SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મળ આદિ રૂપોથી નીકળી જાય છે. શરીરના ઉપયોગમાં આવનારને જ આગમમાં વાસ્તવિક આહાર ગણેલ છે. તે સિવાય તો ગ્રહણ નિસ્સરણ રૂપ જ થાય છે. ના [ટિપ્પણ ઃ- કવલાહારની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ પરિણમન કહેવાથી જ સંગતિ બેસી શકે છે. પ્રતોમાં અસંખ્યાતમાં ભાગ પરિણમનનો પાઠ મળે છે તે અશુદ્ધ છે. કેમ કે પ્રતિદિન બાળકના શરીરનું વજન આહારના સંખ્યાતમાં ભાગ જેટલું વધે છે. જેથી આહાર પણ સંખ્યાતમા ભાગે જ પરિણમન થાય તે સ્પષ્ટ સમજાય છે. જો કવલાહારનો અસંખ્યાતમો ભાગ પરિણમન થાય એમ માનવામા આવે તો જીવનભર ૧૦ અથવા ૨૦ હજાર દિવસોમાં એક કિલો વજન પણ બાળકનું વધી શકે નહિ, જો કે તે સર્વથા અસંગત છે અને પ્રત્યક્ષથી પણ વિરુદ્ધ થાય છે.] જીવ કેટલાક(થોડા) આત્મ પ્રદેશોથી અથવા અડધા આત્મ પ્રદેશોથી જન્મતા-મરતા નથી અને આહાર પણ કરતા નથી. (૨) ૨૪ દંડકમાં એક-એક જીવ કયારેક વિગ્રહ ગતિવાળો પણ હોય છે અને કયારેક અવિગ્રહ ગતિવાળો પણ હોય છે. અનેક જીવોની અપેક્ષાએ એકેન્દ્રિયમાં બન્ને અવસ્થામાં ઘણાં જીવો હોય છે. શેષ ૧૯ દંડકમાં વિગ્રહ ગતિમાં જીવ હંમેશાં નહી મળવાથી ત્રણ ભાંગા(એક અશાશ્વતના) હોય છે. (૩) મહર્દિક દેવ મૃત્યુ સમય નિકટ જાણીને મનુષ્ય, તિર્યંચનાં અશુચિમય જન્મ, જીવન, આહારને અવધિથી જોઈને એકવાર ધૃણા, લજ્જા અને દુઃખથી ત્રાસી જાય છે અને આહાર પણ છોડી દે છે. ત્યાર પછી આહાર કરીને મરી જાય છે અને તિર્યંચ અથવા મનુષ્યમાં ઉત્પન્ન થઈ ત્યાંનો આહાર તેમને કરવો જ પડે છે. જેવું આયુષ્ય બાંધ્યું હોય તેવા સ્થાનમાં જઈને જન્મ લેવો જ પડે છે. (૪) ભાવેન્દ્રિયની અપેક્ષાએ ગર્ભમાં સઈન્દ્રિય જીવ આવીને જન્મે છે અને દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાએ અનિન્દ્રિય જીવ જન્મ લે છે. તેજસ કાર્મણની અપેક્ષાએ શરીરી આવીને જન્મે છે અને શેષ ત્રણ શરીરની અપેક્ષાએ જીવ અશરીરી આવીને જન્મે છે. ગર્ભ સંબંધી વિચાર :-- ગર્ભમાં આવનાર જીવ સર્વ પ્રથમ પ્રારંભમાં માતા પિતાના રજ અને વીર્યથી મિશ્રિત પુદ્ગલનો આહાર કરે છે પછી માતા દ્વારા કરેલ આહારનો એક અંશ સ્નેહના રૂપમાં ગ્રહણ કરી તેના આહાર કરે છે. માતાના શરીરથી સંબંધિત એક રસહરણી નાડી સંતાનના શરીરને સ્પર્શતી રહે છે અને સંતાનના નાભી સ્થાનમાં એક રસ હરણી નાડી હોય છે, જે માતાના શરીર સાથે સ્પર્શેલી રહે છે. આ બન્ને નાડિઓ દ્વારા સંતાનના શરીરમાં આહારનો પ્રવેશ અને પરિણમન થાય છે તથા ચય ઉપચય થઈને શરીર વૃદ્ધિ થાય છે. આ રસ હરણીથી પ્રાપ્ત થયેલ આહાર ઓજાહાર રૂપ છે. એનું સંપૂર્ણ પરિણમન થાય છે. મળ આદિ બનતા નથી. એટલા માટે ગર્ભગત જીવને મળ, મૂત્ર, ભગવતી સૂત્રઃ : શતક-૧ Jain Education International For Private & Personal Use Only ૩૫ www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy