________________
આ સૂક્ષ્મ સ્નેહકાય અપકાયના જીવ મય હોય છે કે સ્નેહિલ વાયુ મય હોય છે અથવા અચિત્ત હોય છે. ઇત્યાદિ સ્પષ્ટીકરણ અહીં સૂત્રમાં કરવામાં આવેલ નથી. જો સચિત અપકાયમય છે તો પણ અત્યંત સૂક્ષમ છે. ચર્મચક્ષુથી જોઈ પણ ન શકાય અને પોતાની રીતે શીધ્રતાથી નીચે પડતાંજ નાશ પામી જાય છે તેનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે.
તેથી સંયમના નિયમોમાં આનો કાંઈ પણ સંબંધ થતો નથી. અચેલ, નિર્વસ્ત્ર અને જિનકલ્પી તેમજ પડિમાધારી સાધુ પણ સૂર્યાસ્ત સુધી વિહાર કરી શકે છે. રાત્રે મલ-મૂત્ર ત્યાગ માટે નિર્વસ્ત્ર અને સવસ્ત્ર બન્ને પ્રકારના સાધકો ગમનાગમન કરી શકે છે. તેમના કાર્યોમાં કે કલ્પમાં વસ્ત્રના અભાવમાં પણ અવરોધ હોવાનો કોઈ પણ આગમમાં ઉલ્લેખ નથી.
દશાશ્રુતસ્કંધ સૂત્રમાં પડિમાધારી શ્રમણના વર્ણનથી એવા પ્રકારનો નિર્ણય થાય છે કે આ સૂક્ષ્મ સ્નેહકાય સૂમપાણી સ્વરૂપ હોય છે.
આ સૂક્ષ્મ સ્નેહકાયને કારણે કોઈ પરંપરાઓમાં શ્રમણોને રાત્રે ખુલ્લા સ્થાનમાં બહાર જવા માટે અને કયારેક ક્યારેક દિવસે પણ ગૌચરી આદિજવા માટે કાંબળી ઓઢીને જ જવાનો નિયમ બતાવવામાં આવે છે. તેમજ બીજી પરંપરામાં કાંબળીના સ્થાને વસ્ત્ર ઓઢવાનો નિયમ બતાવવામાં આવે છે. આ બધા પરંપરાના નિયમ છે. વાસ્તવમાં જૈનાગમ વસ્ત્ર રાખવાનો નિયમ એકાંતે કરતા નથી. તે તો સાધકને વસ્ત્ર ત્યાગ કરીને ક્રમશઃ અચેત રહેવાની પ્રેરણા કરે છે. આ રીતે અચેલ-નિર્વસ્ત્ર રહેવાના પ્રેરક શાસ્ત્રમાંથી વસ્ત્ર કે કાંબળી ઓઢવાના એકાંતિક નિયમો થઈ શકતા નથી. છતાં ય વસ્ત્રના આગ્રહયુક્ત એવા નિયમોની પરંપરા ચાલી રહી છે તે સમીક્ષા કરવા જોગ જરૂર છે. આ વિષયની વિસ્તૃત જાણકારી ચર્ચાવિચારણા માટે જુઓ– ગુજરાતી સારાંશ ખંડ-૪ અને ૮. ત્યાં સૂત્ર પ્રમાણોની સાથે વિશ્લેષણ કરવામાં આવેલ છે.
ઉદ્દેશકઃ ૦) (૧) જીવ જ્યાં પણ જન્મ લે છે અથવા જ્યાંથી પણ મરે છે તે સર્વ આત્મા પ્રદેશોથી ઉત્પન્ન થાય છે અને મરે છે. તે સ્થાનના પ્રારંભિક ગ્રહણ કરવા યોગ્યસર્વઅવગાહન સ્થાનને જન્મ સમયે ગ્રહણ કરે છે અને ગ્રહણ કરેલ સ્થાનને મૃત્યુ સમયે છોડે છે.
આહાર પણ જીવપરિણમન અપેક્ષાએ સર્વ આત્મપ્રદેશોથી કરે છે. અર્થાત ઓજાહાર, રોમાહાર અને કવલાહારનો પરિણમન રૂપ આહાર સર્વાત્મના હોયછે. ગ્રહણ કરેલ આહાર પુદ્ગલોના ઓજાહાર, રોમાહારની અપેક્ષાએ સંપૂર્ણ આહાર પરિણમન થાય છે. કવલાહારની અપેક્ષાએ ગ્રહણ કરેલ આહારનો સંખ્યાતમો ભાગ પરિણમન થાય છે. અનેક સંખ્યાતા ભાગ શરીરમાં પરિણત ન થતાં એમ જ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત|
ઉજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org