SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેક શિષ્ય અને સાધકોએ પણ શરૂઆતથી જ સ્વયં આ પ્રકારે અજેય અને સુરક્ષિત બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમજ અશ્રદ્ધા અન્ય પ્રત્યેક પરિસ્થિતિમાં શ્રદ્ધાના અમોધ શસ્ત્ર રૂપ આ વાકયને મનમાં તૈયાર રાખવું જોઈએ કે- ભગવદ્ ભાષિત તત્ત્વ સત્ય જ છે, તેમાં શંકા કરવા યોગ્ય કાંઈ જ નથી (ઉદેશકઃ ૪) (૧) કર્મપ્રકૃતિના ભેદ અને તેના વિપાક(ફળ) આદિનું વર્ણન પ્રજ્ઞાપના પદ-ર૩, ઉદ્દેશક–૧ અનુસાર સમજવું (૨) મોહનીય કર્મ(મિથ્યાત્વ મોહનીયની અપેક્ષા)ના ઉદયમાં જીવ પરલોક જાય છે, તે સમયે તે પંડિતવીર્યવાળો અને બાલ પંડિતવીર્યવાળો હોતો નથી. પરંતુ બાલ વીર્યવાળો હોય છે અને બાલવીર્યમાં કાળ કરીને પરલોકમાં જાય છે.. (૩) મોહનીય કર્મના ઉદયથી(સંયમી) જીવ પતનને પ્રાપ્ત કરે છે, ત્યારે કોઈ સંયમથી શ્રમણોપાસક અવસ્થામાં જાય છે. તો કોઈ અસંયમ અવસ્થામાં જાય છે. (૪) મોહનીય કર્મનો ઉપશમ થવાથી જીવ પ્રગતિ(વિકાસ) કરે છે. ત્યારે કોઈ શ્રાવક અવસ્થામાં જાય છે, તો કોઈ સંયમ અવસ્થામાં જાય છે. (૫) આ પતન અને પ્રગતિ જીવ પોતે જ કરે છે. બીજાના કરવાથી થાય નહિં. (૬) મોહનીયકર્મના ઉદયથી જીવની પરિણતિ બદલાઈ જાય છે. તે જેમ પહેલાં શ્રદ્ધા-રુચિથી ધર્માચરણ આદિ કરે છે, તેમ પછી શ્રદ્ધા-રુચિ આચરણ તેના રહેતા નથી. એવો જ આ મોહ કર્મનો ઉદય પ્રભાવ હોય છે. (૭) કરેલા કર્મભોગવ્યા વિના છુટકારો થતો નથી. તેમાં સૈદ્ધાન્તિકવિકલ્પ એ છે કે– બંધાયેલા બધા કર્મ, પ્રદેશથી ભોગવવા આવશ્યક હોય છે અને વિપાકથી ભોગવવામાં વિકલ્પ હોય છે. અર્થાત્ કેટલાક કર્મ વિપાકોદય વિના જ નષ્ટ થઈ જાય છે. તેના ત્રણ કારણ છે. (૧) તે એવા જ પ્રકારના મંદ રસથી બંધાયેલા હોય (ર) તે કર્મને અનુકૂળ બાહ્યસંયોગ ન મળે (૩) વિશિષ્ટતપ-ધ્યાનથી નાશ પામી જાય. જેમ કે–૧. ચરમ શરીરી તીર્થકર, ચક્રવતી આદિના ભવમાં બંધાતા અનેક કર્મ મંદ પરિણામવાળા હોવાથી પ્રદેશ ઉદયથી જ નાશ થાય છે. ૨. નરકમાં તીર્થકર નામ કર્મ, અણુત્તર વિમાનવાસી દેવમાં સ્ત્રીવેદનો સંયોગ હોતો નથી. ૩. બવ વોદિ સંવિર્ય તવા નિઝરિન્ન કરોડો ભવનાસંચિત કરેલા સામાન્ય અને નિકાચિત કર્મ પણ તપથી ક્ષય થઈ જાય છે. (૮) સર્વજ્ઞ સર્વદર્શી ભગવાન સ્પષ્ટ જાણે છે કે અમુક જીવ પોતાના કર્મકઈ કઈરીતે ભોગવશે.જેમકે પ્રદેશથી અથવાવિપાકથી, તપઆદિથી,અભ્યપગમિકી ઉદીરણાથી (લોચ આદિથી) અથવા સ્વાભાવિક ઉદયથી અમુક અમુક કર્મોને ભોગવશ. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy