________________
તાપિતા અને પ્રકાશિત કરે છે. (૨) લોક અલોકને અને અલોક લોકને કિનારાઓ પર છએ દિશાઓથી સ્પર્શ કરે છે. તેવી જ રીતે દ્વીપ અને સમુદ્ર; તડકો અને છાયા; વહાણ અને પાણી; વસ્ત્ર અને છિદ્ર આદિ આ બધાંએ એક બીજાનાં કિનારાઓથી છ એ દિશાઓમાં સ્પર્શ કરેલ હોય છે. (૩) જીવને ૧૮ પાપ કોઈ પણ કરણ અને યોગથી અને પોતાના કરવાથી લાગે છે. પાપ કર્યા વગર અથવા બીજાના કરવાથી પાપ લાગતા નથી. તેમ છતાં અવ્રતની ક્રિયામાં ત્યાગ ન હોવાથી પાપના અનુમોદનની પરંપરા ચાલુ રહે છે. (૪) લોક-અલોક, જીવ-અજીવ,ભવી અભવી, નરક-પૃથ્વી આદિ,ધનોદધિઆદિ, દ્વીપ, સમુદ્ર, પર્વત, શરીર, કર્મ, વેશ્યા આદિમાં કોઈ કોઈથી પહેલાં થયા અથવા પાછળ થયા, પહેલાં હતા અથવા પાછળ હતા, એવું કાંઈ પણ હોતું નથી. આ બધા શાશ્વત = હંમેશા રહેનારા પદાર્થ છે. જેમ કે કુકડી અને ઈડા; આમાં કોઈ પહેલા કે પછી કહી શકાય નહિ. બને અનાદિ પરંપરાથી ચાલ્યા આવે છે. ભગવાનના અંતેવાસી શિષ્યરોહા અણગારના પ્રશ્નોત્તરના સારરૂપ આ વિષય છે. (૫) લોક સંસ્થિતિ:- આઠ પ્રકારની લોક સંસ્થિતિ છે– ૧. આકાશના આધાર પરવાયુ છે. ૨. વાયુના આધાર પર પાણી છે. ૩. પાણીના આધાર પર પૃથ્વી છે. ૪. પૃથ્વી પર ત્રણ-સ્થાવર જીવો છે. ૫. અજીવ જીવ પ્રતિષ્ઠિત છે. (શરીર આદિ) . જીવ(કર્માધીન) કર્મવશ છે. ૭. અજીવનો જીવોએ સંગ્રહ કરી રાખ્યો છે. ૮. જીવનો કર્મોએ સંગ્રહ કરી રાખ્યો છે, રોકી રાખ્યો છે.
મશકમાં પાણી અને હવા વિશિષ્ટ પ્રકારે ભરવામાં આવે ત્યારે હવા પર પાણી રહી શકે છે. હવા ભરેલી મશકને પીઠમાં બાંધીને પાણી પર તરીને પાર પહોંચી શકાય છે. આ હવાના આધારે લોકસંસ્થિતિને સમજાવવા માટે દષ્ટાંત છે.
આપણે જે પૃથ્વી પર છીએ તેની નીચે ધનોદધિ છે, તેની નીચે ધનવાત છે, તેની નીચે તનુવાત છે અને તેની નીચે કેવલ આકાશ છે. (૬) તળાવમાં બૂડેલ નાવ જે રીતે પાણીમાં એકમેક થઈને રહે છે. તે રીતે જીવ અને પુદ્ગલ આપસમાં એક-મેક થઈને લોકમાં રહે છે. (૭) સ્નેહ કાય:- સૂક્ષ્મ સ્નેહ કાય. વરસાદના દિવસોમાં જે સીલ–સંધમય હવા હોય છે, તેનાથી પણ અત્યંત સૂક્ષ્મ એક પ્રકારની સ્નેહ કાય હોય છે. જે ૨૪ કલાક બારેમાસનિરંતરપડતી રહે છે. અર્થાત્ લોકમાં એક પ્રકારના અત્યંત સૂક્ષ્મ સ્નેહિલ શીત પુદ્ગલ જે પાણીના જ સૂક્ષ્મ-સૂક્ષ્મતર કોઈ પર્યાય રૂપ છે; તે પડતાં જ રહે છે. પરંતુ જે પ્રકારે ઓસ(ઝાકળ) આદિએકત્ર થઈને પાણીના ટીપારૂપ બની જાય છે. તે પ્રકારે આ સૂક્ષ્મ સ્નેહ કાયથી થઈ શકતું નથી; એ તો પોતાની રીતે જ તત્કાલનાશ થઈ જાય છે. ભગવતી સૂત્રઃ શતક-૧
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org