SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ભળી ગયા હતા. (૧૬) સંક્ષિપ્ત સારાંશનું લક્ષ્ય હોવાથી અનેક વિસ્તૃત વર્ણનો આપ્યા નથી. એના માટે સૂત્રવર્ણનથી જાણવું જોઈએ.જેમ કે-૮ ચરમ, પાનક, અપાનક ગોશાલક ના શરીર પરિવર્તન અને વિવિધ પ્રરુપણા વગેરે. (૧૭)ગોશાલક ભગવાન ની પાસે છદ્મસ્થકાળના બીજા ચોમાસામાં આવ્યો હતો અને ક્યાં સુધી રહ્યો એ વર્ણન અહીં સૂત્રમાં નથી. અન્યત્ર દીક્ષાના છઠ્ઠા વર્ષ સુધી સાથે રહ્યાનું કથન મળે છે. (૧૮) ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાને ગોશાલકના ભૂત, ભવિષ્ય અંગે વર્ણન બતાવ્યું હતું અને વર્તમાન ધટના ને તો ઉપસ્થિત શ્રમણોએ પ્રત્યક્ષ જોઈ હતી. ભૂતકાળના છદ્મસ્થ કાળની ઘટનાનું વર્ણન કરતાં ભગવાને અનેક જગ્યાએ અહં શબ્દના પ્રયોગથી કથન કર્યું છે. વૈશ્યાયન તપસ્વીની તેજો લેશ્યાથી ગોશાલક ને બચાવવાના વર્ણનમાં પણ ભગવાને ગૌતમસ્વામીને સ્પષ્ટ કહ્યું હતું કે હે ગૌતમ ! ત્યારે ‘મેં” ગોશાલક મંખલી પુત્રની અનુકંપા માટે શીત લેશ્યાથી તેજો લેશ્યાનું પ્રતિહનન કર્યું અને આગળના વર્ણનમાં ગોશાલકના પૂછવા પર એને પણ આ શબ્દો માં કહ્યું હતુ કે ત્યારે હે ગોશાલક! ‘મેં’ તારા પ્રત્યેની અનુકંપાને કારણે વૈશ્યાયન બાળ તપસ્વીની તેજોલેશ્યાને વચ્ચેથી પ્રતિહત કરી, રોકી દીધી, આમ આવું કથન પણ ભગવાને કેવલી અવસ્થામાં બે વખત કર્યુ. પરંતુ ક્યાંય એમ નથી કહ્યું કે “મેં ગોશાલકને છદ્મસ્થતાની ભૂલથી મોહવશ બચાવ્યો'. આથી અનુકંપા સંબંધી વિશેષ વિવરણ માટે સારાંશ ખંડ–૮માં જોવું જોઈએ. (૧૯) ભગવાન અને ગોશાલકની વચ્ચે થયેલ કેટલાય વ્યવહારોથી તર્કશીલ માનસમાં કેટલાય મૂંઝવણ ભર્યાપ્રશ્નઉભા થાય છે કે– (૧) ચાર જ્ઞાન સંપન્નભગવાને એને પોતાની સાથે રાખ્યો જ શા માટે? (૨) તલ સંબંધી પ્રશ્નોના ઉત્તર જ કેમ દીધા ? જેનાથી વિરાધના થઈ. (૩) સ્વતઃ પોતાના જ કર્તવ્યથી તે ગોશાલક વૈશ્યાયન બાળ તપસ્વીની તેજોલેશ્યાથી મરી રહ્યો હતો, એને ભગવાને શીત લેશ્યાથી શા માટે બચાવ્યો? સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ અણગારને પ્રભુએ બચાવ્યો નથી તો તેમાં ભગવાનને કયો દોષ લાગ્યો ? ઉત્તર- કાંઈપણ દોષ ન લાગ્યો. તેમજ ગોશાલકને ન બચાવત તોપણ ભગવાનને કોઈ દોષ લાગતો નહીં. તેને બચાવવાથી તો તે જીવિત રહ્યો અને પોતે જ ૨૪મો તીર્થંકર હોવાનું કહી, કેટલાય લોકોને ભ્રમિત કર્યા, મહા પાપ કર્યા. જેમ સુમંગલ અણગાર વિમલવાહનને ભસ્મ કરશે જ અને અણુત્તર વિમાનમાં જાશે, તેવી રીતે જ ભગવાનના કોઈ લબ્ધિધારી શ્રમણ ગોશાલકને પહેલાં જ કાંઈપણ શિક્ષા આપી શકતા હતા. તો સમવસરણમાં આવો પ્રસંગ બનતું જ નહીં. અનેક ઈન્દ્ર વગેરે પણ ગોશાલકના અવળા પ્રચારને રોકી ન શક્યા, એવું કેમ થયું ? કેમ કે બધા ઈન્દ્ર સમ્યગ્દષ્ટિ છે, દૃઢધર્મી પ્રિયધર્મી છે. એક ભવ કરીને મોક્ષમાં જનારા છે; વગેરે વગેરે પ્રશ્નો થાય છે. તે અનેક પ્રશ્નોનું સમાધાન આ છે કે ભગવાન અને ગોશાલકનો કોઈ એવો જ સંયોગ નિબદ્ધ હતો. વિશિષ્ટ જ્ઞાનિઓના આચરણ વિષયે છદ્મસ્થોએ સંકલ્પ-વિકલ્પ કરવા જ ન જોઈએ. કેમકે તે શાશ્વત જ્ઞાની ભવિતવ્યતાને જોઈ લે છે, ભૂત-ભવિષ્યને ભગવતી સૂત્રઃ શતક-૧૫ Jain Education International For Private & Personal Use Only 963 www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy