________________
(ઉદ્દેશક : ૨ (૧) જીવ પોતેજ કર્મ બાંધે છે અને પોતે જ ભોગવે છે. પરન્તુતે ત્યાં સુધી જ કર્મોના ફળથી અલગ રહે છે કે જ્યાં સુધી તે કર્મ ઉદયમાં આવતા નથી. આયુષ્ય કર્મ પણ
જ્યાં સુધી ઉદયમાં આવતા નથી ત્યાં સુધી જીવ તે બાંધેલા નરક આદિ આયુષ્ય સંબંધી દુઃખોથી દૂર રહે છે. અર્થાત્ કર્મ બાંધ્યા બાદ પણ જીવ કેટલાક સમય સુધી તે કર્મના ઉદયથી બચીને રહે છે. (ર) પ્રજ્ઞાપના પદ–૧૭, ઉદેશક–૧ અને ૨ અનુસાર લેશ્યા સંબંધી સંપૂર્ણ વર્ણન છે. અર્થાત્ ચોવીસ દંડકના સલેશી જીવોનો આહાર, કર્મ, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા, આયુષ્યની સમાનતા-અસમાનતા સંબંધી વર્ણન અને ચોવીશદંડકના જીવોની લેશ્યા અને તેનું અલ્પ બહુવઆદિ વર્ણન ત્યાં પ્રજ્ઞાપના સૂત્રમાં છે. (૩) જીવનો સંસારમાં રહેવાનો કાળ ચાર પ્રકારનો છે–૧.નરકના રૂપમાં રહેવાનો સંસાર કાળ ૨. તિર્યંચ રૂપમાં રહેવાનો સંસાર કાળ ૩. મનુષ્ય રૂપમાં રહેવાનો સંસાર કાળ૪. દેવરૂપમાં રહેવાનો સંસાર કાળ. અલ્પબદ્ભુત્વઃ- જીવના સંસાર કાળમાં સર્વથી અલ્પકાળ મનુષ્ય અવસ્થાનો છે. નરક અવસ્થાનો સંસાર કાળ તેનાથી અસંખ્ય ગુણો છે. દેવરૂપનો કાળ તેનાથી પણ અસંખ્ય ગુણો છે અને તેનાથી તિર્યંચ રૂપ સંસારકાળ અનંત ગુણો છે. (૪) આ સંસારકાળની અન્ય ત્રણ પ્રકારે વિચારણા કરવામાં આવી છે.– ૧. શૂન્યકાળ ૨. અશૂન્યકાળ ૩. મિશ્રકાળ. અશુન્ય કાળઃ- જેટલા સમય સુધી નિરંતરતે ગતિમાં એક પણ જીવ અન્યગતિથી આવે નહિં અને તે ગતિથી એક પણ જીવનિકળી (મરી)ને અન્ય ગતિમાં જાય નહિં, જેટલી સંખ્યા હોય તેટલી જ રહે એવા કાળને અશૂન્યકાળ કહેવાય છે. શૂન્ય કાલ – અપેક્ષિત કોઈ સમયમાં જે જીવતે ગતિમાં છે. તે તમામનિકળી જાય અને તેમાંથી એક પણ જીવ જ્યાં સુધી તે ગતિમાં પાછો ન આવે, બધા નવા જીવ જ રહે એવા કાલને શૂન્યકાલ કહે છે. મિશ્ર કાલ – અપેક્ષિત કોઈ સમયના જીવોમાંથી એક પણ જીવબાકી રહે અથવા નવા એક પણ જીવ આવી જાય એવી મિશ્ર અવસ્થા જેટલા પણ સમય સુધી રહે, તે મિશ્રકાલ છે અર્થાત્ તે કાળ અશૂન્યકાલની પરિભાષામાં પણ ન આવે અને શૂન્યકાલની પરિભાષામાં પણ ન આવે, પરંતુ તેનું સ્વતંત્ર જમિશ્ર સ્વરૂપ હોય છે.
- શૂન્યકાલ તિર્યંચગતિમાં હોતો નથી. કારણ કે તેમાં રહેલા સર્વ જીવો અનંત છે. તે નીકળીને ત્રણ ગતિમાં સમાયશકતા નથી. બાકીની ત્રણ ગતિમાં–શૂન્યકાળ હોય છે કેમ કે જીવ લાંબાકાલ સુધી તિર્યંચમાં રહે છે તો ત્રણ ગતિઓમાં શૂન્યકાળ બની જાય છે. અશૂન્ય અને મિશ્રકાલ ચારે ગતિમાં હોય છે.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org