________________
કયારેક વિકૃત બુદ્ધિવાળા દેવ અન્ય દેવોની દેવીઓ સાથે પણ પરિચારણા કરે છે અને નિદાન કૃત કોઈ દેવ સ્વયં જ દેવીઓની વિકુર્વણા કરીને તે રૂપોની સાથે પરિચારણા કરે છે.
આ બધા પ્રકારની પરિચારણા કરનારા દેવ કેવળ એક જ પુરુષવેદનું વેદન કરે છે. એક સમયમાં એક જીવને બે વેદનો ઉદય એક સાથે થતો નથી. તેથી સ્વયં દેવી રૂપ બનવું વિડંબના સંયોગ માત્ર હોય છે. તે દેવ પરિચારણા કરવામાં એક પુરુષ વેદનો જ અનુભવ કરે છે. સ્ત્રીવેદનો અનુભવ કરતા નથી. કેમ કે તે દેવ પુરુષ વેદની ઉપશાંતિને માટે જ દેવીનું રૂપ બનાવે છે.
[નોંધ :- અહીં મૂળ પાઠમાં લિપિ દોષ, કાલદોષ આદિથી પાઠ વિકૃત થયો હોય તેમ જણાય છે. નો શબ્દ છૂટી જવાથી સંયમ આરાધના કરીને દેવ બનવાવાળાને પણ અન્ય દેવોની દેવીઓ સાથે પરિચારણા કરવાનો અર્થ થાય છે. તે અયોગ્ય છે. તેથી ‘નો’ શબ્દ સાથે પાઠ સમજવો જોઈએ. ઉક્ત સારાંશ તે જ પાઠની અપેક્ષાએ લખ્યો છે.
અન્યતીર્થિક અન્ય તમામ પ્રકારની પરિચારણાનો નિષેધ કરી પોતાનાં દ્વારા વિકુર્વિત દેવીના સાથે વાળી કેવલ એક પ્રકારની પરિચારણાનું કહે છે અને એક સમયમાં બે વેદનું વેદન એક વ્યક્તિને થાય એમ કહે છે. તેમનું આ કહેવુંમિથ્યા અને ભ્રમપૂર્ણ છે. વિભંગ જ્ઞાનના નિમિત્તે આવા કેટલાય ભ્રમ પ્રચલિત થઈ જાય છે. જિનાનુમત સત્ય કથન ઉપર બતાવવામાં આવેલ છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ જાણવા માટે બ્યાવરથી પ્રકાશિત કે ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટથી પ્રકાશિત દશાશ્રુત સ્કંધ સૂત્રમાં દશમી દશામાં ૯ નિદાનનું વિવેચન જોઈ લેવું.
ગર્ભ વિષયઃ– (૨) વાદળાના રૂપમાં અપકાયના જીવોનું રહેવું જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ મહિના સુધી હોઈ શકે છે અને તેને ઉદકગર્ભ કાળ કહેવાય છે. (૩) તિર્યંચનો ગર્ભકાળ જઘન્ય અંત મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ આઠ વર્ષનો છે. મનુષ્યનો ગર્ભકાળ જઘન્ય અતંમુહૂર્તનો છે, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષનો છે. અર્થાત્ અંતમુહૂર્ત પછી ગર્ભમાં રહેલા જીવનું આયુષ્ય પૂર્ણ થઈ જાય છે અને કોઈ આઠ અથવા ૧૨ વર્ષ સુધી પણ ગર્ભમાં જીવિત રહી શકે છે.
(૪) એકજીવગર્ભમાં મરીને ગર્ભમાંજન્મતો એવા ગર્ભની કાયસ્થિતિની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ૨૪ વર્ષ સુધી એક જ ગર્ભ સ્થાનમાં જીવ રહી શકે છે. તે જીવ ગર્ભમાં જ્યારે બીજો જન્મ ધારણ કરે ત્યારે કરનાર ફરી નવું શરીર બનાવે છે. તે મૃત શરીર તો યેન કેન પ્રકારે વિશીર્ણ થઈ જાય છે, ગળી જાય છે. અથવા કાઢી નાંખવામાં આવે છે.
(૫) મનુષ્ય અને તિર્યંચની પરિચારણા પછી યોનિ સ્થાન ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી જીવને ઉત્પન્ન થવા યોગ્ય બની રહે છે. અર્થાત્ યોનિમાં મિશ્રિત બનેલ શુક્ર-લોહી (શોણિત) ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી તે રૂપમાં સુરક્ષિત રહી શકે છે. જઘન્ય મધ્યમની
ભગવતી
સૂત્રઃ : શતક-ર
Jain Education International
For Private & Personal Use Only
૪૫
www.jainelibrary.org