SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ તે સોપક્રમી આયુષ્ય કહેવાય છે અને જે પૂર્ણ સમય પર જ સમાપ્ત થાય છે તે નિરુપક્રમી આયુષ્ય કહેવાય છે. બીજા શબ્દોમાં સોપક્રમી આયુષ્ય વચ્ચમાં તૂટી શકે છે. નિરુપક્રમી આયુષ્ય વચ્ચમાં તૂટતુ નથી. નારકી, દેવતા યુગલિયા મનુષ્ય અને ૩ ઉત્તમ પુરુષ (તીર્થકર, ચક્રવતી વિગેરે) તથા ચરમ શરીરી જીવોનું નિરુપક્રમી આયુષ્ય હોય છે. બાકી બધાના સોપક્રમીનિરુપક્રમી બંને આયુષ્ય હોય છે. સોપકમી ઉંમર બાકી રહે પછી ક્યારે ય પણ તૂટી શકે છે. (૨) આયુષ્યને સ્વયંઘટાડવું આત્મઘાત કરવું “આત્મોપક્રમ’ છે. બીજા દ્વારા માર્યા જવું પરોપક્રમ છે. અને ત્રીજો ભેદ નિરુપક્રમ’ છે. દશ ઔદારિક દંડકોમાં ત્રણે ઉપક્રમ છે. નારકી દેવતામાં નિરુપક્રમ છે. ચોવીસ દંડકમાં ઉત્પન્ન થવાની અપેક્ષા(આગત ની અપેક્ષા) ત્રણે ઉપક્રમ છે. મરણની અપેક્ષા(ગતની અપેક્ષા) ૧૪ દંડકમા નિરુપક્રમ છે અને દશ દંડકમાં ત્રણે ય છે. (૩) જન્મ મરણ જીવોની આત્મઋદ્ધિ, આત્મકર્મ, આત્મપ્રયોગથી થાય છે. પર ઋદ્ધિ, પરકર્મ પરપ્રયોગથી નહીં. (૪) કતિસંચય = સંખ્યાતા, અકતિસંચય = અસંખ્યાતા. અવક્તવ્ય સંચય = એક, પાંચ સ્થાવરમાં ઉત્પન્ન થવાની અપેક્ષાએ એક અકતિસંચય છે. બાકી બધામાં ત્રણ પ્રકાર હોય છે. સિદ્ધોમાં બે પ્રકાર છે, અતિસંચય નથી. પાંચ સ્થાવર સિવાયનું અલ્પબદુત્વ હોય છે. બધાથી ઓછું અવક્તવ્ય, એનાથી કતિસંચયસંખ્યાત ગુણા, એનાથી અકતિસંચયઅસંખ્યાત ગુણા,સિદ્ધોમાં કતિ સંચય અલ્પ છે, એનાથી અવક્તવ્ય સંખ્યાત ગુણા. (૫) એક, બે, ત્રણ, ચાર, પાંચ સંખ્યા નો છક્કી છે. છ સંખ્યા છક્ક છે. સાતથી અગિયાર છક્ક અને નો છક્ક છે. ૧૨, ૧૮ વિગેરે સંખ્યા અનેક છક્ક છે ૧૩, ૧૪ વિગેરે તથા ૧૯, ૨૦વિગેરે અનેક છક્ક, તથા નો છક્ક છે. આ પાંચ ભંગ છે. પાંચ સ્થાવરમાં ચોથા, પાંચમા બન્ને ભંગોથી જીવ ઉત્પન્ન થાય છે. બાકી દંડકોમાં પાંચેય ભંગથી જીવ ઉત્પન્ન થાય છે. સિદ્ધોમાં પણ પાંચેય ભંગથી ઉત્પન્ન થાય છે. અલ્પબદુત્વ:– ભંગના ક્રમથી જ સર્વેય સંખ્યાત ગુણા થાય છે. સિદ્ધોમાં ઉલ્ટા ક્રમથી સંખ્યાત ગુણા કહેવા.છક્કની સમાન બારસના પાંચભંગ હોય છે. એમાં પણ ઉત્પત્તિ તથા અલ્પબહત્વતે જ પ્રમાણે હોય છે. કેવળ છકના સ્થાને "બારસ" કહેવુ. સંખ્યા ૧રના પહેલાની, પછીની અને ૧રથી બે ગણી, ત્રણગણી વિગેરે સમજવુ. ઉત્પન્ન થવાની અપેક્ષા છક્ક સમ્મજિત તથા બારસ સમ્મર્ષિત'. એવા શબ્દોનો પ્રયોગ મૂળ પાઠમાં કર્યો છે. એ પ્રમાણે “ચૌરાસી સમ્મર્જિત” પણ કહ્યા છે. એના ભંગ વિગેરેનું વર્ણન છક્કસમ્મર્જિતના સમાન છે. પરંતુ સિદ્ધમાંચૌરાસી સમ્મર્જિતના પાંચભંગોમાંથી આરંભના ત્રણ ભંગ હોય છે. ચોથો, પાંચમો ભંગ નથી હોતો. છે શતક ૨૦/૧૦ સંપૂર્ણ છે ભગવતી સૂત્ર: શતક-૨૦ _| | ૧૯૯| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy