SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કફ, નાકનો મેલ, વમન, પિત્ત આદિ વિકાર થતા નથી. પરંતુ વધેલ પુદ્ગલ પણ હાડકા, મજ્જા રોમ, કેશ, નખ આદિ શરીરાવયવ રૂપે પરિણત થઈ જાય છે. શરીરમાં માંસ, લોહી અને મસ્તક માતાના અંગ ગણાયા છે અને હાડકાં, મજ્જા અને કેશ, દાઢી-મૂછ, રોમ તથા નખપિતાના અંગ માનવામાં આવ્યા છે. માતા પિતાથી તૈયાર થયેલ આ શરીરાવયવ જિંદગીભર રહે છે. સમયે સમયે ક્ષીણ થતાં હોવા છતાં પણ અંત સુધી રહે છે. ગર્ભગત કોઈ જીવને વિશેષ જ્ઞાનનાં નિમિત્તથી યુદ્ધનાં પરિણામો થઈ જાય છે. તે પરિણામોમાં આયુષ્ય પૂર્ણ થઈ જતાં કાળ કરીને તે જીવ પ્રથમ નરકમાં જઈ શકે છે. કોઈક ગર્ભસ્થ જીવ શુભ અધ્યવસાયો અને ધર્મ ભાવનાથી ઓતપ્રોત થઈને મૃત્યુ થતાં બીજા દેવલોક સુધી જઈ શકે છે. માતા દ્વારા ધર્મ શ્રવણ કરી શ્રદ્ધા આચરણ કરવાથી આ ગર્ભગત જીવ પણ તે ભાવનાથી ભાવિત થાય છે. તેને પણ ધર્મોપદેશ સાંભળવો, શ્રદ્ધા કરવી, તેમ ગણવામાં આવે છે. વ્રત પરિણામ પણ તેના માનવામાં આવ્યા છે. ગર્ભગત જીવ પગ આગળ કરીને અથવા મસ્તકને આગળ કરીને સીધો ગર્ભથી બહાર આવે છે ત્યારે સુખપૂર્વક આવે છે. પરન્તુતિરછો(ત્રાંસો) આવવાથી તે મરી જાય અથવા કષ્ટપૂર્વક જન્મે છે. તે જીવ શુભ નામ કર્મ લાવ્યો હોય તો વર્ણાદિ શુભ પ્રાપ્ત કરે છે અને અશુભ નામ કર્મ લાવ્યો હોય તો વર્ણાદિ અને સ્વર આદિ અશુભ અમનોજ્ઞ પ્રાપ્ત કરે છે. ઉદ્દેશક : (૧) એકાંત બાલ(ચાર ગુણસ્થાનવાળા) મનુષ્ય ચારે ગતિના આયુષ્યનો બંધ કરે છે. જે ગતિના આયુષ્યને એકવાર બાંધે છે પછી જ ત્યાં જાય છે. આયુષ્ય બાંધ્યા વિના જીવ કોઈ ગતિમાં જતો નથી અને આયુષ્ય બાંધ્યા બાદ અન્ય કોઈ ગતિમાં જતો નથી. : C એકાંત પંડિત મનુષ્ય(છઠ્ઠા-સાતમા આદિગુણસ્થાનવાળા સાધુ) જે આયુષ્ય બાંધતા નથી તે મોક્ષગતિમાં જાય છે અને જે આયુષ્ય બાંધે છે તે કેવલ (વૈમાનિક) દેવ ગતિનું જ આયુષ્ય બાંધે છે. 39 બાલ પંડિત મનુષ્ય(પાંચમાં ગુણ સ્થાનવાળા શ્રાવક) દેવ આયુષ્યનો બંધ કરે છે અર્થાત્ કેવલ વૈમાનિકના ૧૨ દેવલોકનો આયુબંધ કરે છે. (૨)પાંચક્રિયા– (૧) કાયિકી (૨) અધિકરણિકી (૩) પ્રાદેષિકી (૪) પરિતાપનિકી (૫) પ્રાણાતિપાતિકી.હરણને ફસાવવા જાળ બિછાવનારને ત્રણ ક્રિયા લાગે છે. મૃગ ફસાઈ જવાથી પરિતાપનિકી ક્રિયા સહિત ચાર ક્રિયા લાગે છે અને હરણ મરી જવાથી અથવા મારી નાંખવાથી પ્રાણાતિપાતિકી ક્રિયા સહિત પાંચ ક્રિયા લાગે છે. સજીવ ઘાસને બાળવા માટે એકત્ર કરવાથી ત્રણ ક્રિયા, તેમાં ચિનગારી મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy