________________
જોઈએ. સૂત્રમાં દ્રવ્ય ક્રિયાની અપેક્ષા જ ‘વિરાધિત શ્રામણ્ય’ કહ્યું છે, એમ માનવું જોઈએ. (૯) નૃસંશ પ્રવૃતિઓથી યુક્ત જીવન હોવા છતાં પણ ગોશાલકનું જીવન મહાતપસ્વી જીવન હતું અને અંતિમ સમયમાં સમ્યક્ત્વ યુક્ત શુદ્ધ પરિણામ આવી ગયું હતું. જેના કારણે તેને અનંતર દેવભવ અને પરંપર મનુષ્ય ભવમાં પુણ્યનોઉપભોગ પ્રાપ્ત થયો અને થશે. એના પછીના ભવોમાં સર્વે પાપ કર્મોનું સામ્રાજ્ય ચાલશે.
(૧૦) ગોશાલકના મોક્ષ જાવાના અંતિમ ભવના વર્ણનને ઔપપાતિક સૂત્રમાં વર્ણિત ‘દઢપ્રતિજ્ઞ કુમાર’ ની ભલામણ(સૂચના) છે. પરંતુ પ્રતિયોમાં ભલામણ દેતાં-દેતાં આગળ એને જ દઢ પ્રતિજ્ઞ નામથી કહી દીધેલ છે. આ લિપિ દોષમાત્ર છે. આવો લિપિદોષ અન્ય સૂત્રમાં પણ થયો છે.
(૧૧) તીર્થંકર ભગવાન કેવલજ્ઞાન બાદ પણ શ્રમણોના પાત્રમાં ખાતા નથી પરંતુ તેઓ દ્વારા મંગાવીને હાથમાં જ આહાર કરતા હતા.
(૧૨) ભગવાનના ઔષધ ગ્રહણનો પાઠ લિપિકાળમાં કોઈપણ દુર્બુદ્ધિવાળા માણસ દ્વારા વિકૃત કરાયો છે. તેમાં કુર્કટમાંસ, કબૂતરમાંસ આવા અર્થવાળા શબ્દોને સંયોજિત કરાયા છે. આવા ભ્રમપૂર્ણ અર્થવાળા શબ્દોને ગણધર રચિત માનવું એક વ્યાપક ભ્રમ છે અને ગંભીર ભૂલ છે. ભલે કેટલાય વનસ્પતિ પરક અર્થ કરાય પરંતુ શબ્દ અને ભાષાના કોવિદ(નિષ્ણાત) ગણધરો દ્વારા આવા ભ્રમમૂલક શબ્દોનું ગુંથન શાસ્ત્રમાં માનવું એ જ અયોગ્ય છે. મધ્યકાળમાં આવા અનેક સૂત્ર પ્રક્ષેપ આદિના પ્રહાર ધર્મ અને આગમોં પર થયા છે. એનામાંજ કરેલ આ પણ એક વિકૃતિ છે. આનું સંશોધન ન કરવું, માનો ‘લકીરના ફકીર બનવું” ની ઉક્તિને ચરિતાર્થ કરવા સમાન જ છે.
જૈન આગમ સંપાદકો, સંશોધકો, અન્વેષકોએ આ તરફ અવશ્ય ધ્યાન આપવું જોઈએ.વિશેષ જિજ્ઞાસા હેતુઆગમ સારાંશખંડ–૮માં ઐતિહાસિક સંવાદ અને નિબંધોનું અધ્યયન કરવું જોઈએ.
(૧૩) ચોથા આરામાં અર્થાત્ સતયુગમાં તીર્થંકરોની ઉપસ્થિતિમાં આવી ઘટનાઓ હોવા પર પણ ધર્મનિષ્ટ લોકો પોતાની શ્રદ્ધા ટકાવી રાખે છે. ધર્મથી વિચલિત થતા નથી. તો આજ પંચમ કાળમાં જ્ઞાનીઓની અનુપસ્થિતિમાં કોઈ ઘટનાને જોઈને આપણે કોઈની પાછળ પોતાની શ્રદ્ધા, આચરણ, ત્યાગ તપ વગેરે જરા પણ ન છોડવા જોઈએ અને જિ ર્તવ્ય વિમૂઢ પણ ન થવું જોઈએ. આ સંસાર છે, આનામાં કોઈકેટલીય હોનારત થતી જ રહે છે. તેમાં આપણે પડતાં નહીં, પરંતુ ચડતાં જ શીખવું જોઈએ.
(૧૪) સોગંદ, શપથ દેવાની વ્યવહારિક પ્રથા પણ પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે. ગોશાલકે પણ મૃત્યુ સમયે પોતાના શિષ્યોને સોગંદ દઈને આદેશ આપ્યો હતો. જેનું એમણે દંભની સાથે પાલન કર્યું હતું, સાચા રૂપમાં પાલન નહોતું કર્યું.
(૧૫) ગોશાલકના નિમિત્તજ્ઞાન, મનની વાતને જાણીને બતાવવાની ક્ષમતાથી અને આડંબરના માધ્યમે જ એનો શિષ્ય પરિવાર વધતો ગયો હતો. ત્યાં સુધી કે ૨૩ માં તીર્થંકરના શાસનના અનેક સાધુ પણ એને ૨૪ માં તીર્થંકર જ સમજીને એના શાસનમાં
૧૦૨
Jain Education International
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
www.jainelibrary.org