________________
અવસર્પિણીના ૪ પ્રકાર છે– (૧) પહેલા આરાના પ્રારંભના સમાન કાળ. (ર) બીજા આરાના પ્રારંભના સમાન કાળ (૩) ત્રીજા આરાના પ્રારંભના સમાન કાળ (૪) ચોથા આરાના પ્રારંભના સમાન કાળ. તથા એવા જ ભાવ જયાં હોય તે ચાર પ્રકારના ક્ષેત્ર ક્રમશઃ આ છે– (૧) દેવ કુ-ઉત્તર કુરુ (૨) હરિવાસ-રમ્યગુવાસ. (૩) હેમવત હેરણ્યવત્ (૪) મહાવિદેહ ક્ષેત્ર. આ ક્ષેત્રમાં જન્મ, સદ્ભાવ(હોવું) અને સંહરણ એમ ત્રણ અપેક્ષાથી નિર્ગસ્થ અથવા સંયતનું વર્ણન કરવામાં આવે છે. તેરમે ગતિ દ્વાર :- આ દ્વારમાં ૩ વિભાગ છે– (૧) ક્યાં જાય? બધા નિયંઠા વૈમાનિકમાં જ જાય. (૨) કેટલી સ્થિતિ મેળવે?૨ પલ્ય (અથવા અનેક પલ્ય) થી લઈને ૩૩ સાગર સુધી યથાયોગ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે. (૩) કેટલી પદવી મેળવે? ઈન્દ્ર, સામાનિક, ત્રાયન્ટિંશક લોકપાલ અને અહમેન્દ્ર આ પાંચ પદવી છે. એમાંથી આરાધકને જયથાયોગ્ય પદવી પ્રાપ્ત થાય છે. વિરાધના કરનારને આ પદવી પ્રાપ્ત થતી નથી. નિર્ઝન્થની ગતિની પૃચ્છા હોવા છતાં પણ આરાધના વિરાધનાના વિકલ્પનિકટતમ ભૂત અથવા ભવિષ્ય કાળની અપેક્ષાથી સમજવું અર્થાત્ નિયમ પ્રમાણે પ્રતિસેવી કહેવાયેલા નિયંઠા અંતિમ સમયમાં શુદ્ધિ કરી લે તો એનિયંઠામાં આરાધનાનો વિકલ્પ સમજવો અને અપ્રતિસેવી નિર્ઝન્થ અંતિમ સમયે કોઈ પ્રતિસેવના અવસ્થામાં આવી જાય તો તે, એ અપ્રતિસેવી નિયંઠાના વિરાધનાનું વિકલ્પ ગણાશે. આ આરાધનાવિરાધનાનાવિકલ્પ પદવી પ્રાપ્તિના પ્રશ્નના ઉત્તરમાં છે. મૂળ પૃચ્છામાં નિર્ગસ્થ અને એની ગતિ જ છે. જે કેવળ વૈમાનિકની જ છે. એટલે આરાધના વિરાધનાના વિકલ્પવાળા પણ નિર્ચન્થ તો છે જ. એમને નિર્ઝન્થ અવસ્થાથી બહારવાળા સમજવા નહીં કારણ કે ત્રણ ગતિ અને ત્રણ દેવોના સ્પષ્ટ નિષેધ સુત્રમાં પહેલાંથી જ કરવામાં આવ્યા છે. એટલે વિરાધનાના વિકલ્પમાં પદવી વિનાની અવસ્થા પણ વૈમાનિક દેવોની જ સમજવી. ભવનપતિ વિગેરે આ ગતિ દ્વારના અવિષય ભૂત છે. એટલે એમને સમજવા નહીં. કારણ કે ગતિ દ્વારની પૃચ્છામાં મૂળભૂત ભવનપતિ વિગેરેનો સ્પષ્ટ નિષેધ કરી દેવામાં આવ્યો છે. ચૌદમું સંયમસ્થાન દ્વારઃ- સંયમની શુદ્ધિ તથા અધ્યવસાયોની ભિન્નતાઓથી સંયમ સ્થાનોની તારતમ્યતા થાય છે. એના અનેક સ્થાન બને છે. તે સંયમના વિભિન્ન સ્થાન જ “સંયમ સ્થાન” કહેવાય છે. કુલ સંયમ સ્થાન અસંખ્ય હોય છે. કષાય રહિત અવસ્થા થઈ ગયા પછી સંયમ સ્થાન સ્થિર થઈ જાય છે. અર્થાત અકષાયવાળાઓનું એક જ સંયમ સ્થાન હોય છે. એટલે નિર્ઝન્થ અને સ્નાતકના સંયમ સ્થાન એક જ હોય છે. બાકી ચારના અસંખ્ય સંયમ સ્થાન હોય છે. એ અસંખ્યમાં પણ હીનાધિકતા હોય છે. જેને ચૌઠણ વડિયા કહેવાય છે. પંદરમું સંનિકર્ષ(પર્યવ) દ્વારઃ- સંયમના પર્યવને નિકર્ષ કહેવાય છે. સંયમ પરિણામોના વિભાગો, સ્થાનોને સંયમ સ્થાન કહેવાય છે અને સંયમ ધનનું, સંયમ ગુણોનું, સંયમ ભાવોનું જે સંચય આત્મામાં થાય છે, તે સંયમના પર્યવ કહેવાય છે. | ર૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org