SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ (ર) એક પરમાણુ દ્રવ્ય પરમાણું છે. એક આકાશ પ્રદેશ ક્ષેત્ર પરમાણુ છે. એક સમય કાળ પરમાણુ છે અને એક ગુણ કાળો વિગેરે “ભાવ પરમાણુ છે. પરમાણુના છેદન, ભેદન, દહન, ગ્રહણ હોતા નથી. સરખા અવયવ નહીં હોવાથી અર્ધા થતા નથી. વિષમ અવયવ નહીં હોવાથી મધ્ય નથી હોતા. અવયવ નહીં હોવાથી અપ્રદેશ કહેવાય છે. વિભાગ ન હોવાથી અવિભાગ કહેવાય છે. (ઉદ્દેશકઃ ૬-૮) (૧) આહાર તથા ઉત્પતિ સંબંધી વર્ણન શતક ૧૭, ઉદ્દેશો દમાં કર્યુ છે. (ર) જીવ પ્રયોગ બંધ, એના અનંતર બંધ, એના પરંપર બંધ એમ ત્રણ પ્રકારના બંધ બધા જીવોમાં, બધી સંભવિત અવસ્થામાં હોય છે. (૩) ભરત ઐરવતમાં જ ઉત્સર્પિણી અવસર્પિણી કાલ છે. અકર્મભૂમિમાં નથી. મહાવિદેહ ક્ષેત્રમાં અવસ્થિત કાળ છે. (૪) પરિત, પરવતમાં પહેલા અને અંતિમ તીર્થંકર પંચમહાવ્રત રૂપધર્મિતથા સપ્રતિક્રમણ ધર્મનું પ્રરુપણ કરે છે. બાકી રર તીર્થકર અને મહાવિદેહ ક્ષેત્રના તીર્થકર ચાતુર્યામ ધર્મનું પ્રરુપણ કરે છે. (૫) ભરત ઐરવતમાં ૨૪ તીર્થકર ક્રમશઃ હોય છે. એમાં ર૩ જિનાંતર હોય છે. વર્તમાન ચોવીસીના એકથી આઠ તથા સોળથી ત્રેવીસમાના શાસનમાં કાલિક શ્રુતનોવિચ્છેદ થયો નથી, વચલા નવથી પંદરમા તીર્થંકરના શાસનમાં અર્થાત્ સાત જિનાંતરમાં કાલિક શ્રુતનો વિચ્છેદ થયો છે. દષ્ટિવાદનોવિચ્છેદતોબલાતીર્થંકરના શાસનમાં થાય છે.ચોવીસમાં તીર્થકરના શાસનમાં દષ્ટિવાદના પૂર્વગત સૂત્ર ૧૦૦૦ વર્ષ સુધી ચાલશે. (રહ્યા હતા, બાકી ૨૩ તીર્થકરોના સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી પૂર્વશ્રુત ચાલ્યો હતો. (૬) ચોવીસમા તીર્થકરનું વર્તમાન શાસનકુલ ૨૧હજાર વર્ષ ચાલશે. ઉત્સર્પિણીના ચોવીસમાં તીર્થકરનુ શાસન એક લાખ પૂર્વમાં ૧૦૦૦ વર્ષ ઓછા સુધી ચાલશે. (૭) અરિહંત તીર્થકર છે. ચતુર્વિધ સંઘ તીર્થ છે. તીર્થંકર પ્રવચની છે. દ્વાદશાંગ (શાસ્ત્ર) પ્રવચન છે. આ ધર્મની અવગાહના કરનારા સંપૂર્ણ કર્મ નાશ કરી મુક્ત થાય છે. અથવા કર્મ થોડા રહે તો દેવલોકમાં જાય છે. ( ઉદ્દેશક : ૯) (૧)વિદ્યાચારણ મુનિ – પૂર્વગત શ્રતના અભ્યાસી તપોલિબ્ધિ સંપન્નઅણગારને છઠ છઠના નિરંતર તપ કરવાથી વિદ્યાચરણ નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે. ત્રણ ચપટી વગાડે એટલા સમયમાં કોઈ દેવ જમ્બુદ્વીપની ત્રણ પરિક્રમા કરી લે એટલી તીવ્ર ગતિ વિદ્યાચરણની હોય છે. આ લબ્ધિવાળા અણગાર પહેલી ભગવતી સૂત્રઃ શતક-૨૦ | |૧૯૦ ૧લ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy