SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી ગુણ ગુણીના અભેદરૂપ નિશ્ચય નયથી આત્માને જ સામાયિક કહેવામાં આવેલ છે. પ્રશ્ન : જ્યારે આ બધા આત્મા છે તો ક્રોધ માન આદિ પણ આત્મા જ છે. તેની ગર્હા(નિંદા) કેમ કરો છો ? શા માટે કરો છો ? ઉત્તરઃ સંયમના માટે, સંયમ વૃદ્ધિના માટે, આત્મગુણના વિકાસ માટે અને અવગુણ સમાપ્તિ માટે તેની ગર્લા(નિંદા) કરીએ છીએ. પ્રશ્ન ઃ તો શું ગર્હ સંયમ છે કે અગ। સંયમ છે? ઉત્તર ઃ પાપ કૃત્યોની નિંદા-ગર્હ કરવી સંયમ છે. ગર્હ બધા દોષોનો નાશ કરે છે. તેમાં બાલ ભાવને જાણીને, સમજીને તેનો ત્યાગ થાય છે અને સંયમની પુષ્ટિ થાય છે; આત્મા અધિકાધિક સંયમ ભાવોમાં સ્થિર થાય છે, સ્થાપિત થાય છે. ત્યાર પછી કાલાસ્યવેષિપુત્ર અણગારની મુંઝવણોનું સમાધાન થઈ જતાં અને શ્રદ્ધાસ્થિર થઈ જતાં તેણે વંદન કરીને સ્થવિર ભગવંતોની સામે કૃતજ્ઞતા પ્રગટ કરી છે. એટલું જ નહિ પરંતુ પોતાનો મત જે ચાર મહાવ્રતવાળો હતો... તેને બદલે પાંચ મહાવ્રતરૂપ ધર્મનો સ્વીકાર કર્યો. અર્થાત્ ભગવાન મહાવીરના શાસનમાં શિષ્યત્વ સ્વીકારી લીધું. તે પછી તેમણે અનેક વર્ષોસુધી સંયમ પાલન કરી અને આરાધના કરીને સંપૂર્ણ કર્મ ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. નિષ્કર્ષ :- ભગવાન પાર્શ્વનાથના શિષ્યો ભગવાન મહાવીરના શાસનમાં સંપૂર્ણ રીતે જલ્દી પ્રવેશતા ન હતા. પરન્તુ આ પ્રકારે સમય સમય પર ચર્ચા વાર્તા કરીને કેટલાક શ્રમણો મહાવીરના શાસનમાં પ્રવેશતા હતા (ભળતા હતા). આનું મુખ્ય એક કારણ એ બન્યું હતું કે ગૌશાલક મંખલીપુત્ર પણ ભગવાન મહાવીરના સમકાલમાં જ ધર્મ પ્રણેતા બન્યો હતો અને પોતાને ચોવીસમા તીર્થંકર તરીકે જાહેર કરતો હતો. દેવની મદદથી અને નિમિત્તજ્ઞાન ચમત્કાર પ્રયોગથી અધિકાંશ પ્રજાને પોતાનાં ચક્કરમાં ફસાવતો હતો. આ કારણે દ્વિધામાં પડેલા ભગવાન પાર્શ્વનાથના કેટલાક શ્રમણ શાસનમાં ભળતા ન હતા અને કેટલાક હિંમત કરી પ્રશ્નો દ્વારા ચકાસણી કરતા હતા. તે પહેલાં તેઓ વંદન પણ કરતા ન હતા. તેઓ ચોક્કસ ચકાસણી પછીજવીરનાશાસનમાં ભળતા.તેમછતાંસેંકડો સાધુઓતો ગૌશાલકનાં ચક્કરમાં આવી ગયા હતા અને તેનું શિષ્યત્વ પણ સ્વીકારી લીધું હતું. ચોથા આરા અને સતયુગના સમયમાં પણ આવી ન બનવા જેવી ઘટનાઓ બની જતી. (૬) અવ્રતની ક્રિયા અર્થાત્ અપ્રત્યાખ્યાન-પ્રત્યયા ક્રિયા બધાં અવિરત જીવોને સમાન જ લાગે છે. પછી ભલેને વર્તમાનમાં કોઈ શેઠ હોય, અથવા રાજા, ભિખારી, નાના-મોટા કોઈ પણ કેમ ન હોય. જેવું પણ છે તે વર્તમાનમાં છે. તેનું વર્તમાન પ્રવૃત્તિઓથી બંધ તદનુસાર હોઈ શકે છે. પરંતુ પરોક્ષથી સંબંધિત અવ્રત ક્રિયાના આગમનમાં વર્તમાન અવસ્થાનો પ્રભાવ પડતો નથી. ભગવતી સૂત્રઃ શતક-૧ Jain Education International For Private & Personal Use Only ૩૯ www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy