SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરોપમની સ્થિતિ હોય છે. મનુષ્ય તિર્યંચમાં અંતર્મુહૂર્ત પછી સમયાધિક સર્વ સ્થિતિઓ સમજવી અને ઉત્કૃષ્ટ પોત-પોતાની સ્થિતિ અનુસાર જાણવી. જઘન્ય સ્થિતિના નૈરયિક શાશ્વત મળે છે. એક સમયાધિકથી લઈને સંખ્યાત સમયાધિક સુધીના નૈરયિક કયારેક હોય છે કયારેક નથી હોતા અર્થાત્ અશાશ્વત છે. અસંખ્ય સમયાધિકથી લઈને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના નૈરયિક શાશ્વત મળે છે. સાતે નરક, ૧૦ ભવનપતિ, વ્યંતર, જયોતિષી, વૈમાનિક, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્ય બધામાં જઘન્ય સ્થિતિ પછીના સંખ્યાત સમયાધિક સુધીના સ્થિતિ સ્થાન અશાશ્વત છે. પાંચ સ્થાવરમાં જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી બધા સ્થિતિ સ્થાન શાશ્વત છે. મનુષ્યમાં સર્વ જઘન્ય સ્થિતિ સ્થાન પણ અશાશ્વત છે. (૩) અવગાહના સ્થાન :- બધા દંડકોમાં અસંખ્ય અવગાહના સ્થાન છે. જેમાં જઘન્યથી લઈને સંખ્યાત પ્રદેશાધિક સુધીના અવગાહના સ્થાન અશાશ્વત છે. બાકીના બધા અવગાહના સ્થાન શાશ્વત છે. પાંચ સ્થાવરમાં સર્વ અવગાહના સ્થાન શાશ્વત છે, અશાશ્વત નથી. (૪) શરીર ઃ- ૨૪ દંડકમાં જેમના જેટલા શરીર છે તે બધા શાશ્વત મળે છે. કેવળ મનુષ્યમાં આહા૨ક શરીર અશાશ્વત છે. (૫) સંહનન, સંસ્થાનઃ—જેદંડકમાં જેટલા—જેટલા સંઘયણ, સંસ્થાન છે તે બધા શાશ્વત છે. (૬) લેશ્યા ઃ— જે દંડકમાં જેટલી લેશ્યા છે તેમાં પૃથ્વી, પાણી, વનસ્પતિમાં તેજો લેશ્યા અશાશ્વત છે; શેષ બધી લેશ્યાઓ શાશ્વત છે. (૭) દૃષ્ટિ -- જે દંડકોમાં જેટલી દૃષ્ટિ છે, તેમાં મિશ્ર દૃષ્ટિ સર્વત્ર(૧૬ દંડકમાં) અશાશ્વત છે અને ત્રણ વિકલેન્દ્રિયમાં સમ્યગ્દષ્ટિ અશાશ્વત છે. (૮) જ્ઞાન અજ્ઞાન :– જે દંડકમાં જેટલા જ્ઞાન-અજ્ઞાન છે તેમાં વિકલેન્દ્રિયમાં બે જ્ઞાન અશાશ્વત છે. બાકીના બધામાં બધા જ્ઞાન અને અજ્ઞાન શાશ્વત છે. અર્થાત્ મનુષ્યમાં મન:પર્યવજ્ઞાની આદિ પાંચે જ્ઞાન શાશ્વત છે. = (૯) યોગ, ઉપયોગ :– ત્રણ યોગ અને બે ઉપયોગમાંથી જયાં જેટલા છે. તે બધા શાશ્વત છે. દંડકોમાં શરીર, અવગાહના, લેશ્યા આદિ કેટલા હોય તેનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રથમ પ્રતિપતિથી જાણી લેવું. [ નોંધ ઃ આ શાશ્વત, અશાશ્વત બોલોમાં કષાયના ભંગ સંબંધી તાત્ત્વિક કથન માટે જુઓ – પરિશિષ્ટ ઃ ૧ ઉદ્દેશક ઃ ૬ (૧) સૂર્ય જેટલો સૂર્યોદયના સમયે દૂર હોય છે, અસ્તના સમયે પણ એટલો જ દૂર હોય છે. તે જેટલો તાપ અથવા પ્રકાશ ઉદયના સમયે કરે છે, તેટલો જ તાપ-પ્રકાશ અસ્તના સમયે કરે છે. સૂર્યના કિરણો તે તે ક્ષેત્રને બધી દિશાઓથી સ્પર્શ કરતાં ૩ર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy