SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જેમ જુવાન પુરુષ તીક્ષ્ણ કુહાડીથી તરત જ લાકડીને તોડી ફોડી શકે છે, તેમ તપસ્વી શ્રમણ પણ કર્મોને તરત જ નષ્ટ કરી દે છે. ( ઉદ્દેશક : ૫) (૧) એક સમયની વાત છે. કેન્દ્ર, ભગવાનના દર્શન કરવા ઉત્સુકાતીર નામના નગરમાં આવ્યા; કંઈક પ્રશ્ન કર્યા અને ઉતાવળમાં ચાલ્યા ગયા, શાંતિથી બેઠા નહીં. એનું કારણ ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાને બતાવ્યું કે સાતમાંદેવલોકમાંથી ગંગદત્ત દેવ અહીં આવવા નીકળ્યા છે, એના દિવ્ય તેજ, ઋદ્ધિ ધુતિને કેન્દ્ર જોઈ નહીં શકવાથી અને સહન નહીં કરી શકવાથી, ઉતાવળથી ચાલ્યા ગયા છે. જોઈ નહીં શકવાનું કારણ વ્યાખ્યાકારે એ બતાવ્યું છે કે પૂર્વ ભવમાં બન્ને શેઠ હતાકાર્તિક શેઠ અને ગંગદત્ત શેઠ. ત્યાં બન્નેમાં પરસ્પર માત્સર્ય ભાવ રહેતા હતા. પૂર્વના માત્સર્ય ભાવને કારણે શકેન્દ્રને ગંગદત્તની પોતાનાથી વધારે સદ્ધિ વગેરે સહન થઈનહીં અને જલ્દીથી ચાલ્યો ગયો. (ર) ઈન્દ્ર વગેરે દેવોનું મનુષ્ય લોકમાં (૧) આવવુ (૨) પાછા જવું (૩) ભાષા બોલવી (૪) ઉન્મેષ નિમેષ કરવું (૫) અંગોપાંગને વધઘટ કરવા (૬) ઉભા થવું બેસવું અને સૂવું (૭) વૈક્રિય કરવું (૮) પરિચારણા કરવી વગેરે ક્રિયાઓ બહારના પુગલોના ગ્રહણથી કરી શકે છે અર્થાત્ અન્ય પુગલ ગ્રહણ કરી ને જ ઉક્ત ક્રિયાઓ દેવો દ્વારા કરી શકાય છે. (૩) દેવલોકમાંદેવોને પરસ્પરતાત્ત્વિક ચર્ચાઓ પણ થઈ જાય છે. સાતમાદેવલોકમાં એકમિથ્યા દષ્ટિદેવ અને ગંગદત્ત(સમ્યગૃષ્ટિ દેવ)ની પરસ્પર ચર્ચા થઈ. એના ફળસ્વરૂપેજએગંગદત્તદેવ ભગવાનના દર્શન કરવા ઉલ્લકાતીરનગરમાઆવ્યોહતો. (૪) વૈતમા વતિ ના સિદ્ધાંત અનુસાર પરિણમન થનારા પુદ્ગલ પરિણત' કહેવાય છે. આવિષય પર એ. બન્ને દેવોની ચર્ચા હતી. ગંગદત્તનો ઉત્તર સાચો હતો. ગંગદત્ત દેવે ભગવાનનો ઉપદેશ સાંભળ્યો; ત્યાર પછી હું ભવી છુ કે અભવી છું? વગેરે પ્રશ્ન પૂછ્યા. સમાધાન મેળવીને ખુશ થયો. બત્રીસ પ્રકારના નાટકબતાવીને ચાલ્યો ગયો. (૫) ગંગદત્ત દેવ પૂર્વભવમા હસ્તિનાપુરમાં ગંગદત્ત નામનો શેઠ હતો. શ્રમણોપાસક બન્યો હતો. પછી મુનિસુવ્રત ભગવાનની પાસે દીક્ષા લીધી. અગીયાર અંગોનુ અધ્યયન કર્યું. એક મહિનાનો સંથારો કરી ત્યાંથી સાતમાં દેવલોકમાં ઉત્પન્ન થયા. સત્તર સાગરોપમની દેવ સ્થિતિ પૂરી કરી મહાવિદેહ ક્ષેત્રથી મુક્તિ પામશે. ઉદ્દેશકઃ ૬) (૧)નિંદ્રામાં અથવા જાગૃત અવસ્થામાં સ્વપ્ન આવતું નથી. અર્ધજાગૃત અવસ્થામાં સ્વપ્ન આવે છે. મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત) ૧૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy