SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ચાંપવાથી ચાર ક્રિયા અને ઘાસબાળવાથી પાંચ ક્રિયા લાગે છે. કોઈ જીવને મારવા માટે બાણ છોડે તો ત્રણ ક્રિયા, બાણ તેને લાગી જાય તો ચાર ક્રિયા અને તે જીવ મરી જાય તો પાંચ ક્રિયા લાગે છે. કોઈ જીવને મારવાના સંકલ્પથી ધનુષની પણછ(ડોરી) ખેંચી કોઈ વ્યક્તિ ઉભો હોય તે સમયે કોઈ બીજી વ્યક્તિ આવી તલવારનો ઘા કરી તેને મારી નાખે, જેનાથી ખેંચેલું બાણ નિશાન પર લાગી જાય અને તે જીવ પણ મરી જાય, ત્યારે તલવારથી મનુષ્યને મારનારને પણ તેની પાંચ ક્રિયા લાગે છે અને બાણથી મરનાર જીવનો નિમિત્તથી ધનુષવાળા મનુષ્યને પણ પાંચ ક્રિયા લાગે છે. કોઈ પણ પ્રકારના નિમિત્તથી કોઈ જીવ થોડા સમય બાદ મરે છે. અર્થાતુછ મહિનાની અંદર મરે તો પાંચ ક્રિયા લાગે છે. છ મહિના પછી મરવાથી પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી. તેનું મરવું પ્રહાર નિમિત્તક ગણવામાં નથી આવતું. આ વ્યવહાર નય અપેક્ષાથી કહેવાયેલ છે. તલવાર બરછી આદિથી હાથોહાથ મારનાર વ્યક્તિ તીવ્રવૈરથી સ્પષ્ટ થાય છે અને તે કાર્યનું ફળ તેને શીધ્ર નજીકના ભવિષ્યમાં મળે છે. (૩) શારીરિક અનેક યોગ્યતાઓથી અને સાધનોથી સમાન બે પુરુષોમાં યુદ્ધ થવાથી એક વ્યક્તિ જીતી જાય છે, એક પરાજિત થાય છે. આમાં વીર્યાન્તરાય કર્મના ઉદય અનુદયનું મુખ્ય કારણ હોય છે. વીર્યવાન વિશેષ પરાક્રમી વ્યક્તિ જીતી જાય છે. ઓછા પરાક્રમવાળા હારી જાય છે. (૪)વીર્ય બે પ્રકારના છેલબ્ધિવીર્યઅનેકરણવીર્યઆત્માને શરીરવીર્યની ઉપલબ્ધિ થવી લબ્ધિ વીર્ય છે. તે વીર્યને ઉપયોગમાં લેવું પ્રવૃત્ત થવું, એ કરણ વીર્ય છે. ચોવીસ દંડકના જીવ લબ્ધિ વીર્યથી સવાર્ય હોય છે અને કરણ વીર્યથી સવીર્ય, અવીર્યબને હોય છે. મનુષ્ય શેલેશી અવસ્થામાં લબ્ધિ વીર્યથી સવીર્ય અને કરણ વીર્યથી અવીર્ય હોય છે. સિદ્ધ બને અપેક્ષાથી અવીર્ય હોય છે. કેમ કે તેમને શરીરજ નથી અને બનેવીર્યશરીર સાપેક્ષ છે. આત્મા સામર્થ્યથી તે સંપન્ન હોય છે. (ઉદ્દેશકઃ ૯) (૧) અઢાર પાપોનો ત્યાગ કરવાથી જીવ(કર્મોથી) હળવો થાય છે અને સેવન કરવાથી ભારે થાય છે. પાપનોત્યાગ કરવાથી જીવ સંસારને પરિત્ત કરે છે, ઘટાડે છે અને સંસારને પાર કરી મોક્ષમાં ચાલ્યો જાય છે. તેનાથી વિપરીત પાપના સેવન કરનારા જીવ સંસાર વધારે છે અને સંસારમાં વારંવાર ભ્રમણ કરે છે. (ર)અગુરુલઘુ દ્રવ્ય = આકાશ, આકાશાંતર, કાર્મણ શરીર, કર્મ, ધર્માસ્તિકાય, જીવ, ભાવલેશ્યાદષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, સંજ્ઞા, મનોયોગ, વચન યોગ, બને ઉપયોગ, ત્રણેકાળ, સર્વદ્ધા કાલ. ભગવતી સૂત્ર: શતક-૧ ૩છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy