SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ્મામાં અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ અનેક ધનુષની હોય છે. બાકી ૬ ગમ્મામાં એના આગમોક્ત જઘન્ય ઉત્કૃષ્ટબધી અવગાહનાઓ હોય છે. (૫) સન્ની, મનુષ્ય, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી પહેલા બીજા દેવલોક અને પહેલી નરકમાં ઉત્પન્ન થાય છે. તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ અનેક અંગુલની હોય છે. બાકી નરક દેવોના ૧૯ સ્થાનોમાં જાય તો આ ત્રણ જઘન્યના ગમ્મામાં અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ અનેક હાથની હોય છે. સાતમા, આઠમા, નવમાં ગમ્માથી જાય તો અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ હોય છે. બાકી ત્રણ (૧,૨,૩) ગમ્માથી જાય તો ઉક્ત બન્ને અવગાહનાઓના મધ્યની બધી અવગાહનાઓ થાય છે. એનાથી અતિરિક્ત ઓછી યા વધુ અવગાહના થતી નથી. (૬) યુગલિયા તિર્યંચ ચોથા, પાંચમા છઠ્ઠા ગમ્માથી ભવનપતિ, વ્યંતરમા જાય છે. તો અવગાહના જઘન્ય અનેકધનુષ ઉત્કૃષ્ટહજાર ધનુષ થાય છે. જ્યોતિષીમાં ચોથાગમાથી (પાંચમો છઠ્ઠો ગમ્યો શૂન્ય છે.) જાય તો અવગાહના જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ ૧૮૦૦ ધનુષ હોય છે. પહેલા, બીજા દેવલોકમાં ચોથા ગમાથી (પાંચમો છઠ્ઠો ગમો શૂન્ય છે) જાય તો અવગાહના જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ ક્રમશઃ૨ કોશ અનેરકોશ સાધિકહોય છે. (શેષ) બાકી ગમ્મામાં અવગાહના જઘન્ય અનેક ધનુષ ઉત્કૃષ્ટ કોશહોય છે. (૭) મનુષ્ય યુગલિયા ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્માથી ભવનપતિ વ્યંતરમાં જાય તો અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ સાધિક હોય છે. જ્યોતિષીમાં ચોથા ગમ્માથી (પાંચમો છઠ્ઠો ગમો શૂન્ય છે.) જાય તો અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ૯૦૦ ધનુષ સાધિક હોય છે. પહેલા બીજા દેવલોકમાં ચોથા ગમ્માથી (પાંચમો છઠ્ઠો ગમો શૂન્ય છે) જાય તો અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ક્રમશઃ એક કોશ અને એક કોશ સાધિક હોય છે. સાતમા, આઠમ, નવમા ગમ્માથી જાય તો અવગાહના સર્વત્ર જઘન્ય ઉત્કૃષ્ટ ૩ કોશની હોય છે. બાકીપહેલા બીજા બે ગમાથી જાય તો અવગાહના સર્વત્ર જઘન્ય પ00 ધનુષ સાધિક ઉત્કૃષ્ટ ૩ કોશની હોય છે. ત્રીજા ગમ્માથી ભવનપતિ અને પહેલા બીજા દેવલોકમાં જાય તો જઘન્ય ઉત્કૃષ્ટ ૩કોશ હોય છે. વ્યંતરમા જાય તો જઘન્ય એક કોશ ઉત્કૃષ્ટ ૩કોશહોય છે. જ્યોતિષીમાં જાય તો જઘન્ય એક કોશ સાધિક ઉત્કૃષ્ટ કોશહોય છે. (૪) વેશ્યા:- (૧) નારકી દેવતા જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય, એમની સર્વત્ર જીવાભિગમ કથિત લેશ્યા જ થાય છે. કોઈ ભિન્નતા થતી નથી. (ર) પૃથ્વી, પાણી, વનસ્પતિ ઔદારિકના દશ સ્થાનમાં ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્માથી ઉત્પન્ન થાય તો લેશ્યા ત્રણ હોય છે. બાકી દગમ્માથી ઉત્પન્ન થાય તો લેશ્યા જ હોય છે. તેઉં, વાયુ ત્રણ વિકેલેન્દ્રિય અસત્રી તિર્યંચ મનુષ્ય જ્યાં પણ જેટલા પણ ગમ્માથી ઉત્પન્ન હોય તો લેશ્યા ત્રણ હોય છે. (૩) સન્ની તિર્યચચોથા, પાંચમા છઠ્ઠાગમાથી નારકીમાં જાયતોત્રણલેશ્યા, ભવનપતિથી બીજા દેવલોક સુધી જાય તો ૪ લેડ્યા તથા ત્રીજા, ચોથા, પાંચમા દેવલોકમાં જાય તો પ લેશ્યા હોય છે. બાકી ૬ ગમ્માથી જાય તો લેશ્યા હોય છે. છઠ્ઠા, સાતમા, આઠમા ભગવતી સૂત્રઃ શતક-ર૪ ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy