________________
પછી બ્રાહ્મણ પુત્ર થઈને દાવાગ્નિની જ્વાલામાં મરશે. અગ્નિકુમાર દેવરૂપમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નિકળીને મનુષ્યનો ભવ કરશે. જેમાં સંયમ ધારણ કરશે. અનેક ભવો (૧૦ ભવો) સુધી દ્રવ્ય સંયમ ક્રિયાની વિરાધના કરશે. ભાવથી સંયમને સ્પર્શ પણ નહીં કરે અને ક્રમશઃ નવ અસુર કુમાર(અગ્નિકુમાર ને છોડીને) ના અને એક જ્યોતિષીનો ભવ કરશે. એના પછી સાત ભવમાં સંયમની આરાધના કરશે. અને ક્રમશઃ પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા, નવમા, અગ્યારમા દેવલોક અને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થશે. પછી મહાવિદેહક્ષેત્રમાં આઠમી વાર સંયમની આરાધના કરી કેવલજ્ઞાન કેવલ દર્શન પ્રાપ્ત કરશે. ગોશાલકની મુક્તિ :– કેવલજ્ઞાનથી પોતાના ભવોને જાણશે અને પોતાના શિષ્યોને સંબોધન કરીને કહેશે કે હું પૂર્વભવમાં એવો શ્રમણઘાતક ગુરુદ્રોહી હતો જેના ફળ સ્વરૂપે આવા વિવિધ જન્મ-મરણ રૂપ સંસાર ભ્રમણના ફળને પ્રાપ્ત કર્યું છે. આ વૃતાંત સાંભળીને તે શ્રમણો ભયભીત થશે અને પોતાની આલોચના શુદ્ધિની સાથે સાવધાની પૂર્વક સંયમની આરાધના કરવા લાગશે. ગોશાલકનો જીવ કેવલી પર્યાયમાં વિચરણ કરીને અંતમાં આયુ સમાપ્તિ વેળા જાણીને ભક્ત પ્રત્યાખ્યાન પંડિત મરણ સ્વીકારશે બાકી કર્મોનો ક્ષય કરી સિદ્ધ બુદ્ઘ મુક્ત થશે.
શિક્ષા અને જ્ઞાતવ્ય :
(૧) નિમ્નસ્તરીય વ્યક્તિમાં પણ અપાર મનોબલ અને બુદ્ધિબળ હોઈ શકે છે. એક ભિક્ષાચરના પુત્ર ગોશાલકે ત્રિલોકીનાથ ભગવાન મહાવીરના વિરોધી બનીને ટક્કર લીધી હતી.
(૨) પૂર્ણ અસત્યવાદી હોવા છતાં પણ ગોશાલકની કઠોરતા દુષ્ટતા અધિકતમ કક્ષાની હતી. આનંદને બોલાવીને સદષ્ટાંત સમજાવ્યું. ભગવાનની સામે આવીને પણ બેહદ અધમતા દેખાડી. શક્તિ વિફલ જવા છતાં પણ એવું કહી ગયો કે છ મહીનામાં મરી જશો. (૩) ઢોંગી વ્યક્તિ કેટલા કપટ પ્રપંચ સિદ્ધાંત કલ્પનાઓ ઘડી શકે છે. એ ગોશાલકના જીવનથી જાણવા મળી શકે છે. એણે પોતાને છુપાવવા માટે કેટલા શરી૨ પ્રવેશ, નામ, વર્ષ વગેરેની કલ્પનાઓ જોડી આઠચરમ પાનકઅપાનકકલ્પિત ઘડ્યા અને લોકોને આકર્ષિત કરવા માટે કેટલાય જુઠાણા ફેલાવ્યા, છતાં જીવનમાં લગભગ સર્વત્ર એને સફળતા મળી. શ્રમણ ભગવાનના જ્યાં ૨-૩લાખ ઉપાસક હતાતો ગોશાલકનેતીર્થંકર માનીનેઉપાસના કરનારાની સંખ્યા ૧૧ લાખ થઈ ચૂકી હતી. તોપણ પાપનો ઘડો એક દિવસ અવશ્ય ફુટવાવાળો હોય છે. જ્યારે એનું પાપ ચરમ સીમાએ પહોંચી ગયું, બે શ્રમણોની હત્યાના પાપથી ભારી બની ગયો, ત્યારે સ્વયંની લેશ્યાથી જ મરી ગયો અને અંતમાં હારી ગયો, નિષ્ફળ થઈ ગયો.
(૪) ગોશાલક અને એના સ્થવિરોની પાસે નિમિત્તજ્ઞાન સિવાય કોઈના મનની વાત જાણવાની અદ્ભુત શક્તિ પણ હતી. તેથી અયંપુલ શ્રાવકને રાત્રે ઉત્પન્ન થયેલ પ્રશ્નને સ્વતઃ જાણી લીધો.
અંતિમ ઉંમર સુધી પણ ગોશાલક આતાપના અને તપસ્યામાં સંલગ્ન રહેતો હતો.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
www.jainelibrary.org
૧૦૦
Jain Education International