SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ લઘુ દ્રવ્ય - તનુવાત, ધનવાત, પૃથ્વી, દ્વીપ, સમુદ્ર, ઔદારિક આદિ ચાર શરીર, દ્રવ્ય લેશ્યા, કાય યોગ. ઉભય દ્રવ્ય = કેટલાક પુદ્ગલ દ્રવ્ય અગુરુ લઘુ હોય છે અને કેટલાક ગુરુ લઘુ હોય છે. એટલા માટે પુદ્ગલાસ્તિકાય ઉભય સ્વરૂપ છે. ૨૪ દંડકના જીવ પણ કાર્યણ શરીર અને આત્માની અપેક્ષાએઅગુરુલઘુછેઅનેચાર શરીરોની અપેક્ષાએ ગુરુ લઘુ છે. તેથી તે પણ ઉભય સ્વરૂપ છે. સર્વદ્રવ્ય, સર્વ પ્રદેશ, સર્વ પર્યાય આદિ આ સમુચ્ચય બોલ હોવાથી ઉભય સ્વરૂપ છે. (૩) શ્રમણનિગ્રંથે લઘુતા, અલ્પેચ્છા, અમૂર્છાભાવ, અપ્રતિબદ્ધતા આદિ ગુણોને વધારવા જોઈએ અને કોઘાદિથી રહિત થવા યત્ન કરવો જોઈએ. રાગ દ્વેષથી મુક્ત જીવ જ કાંક્ષા પ્રદોષ(અન્ય મતનો આગ્રહ અને આસક્તિ)નો નાશ થવાથી મુક્ત થઈ શકે છે. તે જ ચરમ શરીરી થાય છે. એક જ ભવમાં જીવ બહુ મોહવાળો હોવા છતાં પછી મોહ મુક્ત, સંવર યુક્ત બની મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. (૪) એક જીવ એક સમયમાં એક જ આયુષ્ય કર્મનો ઉપભોગ કરે છે. અર્થાત્ વર્તમાન ભવનું આયુષ્ય ભોગવે છે, ભૂત અથવા ભવિષ્ય ભવનું આયુષ્ય નથી ભોગવતો. જો કોઈ સિદ્ધાંતવાળા બે આયુષ્ય એક સાથે ભોગવવાનું કહે તો તેનું તે કથન મિથ્યા સમજવું જોઈએ. અબાધા કાળની અપેક્ષાએ આગળના ભવનું આયુષ્ય વ્યતીત થાય છે. પરંતુ તે અબાધા રૂપ હોવાથી ઉદયમાં ગણવામાં આવતું નથી. અર્થાત્ તે સમયવિપાકોદય અથવા પ્રદેશોદય બન્ને પ્રકારના ઉદયનો અભાવ હોય છે. તેથી અબાધાકાલ રૂપ સમયના પસાર થવાને ઉદય કહી શકાતો નથી. મતાંતરથી પ્રદેશોદય થાય છે, વિપાકોદય થતો નથી. - (૫) અણગાર અને સ્થવિરોનો સંવાદ ઃ– એકવાર ત્રેવીસમાં તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના પરંપરાના શિષ્ય કાલાસ્યવેષિપુત્રનામના અણગારે ભગવાન મહાવીર સ્વામીના સ્થવિર ભગવંતોની પાસે જઈઆક્ષેપાત્મક પ્રશ્ન કર્યા...ત્યારે સ્થવિરોએ યોગ્ય ઉત્તર આપ્યા તે સંવાદ આ પ્રમાણે છે— પ્રશ્નઃ હે સ્થવિરો ! તમે સામાયિક અને સામાયિકનો અર્થ જાણતા નથી, એ જ રીતે તમે પચ્ચક્ખાણ, સંયમ, સંવર, વિવેક, વ્યુત્સર્ગ અને તેના અર્થ-પરમાર્થ પણ જાણતા નથી ? ઉત્તર : અમે સામાયિક આદિને તથા તેના પરમાર્થને જાણીએ છીએ. પ્રશ્ન : જો જાણો છો તો કહો સામાયિક આદિ શું છે અને તેનો પરમાર્થ શું છે? ઉત્તરઃ પ્રશ્ન કર્તાની મુંઝવણ નિશ્ચય નયની અપેક્ષાથી છે, એવું જાણીને સ્થવિરોએ ઉત્તર આપ્યો કે આત્મા જ સામાયિક આદિ છે અને આત્મા જ એનો અર્થ પરમાર્થ છે. ગુણ ગુણીમાં રહે છે. આ બધા ગુણ અને તેનો પરમાર્થ આત્માને જ મળનાર છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત For Private & Personal Use Only ૩૮ Jain Education International www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy