________________
વેદના (પર નિમિત્ત જન્ય દુઃખ) પણ અન્યકૃત નહીં પરંતુ સ્વકૃત કર્મ જન્મ જ હોય છે. એ શાતા અશાતા બન્ને પ્રકારની હોય છે.
(૩) ઈશાનેન્દ્રની સુધર્મા સભાનું વર્ણન શકેન્દ્રની સુધર્મા સભાની સમાન છે. દશમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક જુઓ. સ્થિતિ સાધિક બે સાગરોપમની હોય છે.
ઉદ્દેશક : ૬-૧૦
(૧) સમવહત મરનારા જીવનો પહેલા આહાર અને પછી ઉત્પાત થાય છે. અસમવહત મરનારા જીવને પહેલા ઉત્પાત અને પછી આહાર થાય છે. કારણકે એક સાથે આત્મ પ્રદેશ પહોંચે છેત્યારપછી જ આહાર થાય છે. આ રીતે પૃથ્વીકાયિક જીવોનો રત્નપ્રભા વગેરેથી સિદ્ધશિલા સુધી આહાર અને ઉત્પત્તિ જાણવા જોઈએ. (૨) એવી જ રીતે અપ્કાય, વાયુકાય, જીવોનો અધોલોકથી ઉર્ધ્વલોક અને ઉર્ધ્વ લોકથી અધોલોક સુધી ઉત્પાદ અને આહાર જાણવો જોઈએ
(૩) એકેન્દ્રિયના સમ વિષમ આહાર શરીર વિગેરેનું વર્ણન પહેલા શતકના બીજા ઉદ્દેશક સરખુ છે.
નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, વાયુકુમાર અને અગ્નિકુમાર; આ પાંચેનો સમઆહાર વિગેરે સંબંધી વર્ણન સોળમા શતકના અગીયારમા ઉદ્દેશકમાં આવેલ દ્વીપકુમારના વર્ણન સમાન જાણવું.
|| શતક ૧૦/૧૭ સંપૂર્ણ ॥ શતક-૧૮ : ઉદ્દેશક-૧
(૧) જે ભાવ અનાદિથી થાય છે એને અપમ કહેવાય છે. જે ભાવ જ્યાં પહેલીવાર થાય છે તે ભાવ તે સ્થાનની અપેક્ષા પદમ કહેવાય છે. જે ભાવ જે કોઈ જીવોમાં પહેલી વખત અને કોઈ જીવમાં બીજી ત્રીજીથી માંડી અનેક વખત પણ થાય છે. એનેસિય પમ સિય અપમ કહેવાય છે અર્થાત્ ઉભય ભાવવાળા કહેવાય છે. (૨) જે ભાવ જે સ્થાનમાં હવે જીવ પાછો આવવાનો નથી, એને 'ચરમ' કહેવાય છે. જે ભાવ જ્યાં હંમેશા રહેવાનો છે અથવા ફરી થવાનો છે, એને 'અચરમ' કહેવાય છે. જે ભાવ જે કોઈ જીવમાં ચરમ છે, કોઈ જીવમાં અચરમ છે તે ભાવ તે સ્થાનની અપેક્ષાએસિય વરમ સિય અત્તરમ. અર્થાત્ ઉભય ભાવવાળા કહેવાય છે.
૧૪ દ્વ્રારોના ૯૩ બોલના ૨૪ દંડક સમુચ્ચય જીવ અને સિદ્ધોની અપેક્ષા પઢમ અપઢમ, ચરમ અચરમનું વર્ણન કરવામાં આવ્યું છે. તે દ્વાર આ પ્રકારે છે–
ભગવતી સૂત્રઃ શતક-૧૮
Jain Education International
For Private & Personal Use Only
૧૮૧
www.jainelibrary.org