________________
(૧૨) કાય સંવેધ—ભવાદેશ ઃ- (૧) ૬ નારકી, ૨૦ દેવતા (આઠમા દેવલોક સુધી) આ ૨૬ જીવ મનુષ્ય તિર્યંચમાં જાય તો બધા ગમ્મામાં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. સાતમી નારકીના જીવતિર્યંચમાં જાય તો ૭, ૮, ૯ ગમ્માથી જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૪ ભવ કરે. બાકી ૬ ગમ્મામાં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ દ્ર ભવ કરે.
(૨) ૯ થી ૧૨ દેવલોક અને ત્રૈવેયકના દેવ મનુષ્યમાં જાય તો બધા ગમ્માથી જઘન્ય ૨, ઉત્કૃષ્ટ દ્ર ભવ કરે. ચાર અણુત્તર વિમાનના દેવ મનુષ્યમાં જાય તો બધા ગમ્માથી જઘન્ય૨, ઉત્કૃષ્ટ ૪ ભવ કરે. સર્વાર્થસિદ્ધના દેવ મનુષ્યમાં જાય તો પહેલા, બીજા, ત્રીજા ગમ્મા (બાકીના ૬ ગમ્મા શૂન્ય છે)થી ૨ ભવ કરે. ૧૪ દેવતા, પૃથ્વી, પાણી વનસ્પતિમાં જાય તો બધા ગમ્માથી જઘન્ય ઉત્કૃષ્ટ ૨ ભવ કરે.
(૩) પૃથ્વી વિગેરે ચાર સ્થાવર, પાંચ સ્થાવરમાં જાય અને વનસ્પતિ ચાર સ્થાવરમાં જાય તો પહેલા, બીજા, ચોથા, પાંચમા ગમ્માથી જઘન્ય ૨ ભવ ઉત્કૃષ્ટ અસંખ્ય ભવ કરે. બાકી પાંચ ગમ્મામાં જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. વનસ્પતિ, વનસ્પતિમાં જાય તો ઉક્ત (ઉપરના) ચાર ગમ્માથી જઘન્ય ર, ઉત્કૃષ્ટ અનંત ભવ કરે. બાકી પાંચ ગમ્મામાં જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે.
(૪) પાંચ સ્થાવર, ત્રણવિકલેન્દ્રિયમાં જાય અને ત્રણ વિકલેન્દ્રિય ઔદારિકના આઠ સ્થાન (પાંચ સ્થાવર ત્રણવિકલેન્દ્રિય) માં જાય તો પહેલા બીજા, ચોથા, પાંચમા ગમ્મામાં જઘન્ય બે ભવ ઉત્કૃષ્ટ સંખ્યાતા ભવ કરે. બાકી પ ગમ્મામાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. (૫) પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, આઠ જીવ મનુષ્ય તિર્યંચના ઘરમાં જાય તો સન્ની મનુષ્ય, સન્ની તિર્યંચ અને અસન્ની તિર્યંચ આ ત્રણ જીવ, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિયમાં જાય તો બધા ગમ્મામાં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. તેઉ, વાયુના જીવ મનુષ્યમાં આવતા નથી.
(૬) અસન્ની મનુષ્ય ઔદારિકના દશ સ્થાનમાં જાય તો પહેલા, બીજા, ત્રીજા ગમ્મા (૬ ગમ્મા શૂન્ય છે)માં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે.
(૭) અસન્ની તિર્યંચ, સન્ની તિર્યંચ, સન્ની મનુષ્ય ઔદારિકના બે ઘર (મનુષ્ય તિર્યંચ)માં જાય તો ત્રીજા, નવમા ગમ્માથી જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે. બાકી ૭ ગમ્મામાં જઘન્ય ૨ ભવ, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે.
(૮) અસન્ની તિર્યંચ ૧૧ દેવતા ૧ નરકમાં જાય. જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે.
(૯) સન્ની તિર્યંચ સન્ની મનુષ્ય ૬ નરક ૨૦દેવતામાં જાય તો જઘન્ય ૨, ઉત્કૃષ્ટ ૮ ભવ કરે. મનુષ્ય સાતમી નરકમાં જાય તો બધા ગમ્મામાં ૨ ભવ કરે. સન્ની તિર્યંચ સાતમી નરકમાં જાય તો ત્રીજા, છઠ્ઠા નવમા ગમ્માથી જઘન્ય ૩, ઉત્કૃષ્ટ ૫ ભવ કરે. બાકી છ (૬) ગમ્મામાં જઘન્ય ૩, ઉત્કૃષ્ટ ૭ ભવ કરે. સન્ની મનુષ્ય ચાર દેવલોક અને ત્રૈવેયકમાં જાય તો બધા ગમ્મામાં જઘન્ય ૩, ઉત્કૃષ્ટ ૭ ભવ કરે. ૪ અણુત્તર વિમાનમાં જાય તો બધા ગમ્મામાં
ભગવતી સૂત્રઃ શતક-૨૪
Jain Education International
For Private & Personal Use Only
૨૧૧
www.jainelibrary.org