________________
ઉદ્દેશક : ૧૦
(૧) ભાવિતાત્મા અણગાર વૈક્રિય લબ્ધિના સામર્થ્યથી તલવારની ધાર પર ચાલે, અગ્નિમાંથી નીકળે; પુષ્કળ સંવર્તક મેઘમાંથી પસાર થાય તો ભીંજાય નહીં; ગંગા નદીના પુરમાં સામે ચાલે તો પણ કોઈ પ્રકારની બાધા ન આવે.
(૨) નાની વસ્તુ મોટી વસ્તુથી વ્યાપ્ત (સ્પર્શિત) હોય છે. એટલે પરમાણુ વિગેરે વાયુકાયથી વ્યાપ્ત હોય છે. મશકની ચોતરફ વાયુ હોય છે. એટલે તે પણ વાયુથી વ્યાપ્ત હોય છે.
(૩) નરક અને દેવલોકમાં તથા એની બહાર અર્થાત્ લોકમાં સર્વત્ર વર્ણાદિ ૨૦ બોલવાળા પુદ્ગલ ભરેલા છે.
=
(૪) સોમિલ બ્રાહ્મણ :– વાણિજ્યગ્રામ નામના નગરમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ વિગેરે બ્રાહ્મણ મતના સિદ્ધાંતોમાં નિષ્ણાત હતો. એના શિષ્યો પણ હતા. તે ધનિક હતો. સુખપૂર્વક કુટુંબનું સ્વામિત્વ નિર્વાહ કરી રહ્યો હતો.
એકવાર એણે જાણ્યું કે ભગવાન મહાવીરસ્વામી નગરની બહાર ધૃતિપલાસ બગીચામાં પધાર્યા છે. ત્યારે એને મનમાં ને મનમાં એવો વિચાર આવ્યો કે હું પણ જાવું અને કેટલાક પ્રશ્ન પૂછું. જો તેઓ મારા પ્રશ્નના ઉત્તર આપી શકે તો હું એમને વંદના, નમસ્કાર કરીને પર્યુપાસના કરીશ. જો ઉત્તર નહીં આપી શકે તો હું એમને પ્રશ્નો દ્વારા નિરુત્તર કરીશ. એમ વિચારી તે બગીચામાં પહોંચ્યો અને પ્રશ્નોનો પ્રારંભ કર્યો.
સોમિલ ઃ– હે ભંતે ! આપની યાત્રા, યાપનીય, અવ્યાબાધ (બાધારહિત) અને પ્રાસુક (કલ્પનીય) વિહાર છે ? ભગવાન— હે સોમિલ ! તપ, સંયમ, નિયમ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે યોગ, યતના પ્રવૃત્તિ અમારી યાત્રા (સંયમયાત્રા) છે. પાંચ ઈન્દ્રિય અને કષાયને વિવેકપૂર્વક સ્વવશ નિયંત્રણમાં રાખવું એ અમારો યાપનીય છે.વાત, પિત, કફજન્યશારીરિક રોગઆતંકમારા ઉપશાંતછે.આ મારા અવ્યાબાધ (સુખ) છે. આરામ, ઉદ્યાન, સભા, પરબ, દેવસ્થાન વગેરે સ્ત્રી, પશુ, પંડક રહિત શય્યા સંસ્તારક ગ્રહણ કરી રહેવું આ અમારા પ્રાસુક વિહાર છે.
--
સોમિલ :– ‘સરિસવ' ભક્ષ્ય છે કે અભક્ષ્ય ?ભગવાન– સોમિલ ! સરિસવ ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે. બ્રાહ્મણ મતમાં સરિસવ બે પ્રકારના કહ્યા છે– (૧) મિત્ર સરિસવ(સરખા) (૨) ધાન્ય સરિસવ (સરસવ). સાથે જન્મયા, સાથે રમ્યા અને સાથે મોટા થયા તે સરખા મિત્રરૂપ ‘સરિસવ’ અભક્ષ્ય હોય છે. ધાન્ય સરિસવ (સરસવ) અચિત હોય, એષણા નિયમોથી યુક્ત હોય, યાચિત હોય અને પ્રાપ્ત હોય તો શ્રમણ નિગ્રંથને ભક્ષ્ય =ખાવા યોગ્ય છે. પરંતુ જે સચિત હોય, અનેષણીય હોય, અયાચિત અથવા અપ્રાપ્ત હોય તે સરિસવ ધાન (સરસવ) અભક્ષ્ય = શ્રમણ નિગ્રન્થને ખાવા માટે અયોગ્ય છે.
ભગવતી
સૂત્રઃ : શતક ૧૮
Jain Education International
For Private & Personal Use Only
૧૯૧
www.jainelibrary.org