________________
સહચારી હતા. ભગવાને, ગૌતમ સ્વામીને જણાવતાં કહ્યું – આજે તમને તમારા જૂના મિત્ર મળવાના છે. ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેનું નામ અને આગમનનું કારણ જણાવ્યું. ભગવાનને પ્રશ્ન પૂછતાં ગૌતમ સ્વામીએ કહ્યું–પ્રભુ! તે મિત્ર અંધક આપની પાસે દીક્ષા ગ્રહણ કરશે? ભગવાને સ્વીકૃતિરૂપ ઉત્તર આપ્યો. એટલામાં જ સ્કંધક પરિવ્રાજકને સામેથી આવતાં ગૌતમ સ્વામીએ જોયા.
ગૌતમસ્વામી ઉભા થઈ સામે ગયા અને મધુરવચનોથી સ્વાગત કરીને કહ્યું કે તમે અમક પ્રસંગ માટે ઉપસ્થિત થયા છો? ત્યાર પછી અંધકની આશ્ચર્યમય જિજ્ઞાસાનું સમાધાન કરતાં ગૌતમ સ્વામીએ કહ્યું–મારા ધર્મગુરુ ધર્માચાર્ય જ્ઞાની છે. તેઓશ્રીએજ આપના મનની વાત મને કહી છે. આ સાંભળી ઔધકભગવાનનાં જ્ઞાન પ્રત્યે શ્રદ્વાન્વિત થયા.
તેદિવસોમાં ભગવાન નિત્યભોજનચર્યામાંહતા.કાંઈપણ તપશ્ચર્યાચાલતી ન હતી. તેથી ભગવાનનું શરીર વિશેષ સુંદર અને સુશોભિત દેખાતું હતું. સ્કંધક, ભગવાનની શરીરસંપદા જોઈને પરમ આનંદ પામ્યા. ભગવાનને તેણે ભક્તિપૂર્વક ત્રણ વાર આવર્તનપૂર્વક વંદન નમસ્કાર કરી અને પર્યુપાસના કરવાના હેતુથી ત્યાં બેસી ગયા. પ્રશ્નોનાં સમાધાન – શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પોતાની રીતે અંધકને સંબોધન કરીને તેના પ્રશ્નો રજૂ કરી સમાધાન આ પ્રમાણે કર્યું–
દ્રવ્યથી અને ક્ષેત્રથી લોક સાંત છે. કાલ અને ભાવથી અનંત છે. એ પ્રકારે જીવ પણ દ્રવ્ય અને ક્ષેત્રથી સાંત છે; કાલ અને ભાવથી અનંત છે. એ જ પ્રકારે સિદ્ધ અને સિદ્ધિનું સમજવું અર્થાત્ દ્રવ્યથી એની સંખ્યા છે, ક્ષેત્રથી અવગાહના ક્ષેત્ર સીમિત છે, કાલથી આ ચારે શાશ્વત છે અને ભાવથી એના ગુણો આદિ પણ શાશ્વત છે. તેથી ઉત્તર અનેકાંતિક વચનમય આ પ્રકારે થાય છે કે, “આ સાંત પણ છે અને અનંત પણ છે.” બાલમરણથી મરતા જીવો સંસારવૃદ્ધિ કરે છે અને પંડિતમરણથી મરતા જીવો સંસાર ઘટાડે છે. ઔધક પરિવ્રાજકથી અંધક અણગાર – અંધક પ્રભાવિત તો પહેલેથી જ હતા. તીર્થકર ભગવાન દ્વારા સાક્ષાત સમાધાન સાંભળીને તેમના હૃદયનું પરિવર્તન થઈ ગયું અને તેમણે ભગવાનની પાસે શ્રમણદીક્ષા સ્વીકારી, સંયમવિધિનું જ્ઞાન પ્રાપ્ત કરી; તપ, સંયમથી આત્માને ભાવિત કરવા લાગ્યા.
સ્કંધક અણગારે અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ત્યારબાદ તેમણે આજ્ઞાપૂર્વક ભિક્ષુની બાર પડિમાની આરાધના કરી તેમણે ગુણરત્ન સંવત્સર તપવિધિને પૂર્ણ કરી અને અન્ય વિવિધ મા ખમણપર્યન્તની તપસ્યાઓની આરાધના કરી; બાર વર્ષનાં સંયમ પર્યાયમાં શરીરને સૂકવીને હાડપિંજર બનાવી નાખ્યું, જ્યારે શરીરથી પ્રત્યેક કાર્ય કરવામાં તકલીફ થવા લાગી ત્યારે ધર્મ-જાગરણ કરતાં
ભગવતી સૂત્રઃ શતક-ર
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org