SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) સૂક્ષ્મ અને બાદર અર્થાત્ નાના-મોટા વિવિધ પ્રકારના કર્મ દ્રવ્ય વર્ગણાના પુદ્ગલોનું અને આહાર દ્રવ્ય વર્ગણાનાં પુદ્ગલોનું ભેદન, ચય આદિ થાય છે. ઉદ્ધવર્તન, અપવર્તન, સંક્રમણ, નિધત્તિકરણ,નિકાચિત કરણ અણુ અને બાદર કર્મ પુદ્ગલોમાં થાય છે. અર્થાત્ કર્મવર્ગણામાં અણુ-બાદર વિવિધ પુદ્ગલ હોય છે. (૫) બંધ, ઉદય, ઉદીરણા અચલિત કર્મની થાય છે; અપવર્તન સંક્રમણ આદિપણ અચલિત કર્મના થાય છે; ફક્ત નિર્જરા જ ચલિત થયેલ કર્મની થાય છે. આ પ્રકારે ચોવીસ દંડકની અપેક્ષાએ પણ ઉક્ત સંપૂર્ણ વિષય સમજી લેવાનો. આહાર,ઉશ્વાસ, સ્થિતિઆદિનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રનાવિભિન્ન પદોથી, અહીં પણ ચોવીસ દંડકમાં સમજી લેવું. (૬) સ્વયં આરંભ(હિંસાદિ આશ્રવ) કરનાર આત્મારંભી છે, બીજાને આરંભમાં જોડનાર પરારંભી છે અને ત્રીજો ભેદ ઉભયારંભીનો છે. ત્રેવીશ દંડકના જીવોમાં આ ત્રણ ભેદ મળે છે. મનુષ્યમાં આ ત્રણ ઉપરાંત અનારંભીનો એક ભેદ વિશેષ મળે છે. શુભયોગી પ્રમત્ત સંયત અને બધા અપ્રમત્ત સંયત અનારંભી હોય છે. તે સિવાયના બધા સંયત, અસંયત, અનારંભી હોતા નથી. સલેશી અને ત્રણ શુભલેશ્યાવાળા સમુચ્ચય જીવ અને મનુષ્યમાં આરંભીના ચારે ભેદ મળી શકે છે. બાકીના બધા દંડકોમાં પોત-પોતાની લેશ્યાની અપેક્ષાએ પણ આરંભી આદિત્રણ ભેદ હોય છે; પણ અનારંભી હોતા નથી. તેજો, પદ્મ, શુકલ લેશી વૈમાનિકમાં પણ આરંભી આદિત્રણ ભેદો હોય છે, અનારંભી નહિં. એનું રહસ્ય એ છે કે છઠ્ઠા(પ્રમત્ત) ગુણસ્થાન સુધીના જીવોને પ્રમાદયોગના કારણે સૂક્ષ્મ હિંસા જન્ય ક્રિયા ચાલુ જ રહે છે. (૭) જ્ઞાન અને દર્શન આપૂરાભવ સુધી પણ રહી શકે છે અને પરભવમાં પણ સાથે ચાલી શકે છે. ચારિત્ર અને તપ આ ભવ સુધી જ રહે છે. અર્થાત્ સંયત અવસ્થામાં પણ મરનાર મૃત્યુ પછી તુરંત અસયત બની જાય છે. સંથારા રૂપ આજીવન તપ કરનાર પણ મરણ પામ્યા પછી તુરંત તપ રહિત થઈ જાય છે. (૮) અસંવૃત અણગાર અને અન્ય અસંવૃત આત્માઓ મુક્તિ પ્રાપ્ત કરતા નથી પરન્તુ તે સાત અથવા આઠ કર્મોનો પ્રકૃતિ બંધ આદિ ચારે પ્રકારના બંધની વૃદ્ધિ કરીને સંસાર ભ્રમણની વૃદ્ધિ કરે છે. - સંવૃત અણગાર–આશ્રવને રોકનારા સુસાધુ જ ક્રમશઃ કર્મ પરંપરાને અટકાવીને અને ક્ષય કરીને મુક્તિ પ્રાપ્ત કરે છે. તમામ દુઃખોનો અંત કરે છે. (૯) અસયત-અવિરત જીવ પણ દેવગતિમાં જઈ શકે છે. જે અનિચ્છાથી ભૂખતરસ, ડાંસ-મચ્છર, ગરમી-શરદી, મેલ, પરસેવા આદિના કષ્ટ સહન કરે છે તે વ્યતર જાતિનાં દેવ બની શકે છે. તે દેવ દેવઋદ્ધિ સમ્પદા અને દેવીઓના પરિવાર સહિત સુખાનુભવ કરે છે અને ઉત્કૃષ્ટએક પલ્યોપમ સુધીદેવ ભવમાં રહી શકે છે. ઓછામાં ઓછી તે ત્યાંદસ હજાર વર્ષની ઉંમર પ્રાપ્ત કરે છે. ભગવતી સૂત્રઃ શતક-૧ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy