SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ બધા જીવ નિવૃત્તિ ૨૪ દંડકમાં યથાયોગ્ય જાણવું. (૪) કરણઃ- દ્રવ્યાદિની અપેક્ષાએ કરણના ૫ પ્રકાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવકરણ. કરણ ક્રિયાનો પ્રારંભ. નિવૃત્તિ = નિષ્પત્તિ. - શરીર ૫, ઈન્દ્રિય ૫, ભાષા ૪, મન ૪, કષાય ૪, સમુદ્ધાત ૭, સંજ્ઞા ૪, લેશ્યા ૬, દષ્ટિ ૩, વેદ ૩, હિંસા પ(એકેન્દ્રિય વિગેરેની), રપ વર્ણાદિ. આ કરણ કહેવાય છે. આકરણોમાં પૌલિકસંયોગનીનિયમો અને નિવૃત્તિમાં જીવસંયોગની નિયમા હોય છે. પુગલ સંયોગની ભજના થાય છે. અર્થાત્ કેટલાકમાં હોય છે, કેટલાકમાં હોતી નથી. ચોવીસ દંડકમાં કરણ યથાયોગ્ય કહેવા જોઈએ. જીવ અને કર્મના ભેદસિવાયનિવૃતિ ૭૪ કહી છે. કરણ ૭૭ કહ્યા છે. (૫) વ્યંતર દેવોના સરખા આહાર વિગેરે વર્ણન ૧૬મા શતકના લીપ કુમારના સરખા જાણવા. તે શતક ૧૯/૧૦ સંપૂર્ણ છે | શતક-ર૦: ઉદ્દેશક-૧-૪|| (૧) એકેન્દ્રિયાદિ આહાર કરતી વખતે રસ, સ્પર્શવિગેરે પ્રતિસંવેદન કરે છે. પરંતુ એમને એ જ્ઞાન હોતું નથી કે અમે આહાર કરી રહ્યા છીએ કે સારા નરસા રસ વિગેરેનું સેવન કરી રહ્યા છીએ. પંચેન્દ્રિયમાં કેટલાકને આ સંજ્ઞા, પ્રજ્ઞાન, વચન હોય છે અને કેટલાકને હોતું નથી. (ર) જેમની હિંસા કરવામાં આવે છે, એ જીવો મરી જતા હોવા છતાં એ જ્ઞાન હોતુ નથી કે અમે મરી જઈએ છીએ. સન્ની પંચેન્દ્રિયમાં કેટલાકને હોય છે અને કેટલાકને હોતું નથી. (૩) ધર્માસ્તિકાયના પર્યાયનામઃધર્મ, ધર્માસ્તિકાય, પ્રાણાતિપાતાદિવિરમણ, ક્રોધાદિ વિરમણ યાવતું મિથ્યાદર્શન વિરમણ, ઈર્યાસમિતિ આદિ, ગુપ્તિ આદિ, બીજા પણ આ પ્રકારના નામ છે. (૪) અધર્માસ્તિકાયના પર્યાય નામ:- અધર્મ વગેરે ધર્મના પ્રતિપક્ષી. (૫) આકાશાસ્તિકાય પર્યાય નામ – આકાશ, ગગન, નભ, સમ,વિષમ, ખહ, વિહાયસ, વીચિ,વિવર, અંબર, અંબરસ છિદ્ર, શુષિર, માર્ગ,વિમુખ, અર્દ, આધાર, વ્યોમ, ભાજન, અંતરિક્ષ, શ્યામ, અવકાશાંતર, અગમ, સ્ફટિક (સ્વચ્છ) અનંત. () જીવાસ્તિકાયના પર્યાય નામ:- જીવ, પ્રાણ, ભૂત, સત્વ,વિજ્ઞ, ચેતા, જેતા, આત્મા, રંગણ (રાગયુક્ત), હિંડુક, પુદ્ગલ, માનવ, કર્તા, વિકર્તા, જગત, જંતુ, યોનિ, સ્વયંભૂ, શરીરી, નાયક, અંતરાત્મા. (૭) પુદ્ગલાસ્તિકાયના પર્યાય નામ:– પુદ્ગલ, પરમાણુ-પુદ્ગલ,દ્ધિપ્રદેશી ભગવતી સૂત્રઃ શતક-૨૦ |૧૯૫) - - - - - - - - - - - ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy