી ચમરેન્દ્રની ચમચંચા રાજધાનીમાં જવાનો માર્ગ છે. તે માર્ગથે ૪૦,૦૦૦(ચાલીસ હજાર) યોજના નીચે જવાથી ચમરચંચા રાજધાની આવે છે તેમાં ચમરેન્દ્રની સુધર્મા સભા છે.
૪૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Jain Education International For private & Personal use only
www.jalnelibrary.org