________________
(૨) પ્રયોગબંધ અને વિશ્રસાબંધને દ્રવ્યબંધ કહેવાય છે અને આઠ કર્મની ૧૪૮ (૧૨૦) પ્રકૃતિના બંધને ભાવબંધ કહેવાય છે.
પ્રયોગબંધ શિથિલ અને ગાઢ બે રીતના છે. વિશ્રસાબંધ આદિ અને અનાદિ બે પ્રકારના છે. ભાવબંધ પણ મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિ એમ બે પ્રકારના છે. (૩) ભૂતકાળમાં જીવે કર્મ બંધ કર્યો, વર્તમાનમાં કરે છે. ભવિષ્યમાં કરશે. એમાં દરેક વખતે વિભિન્નતા હોય છે અર્થાત્ અંતર હોય છે. કારણકે ગતિ પરિણમન બધામાં અંતર આવતું રહે છે. પાપક્રિયા કરવામાં પણ દ્રવ્ય ભાવમાં અંતર થાય છે અને બંધમાં પણ અંતર થાય છે. (૨૪ દંડકમાં સમજી લેવુ.)
(૪) નિર્જરિત થયેલ પુદ્ગલ આધાર રૂપ હોતા નથી, એના પર બેસવું વગેરે કોઈ કરી શકતા નથી. તેઓ સૂક્ષ્મ પરિણામમાં પરિણત થઈ જાય છે. આ માર્કેદિય પુત્ર નામના અણગાર દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉતરોના ભાવ છે.
નોંધ :- પ્રમાદવશ મૂળ પાઠમાં વચ્ચે વચ્ચે 'ગોયમા' લગાવી દીધુ છે. આ લિપિ દોષ છે. એને સુધારવો નહીં એ સંપાદકોની ભૂલ છે. આ સંપૂર્ણ ઉદ્દેશક માર્કેદિય પુત્ર અણગારના પ્રશ્નોનો છે. એટલે ભગવાન દ્વારા કહેવાયેલા જવાબોના સંબોધનમાં "માદિયપુત્તા" એવું જ સર્વત્ર હોવું જોઈએ.
ઉદ્દેશક : ૪
(૧) અઢાર પાપ, પાંચ સ્થાવર અને બાદર કલેવર આ જીવના ઉપભોગમાં આવે છે. અઢાર પાપ વિરતિ, ત્રણ અરૂપી અસ્તિકાય, પરમાણુ, અશરીરી, જીવ અને શૈલેશી અવસ્થાના અણગાર એ કોઈના ઉપભોગમાં આવતા નથી.
(૨) ચાર કષાય સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ ૧૪ના અનુસાર સમજવું જોઈએ. (૩) યુગ્મ(જુમ્મા) :- (૧) ચારનો ભાગ આપવાથી જે રાશિમા કંઈ પણ બાકી રહે નહીં તે મૃતયુગ્મ(કડજુમ્મ) રાશિ કહેવાય છે. (૨) ચારનો ભાગ આપવાથી જે રાશિમા ત્રણ બાકી રહે તે તેઓગ(ત્રયોજ–તેઉગ) રાશિ કહેવાય છે. (૩,૪). આ પ્રકારે બે અથવા એક અવશેષ(બાકી) રહેવાવાળી રાશિ અનુક્રમે દાવર જુમ્મ (દ્વાપર યુગ્મ) અને કલ્યોજ(કલિઓગ) રાશિ કહેવાય છે.
નારકી, દેવતા, પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય જઘન્ય પદની અપેક્ષાએ કડજુમ્મરાશિ હોય છે. ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ તેઓગરાશિહોય છે,વિકલેન્દ્રિય, ચાર સ્થાવર, જઘન્ય પદે કડજુમ્મરાશિહોયછેઅને ઉત્કૃષ્ટ પદમાદ્વાપર યુગ્મ(દાવર જુમ્મ) રાશિ હોય છે. મધ્યમ પદમાં, બધામાં ચારેય ભંગ હોય છે.
વનસ્પતિ અને સિદ્ધમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પદ (સંખ્યા રૂપ) હોતા નથી. માત્ર મધ્યમ પદ હોય છે. કારણકે વનસ્પતિમાં અનંત કાળ સુધી ઓછા થતા જ રહેશે. અને સિદ્ધમાં વધતા જ રહેશે. એટલે મધ્યમ પદ જ હોય છે. એમા ચારેય જુમ્મા હોઈ શકે છે.
૧૮૬
Jain Education International
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
:
For Private & Personal Use Only
www.jainelibrary.org