________________
તે અનુસાર જીવ પોતાના કર્મના ફળને ભોગવીને જ મુક્ત થશે. (૯) જીવ, પરમાણુ અને સ્કંધ આ ત્રિકાલિક સારવત પદાર્થ છે. લોકમાં તેનો અભાવ થતો નથી. (૧૦) જીવ સર્વજ્ઞ સર્વદર્શી બનીને જ સિદ્ધ થાય છે. છપ્રસ્થજીવ કોઈ સિદ્ધ થતા નથી. ભલે અવધિજ્ઞાની હોય, પરમાવધિજ્ઞાની હોય, મન:પર્યવજ્ઞાની અથવા ચાદ પૂર્વધર હોય, તાત્પર્ય એ છે કે, છદ્મસ્થાવસ્થાથી (ડાયરેકટ) સીધા કોઈ મુક્ત ન થાય પરન્તુ પરંપરાથી કેવલી બની (સર્વજ્ઞ-સર્વદર્શી બની) મુક્ત થઈ શકે છે, આ સૈકાલિકસિદ્ધાંત છે. (૧૧) સર્વજ્ઞ સર્વદર્શી કેવલી “અલમસ્તુ' કહેવાય છે. અર્થાત્ જેમણે મેળવવા યોગ્ય સર્વજ્ઞાનાદિગુણ પ્રાપ્ત કરી લીધા છે. જેમને માટે પ્રાપ્ત કરવા યોગ્ય કાંઈપણ અવશેષ નથી રહ્યું તે પરિપૂર્ણ જ્ઞાની અસમતુ સંજ્ઞક છે.
(ઉદ્દેશકઃ ૫) (૧) ૨૪ દંડકના આવાસ :- નરકાવાસ- સાત નરકમાં ક્રમથી આ પ્રમાણે નરકવાસથાયછે– (૧) ત્રીસ લાખ, (૨) પચ્ચીસ લાખ, (૩) પંદરલાખ, (૪) દસ લાખ, (૫) ત્રણ લાખ (ડ) એક લાખમાં પાંચ ઓછા (૭) સાતમી નરકમાં પાંચ નરકાવાસ છે. ભવનપતિ દેવોના આવાસઃ- દક્ષિણદિશામાં– ૧. અસુરકુમાર- ૩૪ લાખ, ૨. નાગકુમાર– ૪૪ લાખ, ૩. સુવર્ણકુમાર– ૩૮ લાખ, ૪. વાયુકુમાર- ૫૦ લાખ, શેષ બધાના ૪૦-૪૦ લાખ ભવનાવાસ છે.
- ઉત્તરદિશામાં–૧. અસુરકુમાર- ૩૦ લાખ, ૨. નાગકુમાર-૪૦લાખ, ૩. સુવર્ણકુમાર- ૩૪ લાખ, ૪. વાયુકુમાર- ૪૬ લાખ, શેષ બધાનાં ૩-૩૬ લાખ ભવનાવાસ છે.
પાંચસ્થાવર,ત્રણવિકલેન્દ્રિય,તિર્યંચ, મનુષ્યનાઆવાસ,વ્યંતરનાનગરાવાસ, જયોતિષીના વિમાનાવાસ અસંખ્ય-અસંખ્ય છે. વૈમાનિકદેવલોકમાં – ક્રમથી આ પ્રમાણે વિમાન સંખ્યા છે– (૧) બત્રીસ લાખ, (૨) અયાવીસ લાખ, (૩) બાર લાખ, (૪) આઠ લાખ, (૫) ચાર લાખ, (૬) પચ્ચાસ હજાર, (૭) ચાલીસ હજાર, (૮) છ હજાર, (૯-૧૦) ચારસો, (૧૧-૧૨) ત્રણસો, રૈવેયકમાં–૧૧૧,૧૦૭ અને ૧૦૦ વિમાન છે. પાંચ અનુત્તર વિમાનમાં પાંચ વિમાન છે. (૨) સ્થિતિ સ્થાન :- ચોવીસે ય દંડકમાં અસંખ્ય સ્થિતિ સ્થાન છે. અર્થાત્ નરક અને દેવમાં ૧૦૦૦૦ વર્ષ પછી એક સમય અધિક, કે બે સમય અધિક તેમ જ સંખ્યાત-અસંખ્યાત સમય અધિક તેમ સર્વ સ્થિતિઓ હોય છે અને ઉત્કૃષ્ટ ૩૩ ભગવતી સૂત્રઃ શતક-૧
૩૧
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org