________________
અવગાહનઃ—જીવના આત્મપ્રદેશતો કૃતયુગ્મછે. પરંતુ શરીર અનુસાર અવગાહન કરે છે. એટલે એક જીવના અવગાહન પ્રદેશ કૃતયુગ્મ વિગેરે કોઈ પણ યુગ્મ થઈ શકે છે. બહુવચનમાં ઓઘાદેશથી કડજુમ્મ પ્રદેશ અવગાહન (લોક પ્રમાણ) છે અને વિભાગાદેશથી કોઈમાં કંઈ, કોઈમાં કંઈ એમ ચારેય યુગ્મ થઈ શકે છે. ૧૯ દંડકમાં બહુવચનના ઓઘાવેશમાં કયારેક કોઈ, કયારેક કોઈ એમ ચારેયમાંથી કોઈ એક હોય છે. પાંચ સ્થાવર અને સિદ્ધ જીવ(સમુચ્ચય) ના સરખા છે. કારણ કે સમસ્ત પાંચ સ્થાવરોના અવગાહન સંપૂર્ણ લોક પ્રમાણ હોવાથી કૃતયુગ્મ છે અને સિદ્ધ ક્ષેત્ર ૪૫ લાખ યોજન લાંબું, પહોળું, ગોળ અને ૩૩૩ ધનુષ્ય ૩ર અંશુલ જાડું છે. તે પણ કૃતયુગ્મ(કડજુમ્મા) આકાશ પ્રદેશવાળા છે.
સ્થિતિ :– એક જીવ, અનેક જીવ, ઓઘાવેશ, વિધાનાદેશથી મૃતયુગ્મ સમયની સ્થિતિવાળા છે. નૈરયિક વિગેરે ૨૪ દંડકના એક જીવ ચારેયમાંથી એક યુગ્મની સ્થિતિવાળા હોય છે. અનેકની અપેક્ષા ઓઘાદેશથી કોઈ પણ એક સ્થિતિવાળા યુગ્મ હોય છે અને વિભાગાદેશથી ચારેય હોય છે. વર્ણાદિઃ—જીવતો અરુપી છે.શરીરની અપેક્ષા વર્ણાદિસમજવાં.એટલે ચારેયમાંથી કોઈ એક યુગ્મ કાળા વિગેરે વર્ણના હોય છે. એમ જ ૨૪ દંડકનું સમજવું. સિદ્ધમાં વર્ણાદિ હોતા નથી. અનેક જીવમાં ઓઘાદેશથી ચારેયમાંથી એક યુગ્મ કાળા ગુણ વર્ણાદિના હોય છે. વિભાગાદેશથી ચારેય યુગ્મ હોય છે. એવી રીતે જ ૨૪ દંડકમાં શરીરની અપેક્ષા સમજવું, જીવની અપેક્ષા વર્ણાદિ હોતા નથી.
મતિ જ્ઞાનાદિ : મતિ જ્ઞાનવિગેરેના અનંત પર્યવ છે. એ પર્યવની અપેક્ષા યુગ્મનું કથન છે. એક જીવની અપેક્ષા ચારેય યુગ્મમાંથી એક યુગ્મ થાય છે અને અનેક જીવમાં ઓઘાદેશથી ચારેયમાંથી એક યુગ્મ થાય છે. વિભાગાદેશથી ચારેય જ થાય છે. એવી રીતે જેમાં જે જ્ઞાન છે તે સમજવા. જીવ, મનુષ્ય તથા સિધ્ધ ત્રણેમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શનના પર્યવ કૃતયુગ્મ જ હોય છે. ત્રણ અજ્ઞાન તથા ત્રણ દર્શન મતિ
જ્ઞાન સરખા સમજવા.
સસ્ક્રેપ અકંપ જીવ : પ્રથમ સમયવર્તી સિદ્ધ બધા સકંપ હોય છે. સંસારી જીવ અશૈલેશી દેશ કંપ સર્વ કંપ, બન્ને હોય છે. અપ્રથમ સમયવર્તી સિદ્ઘ તથા શૈલેશી અણગાર અકંપ હોય છે. ૨૪ દંડકના જીવ વિગ્રહ ગતિમાં સર્વ સકંપ તથા અન્ય સમયમાં દેશ સકંપ હોય છે.
પરમાણુ વગેરેનું અલ્પબહુત્વઃ– (૧) અનંત પ્રદેશી દ્રવ્ય થોડા હોય છે. પરમાણુ એનાથી અનંતગુણ હોય છે, એનાથી સંખ્યાત પ્રદેશી સંખ્યાતગુણા અને અસંખ્યાત પ્રદેશી અસંખ્યગુણા હોય છે. આ જ ક્રમ પ્રદેશોના અલ્પબહુત્વનો હોય છે.
દશ પ્રદેશીથી નવ પ્રદેશી વધારે હોય છે. એનાથી ૮.૭.૬.૫.૪.૩.૨. પ્રદેશી ક્રમશઃ વધારે વધારે થાય છે. બે પ્રદેશીથી પરમાણુ વધારે હોય છે. આ ક્રમ દ્રવ્યોની
૨૨૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International