SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ બનેલ આત્મા જ વ્રતોનો ભંગ કરે છે; સંયમ મર્યાદાનો ભંગ કરે છે. તેથી મોક્ષાર્થી સાધકે પોતાના આત્માને સ્થિર પરિણામી બનાવવો જોઈએ. કેમ કે બાલ અને પંડિત થનારા જીવ તો શાશ્વત હોય છે. પરંતુ બાલત્વ અને પંડિતત્વ એ અશાશ્વત છે. અર્થાત્ સ્થિર પરિણામોથી પંડિતપણું સ્થિર રહી શકે છે અને અસ્થિર પરિણામોથી તે બાલત્વમાં પરિવર્તિત થઈ શકે છે. તેથી આત્મસાધકે સંયમના નિયમોનું સ્થિર પરિણામી થઈને પાલન કરવું જોઈએ. આધાકર્મી આદિ દોષોનું સેવન ન કરવું જોઈએ. ત્યારે જ તેનું પંડિતત્વ કાયમ રહી શકે છે. (ઉદ્દેશકઃ ૧૦) (૧) અન્ય તીર્થિક માન્યતાઓ – (૧) થઈ રહેલીને અને થતી ક્રિયાને થઈ, એમ ન કહેવું (૨) બે પરમાણુનો પરસ્પર સંબંધથતો નથી, કેમ કે તેમાં સ્નિગ્ધતા હોતી નથી. પરન્તુત્રણ પરમાણુમાં સંબંધ થાય છે. (૩) ત્રણ પ્રદેશથી સ્કંધના દોઢ-દોઢ પરમાણુરૂપ બેટુકડા થઈ જાય છે. (૪) પાંચ પરમાણુ એકત્ર થઈને દુઃખરૂપ થાય છે. તે દુઃખ શાશ્વત રહે છે. (૫) પહેલા અને પછી ભાષા હોય છે; બોલવા સમયે અભાષા હોય છે. (૬) એજ પ્રકારે ક્રિયા પણ પહેલાં-પછી દુઃખકર હોય છે. કરતા સમયે નહીં તે પણ કર્યા વિના દુઃખ કર હોય છે, કરવાથી નહીં. (૭) કર્યા વિના, સ્પર્યાવિના જ જીવદુઃખ વેદના વેદે છે. (૮) સાંપરાયિક અને ઈર્યાપથી બન્ને ક્રિયા એક સાથે લાગે છે. આબધી મિથ્યા(ખોટી) માન્યતાઓ છે. સત્યથી વિપરીત છે. સાચી માન્યતા એમ છે કે– (૧) ચાલતું હોય તેને ચાલ્યું કહેવું. (ર) બે પરમાણુમાં સ્નિગ્ધતા હોય છે, બંધ પણ હોય છે. (૩) દોઢ પરમાણુ કયારેય હોતા નથી. (૪) કોઈ પણ દુઃખ શાશ્વત નથી, કોઈ પણ સ્કંધના દુખ, સુખના સ્વભાવ પરિવર્તિત થતા રહે છે. (૫)બોલવા સમયે જ ભાષા ભાષારૂપ કહેવાય છે. (૬) ક્રિયા કરવા સમયે લાગે છે. કર્યાવિના લાગતી નથી. (૭) કરેલા કર્મનો ફળ સ્પર્શ કરીને જીવવેદના વેદે છે. (૮) સાંપરાયિક ક્રિયા જ્યારે જ્યાં સુધી લાગે છે, ત્યાં સુધી ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી. દસ ગુણ સ્થાન સુધી સાંપરાયિક ક્રિયા છે. આગળ ૧૧ થી ૧૩ ગુણ સ્થાનમાં ઈર્યાવહિ ક્રિયા છે. તેથી એકી સાથે બન્ને ક્રિયા લાગતી નથી. (૨) ચોવીસ દંડકનું ઉત્પત્તિ સંબંધી વિરહકાળ પ્રજ્ઞાપના પદ માં કહેવામાં આવેલ છે તે પ્રમાણે સારાંશ ખંડ–દથી જાણવું. છે શતક ૧/૧૦ સંપૂર્ણ છે ભગવતી સૂત્રઃ શતક-૧ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy