________________
અપેક્ષાએ હીનાધિક કોઈ પણ સમય યથાયોગ્ય હોઈ શકે છે. એકાંતે ૧૨ મુહૂર્ત નહીં સમજવા; તે તો ઉત્કૃષ્ટ કાળ કહેવામાં આવેલ છે.
તાત્પર્ય આ છે કે કોઈ સ્ત્રીને અંતર્મુહૂર્તમાં જ તે પુદ્ગલ શરીર રૂપમાં પરિણત થઈ શકે છે, કોઈને મુહૂર્ત, બે મુહૂર્ત, ત્રણ મુહૂર્ત આદિ પણ રહી શકે છે. વધારે કોઈ સ્ત્રીને રહે તો ૧૨ મુહૂર્ત રહી શકે છે. આ ૧૨ મુહૂર્ત કહેવાનો આશય ઉત્કૃષ્ટની અપેક્ષા છે તેમ સમજવો જોઈએ.
(૬) એક જીવ એક ભવમાં જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ અનેક સો વ્યક્તિઓનો પુત્ર હોઈ શકે છે. અર્થાત્ તેના અનેક સો પિતા હોઈ શકે છે.
(૭) એક જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ અનેક લાખ(લાખો) જીવ પુત્ર રૂપમાં જન્મ લઈ શકે છે અર્થાત તે લાખો જીવોનો પિતા હોઈ શકે છે.
(૮) મૈથુન સેવન પણ એક પ્રકારનો મહાન અસંયમ છે. જે આત્માના વિકાર ભાવ રૂપ વિડમ્બના માત્ર છે. તેનાથી અનેક પ્રમાદ અને દોષોની ઉત્પત્તિની પરંપરા વધે છે. આ કારણે આ મૈથુન સેવનને પાપો તથા અધર્મનો મૂળ તથા દોષોનો ભંડાર દશવૈકાલિક સૂત્રમાં કહેવમાં આવેલછે.યથા-મૂલમેય-મહમ્મમ્સ, મહાવોસ સમુહ્સયં (૯) તુગિયાપુરી(નગરી)ના શ્રમણોપાસક :– તંગિયા નામની નગરીમાં અનેક આદર્શ શ્રમણોપાસક રહેતા હતા. એક વખત ત્યાં પાર્શ્વનાથ ભગવાનના શાસનવર્તી સ્થવિરશ્રમણ પાંચસો શ્રમણ પરિવાર સાથે પધાર્યા. તે શ્રાવકો સાથે મળીને પર્યુપાસના કરવા ગયા. દર્શન-વંદન કરી ધર્મોપદેશસાંભળ્યો, પ્રશ્નો પૂછી, સમાધાન પ્રાપ્ત કરી, વિનયભક્તિ કરીને ચાલ્યા ગયા.
કેટલાક સમય બાદ તે નગરીમાં ભગવાન મહાવીર સ્વામીનું પદાર્પણ થયું. ત્યાં ગૌતમ સ્વામી પારણાર્થે ગોચરી માટે નીકળ્યા. લોકો પાસેથી તે નગરમાં ચર્ચા સાંભળવા મળી કે અહીં પાર્શ્વનાથ ભગવાનના સ્થવિરોને અમુક શ્રાવકોએ એવું પૂછ્યું અને તેનું સમાધાન શ્રમણોએ આપ્યું.
ગૌતમ સ્વામીએ જે કંઈ સાંભળ્યું તે ભગવાનની સેવામાં આવી નિવેદન કરી અને પૂછ્યું કે આવા ઉત્તર સ્થવિર આપી શકે છે? અને એ ઉત્તર તેમના સાચા છે? ભગવાને તે ઘટનાક્રમ અને ઉત્તરોનું સત્ય હોવાનું કથન કર્યું.
(૧૦) શ્રમણોપાસકનો પરિચય ગુણ વર્ણનઃ– તે શ્રમણોપાસકઋદ્ધિ સમ્પન્ન, દેદિપ્યમાન(યશસ્વી) હતા. બહુધન અને સ્વર્ણ-રજતથી સમ્પન્ન હતા. સંપત્તિના આદાન-પ્રદાનના વ્યવસાયવાળા હતા. પ્રચુર ભોજન તેમના ઘરમાં અવશેષ રહેતું હતું. દાસ દાસી નોકર પશુ ઘનથી પણ સંયુક્ત હતા.
જીવ અજીવ પદાર્થોના જ્ઞાતા પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ, મોક્ષના જ્ઞાનમાં અને તેના વિવેકમાં કુશળ હતા. દેવોની સહાયની ઇચ્છા કરવાવાળા ન હતા. યક્ષ, રાક્ષસ આદિથી પણ ડરવાવાળા ન હતા. અર્થાત્ એ
૪૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org