________________
વિમાન જુએ અને એમાં ચઢી જાય. આ પ્રકારના સ્વપ્નવાળા પોતાને જુએ, માને અને જાગી જાય, ઉઠી જાય, એ વ્યક્તિ એ જ ભવમાં મોક્ષે જાય છે.
તેલ, મદિરા ચરબીના ઘડા(કુંભ) જુએ અને ફોડી નાંખે તથા લોખંડ, તાંબુ, કથીર શીશાના ઢગલાને જુએ અને એના પર ચઢે. આ બે સ્વપ્ન જોવાવાળા એક દેવનો અને એક મનુષ્યનો ભવ કરીને મોક્ષ જાય છે.
(૭) કોઈ સુગંધી પદાર્થ પડયો હોય અને પવન આવે તો સુગંધી પદાર્થ ચાલતો નથી. પરંતુ ગંધના પુદ્ગલ ત્યાંથી ગતિ કરે છે, ફેલાય છે.
ઉદ્દેશક ઃ ૭-૮
(૧) પ્રજ્ઞાપના સૂત્રનો ઉપયોગ પદ અને પશ્યતા પદને સંપૂર્ણ અહીં સમજવું. (૨) લોકોના દિશાઓના ચરમાંતમાં જીવ, અજીવ, જીવ દેશ, પ્રદેશ, અજીવ દેશ, પ્રદેશ રહેલા છે. એવી રીતે સાત નરક પૃથ્વી પિંડોના ચરમાંતમાં અને દેવલોકના ચરમાંતમાં પણ જીવ અજીવ રહેલા છે. એકેન્દ્રિય વગેરેની અપેક્ષાએ પાંચ સ્થાવર તો સ્વસ્થાન રૂપે રહેલા છે અને ત્રસ જીવ વાટે વહેતા અને મરણ સમુદ્દાતની અપેક્ષાએ હોય છે. અનિંદ્રિય જીવ કેવલી સમુદ્દાતની અપેક્ષાએ હોય છે. નરક પૃથ્વીના ચરમાંતમાં તેમજ દેવલોકના ચરમાંતમાં પણ યથાયોગ્ય સંભવિત જીવ અજીવ, એના દેશ, પ્રદેશ સમજી લેવા જોઈએ. કાલ દ્રવ્ય ચરમાંતોમાં નથી. (૩) પરમાણુ પુદ્ગલ એક સમયમાં લોકના પૂર્વી ચરમાંતથી પશ્ચિમી ચરમાંત સુધી સ્વતઃ ચાલ્યા જાય છે. એવી રીતે બધી દિશામા સમજવું.
(૪) વરસાદની જાણકારી માટે કોઈ હાથને ખુલ્લા આકાશમાં કાઢીને જુએ તો પાંચ ક્રિયા લાગે છે.
(૫) કોઈ મહર્દિક દેવ પણ લોકાંતમાં બેસીને અલોકમાં હાથ પગ વગેરે કાઢી શક્તા નથી. કારણકે અલોકમાં ધર્માસ્તિકાય વગેરે નથી. ત્યાં જીવ અને પુદ્ગલની ગતિ હોતી નથી.
ઉદ્દેશક : ૯-૧૪
(૧) વૈરોચન બલીન્દ્રની બલિચચા રાજધાની ઉત્તર દિશામા છે. બાકી સમુદ્રમાં દૂર ઉત્પાત પર્વત, રાજધાનીનો વિસ્તાર, સભા વગેરે વર્ણન અસુરકુમાર ચમરેન્દ્રના વર્ણન સમાન છે. [ જુઓ— શતક ૨ ઉદ્દેશ ૮]
(૨) અવધિજ્ઞાનનુ વર્ણન પ્રજ્ઞાપના તેમજ નંદી સૂત્રમાં જુઓ. (૩) દ્વીપકુમાર દેવ બધા સમાન આહાર વાળા વગેરે હોતા નથી. આ વર્ણન પહેલા શતકના બીજા ઉદ્દેશકની સમાન છે. એમાં ચાર લેશ્યાઓ હોય છે. તેજોલેશ્યાવાળા અલ્પ હોય છે. તેથી કાપોતલેશી, અસંખ્ય ગુણા, એનાથી નીલલેશી વિશેષાધિક,
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૧૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org