________________
સોમિલ ઃ– ‘માસ’ ભક્ષ્ય છે યા અભક્ષ્ય ?ભગવાન– બ્રાહ્મણ મતમાં 'માસ' બે પ્રકારના કહ્યા છે. એમાથી શ્રાવણ વિગેરે અષાઢ સુધીના માસ અભક્ષ્ય છે. સોના ચાંદીના માપ કરવાનું માસ અભક્ષ્ય છે. ધાન્ય માસ(અડદ) અચિત્ત એષણીય, યાચિત, પ્રદત્ત હોય તો શ્રમણોને ભક્ષ્ય છે અને સચિત્ત, અનેષણીય, અયાચિત, અપ્રાપ્ત હોય તો અભક્ષ્ય છે.
સોમિલ ઃ— ‘કુલત્થા’ અભક્ષ્ય છે યા ભક્ષ્ય ? ભગવાન— બ્રાહ્મણ મતે ‘કુલત્થા’ બે પ્રકારના કહ્યા છે. એમાંથી કુલવાન સ્ત્રી 'કુલત્થા' છે. તે અભક્ષ્ય છે. ધાન્ય કુલત્થા અગર અચિત્ત, એષણીય, યાચિત અને પ્રદત્ત, હોય તો શ્રમણોને ભક્ષ્ય છે અન્યથા અભક્ષ્ય હોય છે.
વિવેક પૂર્ણ યથાર્થ ઉત્તર સાંભળી સોમિલ નમી પડ્યો. બોધ પ્રાપ્ત કરી એણે બાર શ્રાવક વ્રત સ્વીકાર કર્યા, અનેક વર્ષ વ્રતારાધન કરી, સદ્ગતિ પ્રાપ્ત કરી એક ભવાવતારી બન્યા. મહાવિદેહથી મોક્ષે જશે.
નોંધ :- સોમિલના પ્રશ્ન જિજ્ઞાસા માટે નહીં પરંતુ પરીક્ષા મૂલક હતા.
-
|| શતક ૧૮/૧૦ સંપૂર્ણ ॥
શતક-૧૯ : ઉદ્દેશક-૧-૩
(૧) લેશ્યા વર્ણન પ્રજ્ઞાપનાના સત્તરમાં અધ્યાયના ચોથા ઉદ્દેશક વિગેરેની સમાન જાણવા. ગર્ભગત જીવની લેશ્યા વર્ણન પણ એમાંથી જાણવું.
(૨) કેટલીક વનસ્પતિના જીવ જ સાધારણ શરીર બનાવે છે. તે પણ અનંત જીવ મળીને જ બનાવે છે. અસંખ્ય અથવા ૪, ૫ મળીને બનતા નથી. બાકી ૨૩દંડકના જીવ અને પ્રત્યેક શરીર વનસ્પતિના જીવ પોતપોતાના વ્યક્તિગત શરીર બનાવેછે. એ જીવોની લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ ઉપયોગ, આહાર, સમુદઘાત, ગતિ, આગતિ, સ્થિતિ વગેરેનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રથમ પ્રતિપત્તિ અનુસાર છે. જુઓ સારાંશ ખંડ–૬.
(૩) અવગાહના ૪૪ બોલની :– એકેન્દ્રિયના સંપૂર્ણ જીવના ભેદ ૨૨ કહેવાયા છે. (પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં) એમની જઘન્ય અવગાહના અને ઉત્કૃષ્ટ અવગાહના એમ બે વિકલ્પ કરવાથી ૪૪ બોલ થાય છે. તે ૪૪ અવગાહનાઓનું અલ્પબહુત્વ આ પ્રમાણે છે.
(૧) અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના બધાથી નાની. (૨) અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયની જઘન્ય અવગાહના = અસંખ્યગુણ છે. અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયની જઘન્ય અવગાહના= અસંખ્યગુણ છે. અપર્યાપ્ત સૂક્ષ્મ અકાયની જઘન્ય અવગાહના = - અસંખ્યગુણ છે. (૫) અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયની જઘન્ય અવગાહના = અસંખ્યગુણ છે.
૧૯૨
Jain Education International
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
:
For Private & Personal Use Only
www.jainelibrary.org