________________
(ર) નિદ્રા કરવી દ્રવ્ય નિંદ્રા છે. અવિરતિ ભાવ તે ભાવ નિંદ્રા છે. ભાવ નિંદ્રાની અપેક્ષાએ રર દંડકના જીવ સુપ્ત કહ્યા છે. તિર્યંચ સુપ્ત અને સુખ-જાગૃત એમ બે પ્રકારના છે, જ્યારે મનુષ્ય સુખ,જાગૃત અને સુખ-જાગૃત એમ ત્રણ પ્રકારના છે. (૩) સાધુઓ પણ સ્વપ્ન જુએ છે. સત્યસ્વપ્ન પણ જુએ છે અને અસત્યસ્વપ્ન પણ જુએ છે. સાચા ભાવ સાધુતામાં સત્ય સ્વપ્ન આવે છે અને નથી પણ આવતા. અસત્ય સ્વપ્ન જોવાવાળા અસંવૃત કહેવાય છે. અર્થાત્ એનો વિશેષ આશ્રવ ચાલુ રહે છે. એકાંત અસંયમી ન સમજવું. (૪) સ્વપ્ન ૪૨ પ્રકારના કહ્યો છે અને મહાસ્વપ્ન ૩૦ પ્રકારના કહ્યા છે. ૩૦ મહાસ્વપ્નમાંથી કોઈપણ ૧૪ સ્વપ્ન તીર્થકર, ચક્રવતીના ગર્ભમાં આવવાથી એની માતા જુએ છે. વાસુદેવની માતા સાત, બલદેવની માતા ચાર સ્વપ્ન જુએ છે. માંડલિક રાજાની માતા એક મહાસ્વપ્ન જુએ છે. એ માતાઓ સ્વપ્ન જોઈને જાગી જાય છે. ફરી પાછી સૂતી નથી. ધર્મ જાગરણ કરે છે. (૫) ભગવાન મહાવીર સ્વામીને દશ સ્વપ્ન પછી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. બેઠા બેઠા ભગવાનને માત્ર અંતર્મુહૂર્ત ઉંઘ આવી હતી. એ સમયે અર્ધનિંદ્રાવસ્થામાં આ સ્વપ્ન જોયા હતા. કારણ કેછદ્મસ્થ કાળમાં ભગવાને શયનાસન કર્યું નહોતું. દસ સ્વપ્ન અને પરિણામ :
(૧) પિશાચને પરાજિત કર્યો= મોહકર્મક્ષય. (૨) સફેદનર કોયલ શુક્લ ધ્યાન. (૩) વિચિત્ર પાંખવાળો નર કોયલ = દ્વાદશાંગીની પ્રરુપણા (૪) સ્વર્ણ રત્નમય માલા દ્રય = દ્વિવિધ ધર્મ પ્રરુપણા. (૫) શ્વેત ગાયોનો સમૂહ = ચતુર્વિધ સંઘની રચના. (૬) મહાપદ્મ સરોવર = ચાર જાતિના દેવોની પ્રરુપણા. (૭) મહાસાગર હાથથી તર્યા = સંસાર સાગરથી તર્યા. (૮) સૂર્ય = કેવલજ્ઞાન પ્રાપ્તિ. (૯) મેરુપર્વતને આંતરડાથી વિંટળાયેલો = સંપૂર્ણ લોકમાયશકીતિફેલાય. (૧૦) મેરુચૂલિકા પર સિહાસન ઉપર બેઠા = પરિષદમા ઉપદેશ આપ્યો. (ડ) સ્વપ્ન ફળવિજ્ઞાન:– (૧) સૂતેલી વ્યક્તિ હાથી, ઘોડા અથવા બળદ સમૂહને જોઈ એના પર ચઢે, ચઢીને પોતાને બેઠેલો જુએ, પછી જાગી જાય, તો તે એ જ ભવમાં મોક્ષે જાયછે. (જે સૂતો રહે છે તે આ ફળ પામતો નથી. એમ બધા સ્વપ્નોમા સમજી લેવું જોઈએ.) (૨)જે વ્યક્તિ સ્વપ્નમાં મહાસમુદ્રમાં પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલી રસ્સીને જોઈ પોતાના હાથમાં વીટે છે.(૩) લોકાંતને પૂર્વ પશ્ચિમ અડેલી રસ્સીને કાપે (૪) કાળા યા સફેદ સૂતરના ગુંચવાયેલા ગુચ્છાને ઉકેલે. "મેં ઉકેલી આપ્યો”. એમ માને (૫) સોના ચાંદી વજ અને રત્ન રાશિને જુએ. (૬) ઘાસ, કચરાના ઢગલાને જુએ અને વિખેરી નાખે. (૭) સરસ્તંભ, વીરણસ્તંભ, વંશસ્તંભ, બલ્લિતંભને જોઈને ઉખેડીને ફેંકી દે. (૮) ક્ષીરકુંભ, ધૃતકુંભ,દર્વિકુંભને જુએ અને ઉપાડે (૯) ફૂલોવાળા પા સરોવરમાં ઉતરે (૧૦) મહાસાગરને જુએ અને એને તરીને પાર કરે. (૧૧) રત્નોનું ભવન જુએ અને એમાં પ્રવેશ કરે (૧૨) રત્નોનું ભગવતી સૂત્ર: શતક-૧૬ |
| |૧૦૦ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org