________________
થવા પર આ જ ભારતમાં વિંધ્યગિરિપર્વતની નજીક પુંડ દેશમાં શત દ્વારા નગરીમાં જન્મ લેશે. ગુણોથી અને રૂપથી સંપન્ન થશે. યોગ્ય સમયે એના માતા-પિતાએનો રાજ્યાભિષેક કરશે. તે મહાન બળવાન રાજા થશે. યશસ્વી થશે. બે દેવ એની સેવામાં રહેશે. એના ત્રણ નામ હશે. (૧)જન્મનામ-પદ્ય (૨) પૂર્ણભદ્રઅનેમણિભદ્રવેદેવસેવક હોવાથી–દેવસેન (૩) “વિમલ' નામના હસ્તિરત્નના ઉપભોગ કરનાર હોવાથી વિમલ વાહન” એનું ત્રીજું. નામ હશે. આટલો પુણ્યશાળી હોવા છતાં પણ તે શ્રમણ-નિગ્રંથોનો મહાનવિરોધી થશે. તેમની સાથે તે અનાર્યતા પૂર્ણ વ્યવહાર કરશે, જેમકે હંસી કરશે. ભર્જના કરશે, કષ્ટદેશે, બાંધશે, મારશે, છેદન-ભેદન કરશે, ઉપદ્રવ કરશે, ઉપકરણ છીનવી લેશે, અપહરણ કરી લેશે, નગરથી અથવા દેશથી કાઢી મૂકશે. આ રીતે વિભિન્ન અભદ્ર વ્યવહાર સમય સમય પર કરતો રહેશે. આવું કરવા પર એકવાર નગરના પ્રતિષ્ઠિત લોક સામુહિક રુપથી નિવેદન કરશે કે હે રાજન્! આવું ન કરો કેમ કે આવું કરવું ક્યારેક આપના અને અમારા માટે જોખમકારક પીડાકારી બની શકે છે. આથી આપ આવા દુરાચરણ બંધ કરો, રાજા મન વગર મિથ્યાભાવથી એનિવેદનને સ્વીકાર કરી લેશે. સુમંગલ અણગાર - એકવાર સુમંગલ નામના અણગાર જે ત્રણ જ્ઞાન અને વિપુલ તેજલબ્ધિનાધારકહશેnત્યાં પધારશેઅનેબગીચાની પાસેઆતાપનાભૂમિમાંઆતાપના લેશે. તે વિમલનાથ તીર્થકરના પ્રપૌત્ર શિષ્યહશે. વિમલવાહન રાજા રથ ચંક્રમણ હેતુ એ બગીચાની પાસેથી નિકળશે.મુનિને આતાપનાલેતા જોઈને સ્વભાવિકજકોધથી પ્રજવલિત થશે. રથના આગળના ભાગથી ટક્કર લગાવીને ધ્યાનમાં ઉભેલા મુનિને નીચે પાડી દેશે. મુનિ ઉઠીને અવધિજ્ઞાનમાં ઉપયોગ લગાવીને જોશે અને એનો ભૂતકાળ જાણી-જોઈઅને કહેશે કે તું શ્રમણોની ઘાત કરવાવાળો મેખલી પુત્ર ગોશાલક હતો. એ સમયે એ અણગારો અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમર્થહોવા છતાં પણ તારા અન્યાયને સહન કર્યો. કાંઈ પણ પ્રતિકાર ન કર્યો, પણ હું સહન કરનારો નથી. તને એક ક્ષણમાં જ સારથી ઘોડા સહિત ભસ્મ કરી દઈશ.
આવું કહેવા પર તે વિમલ વાહન રાજા ત્રીજીવાર રથની ટક્કર લગાવીને ફરી સુમંગલ અણગારને પાડી દેશે. ત્યારે તે અણગાર તૈજસ સમુદ્યાત દ્વારા એ રાજાને ભસ્મ કરી દેશે. ત્યાર પછી તે મુનિ વર્ષો સુધી સંયમ પાલન કરી આલોચના પ્રતિક્રમણ શુદ્ધિની સાથે એક મહીનાના સંથારાથી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ રૂપમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈને મોક્ષ જાશે. ગોશાલકના નરકાદિ ભવ ભ્રમણ – વિમલવાહન રાજા (ગોશાલકનો જીવ) તેજો લેશ્યાના પ્રહારથી મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થશે. અને પશ્ચાનુપૂર્વી ક્રમથી એક-એક નરકમાં બે-બે ભવ કરશે, અંતમાં પહેલી નરકથી નીકળીને તિર્યંચ પંચેન્દ્રિયની વિવિધ યોનિયોમાં જન્મ મરણ કરશે. પછી ક્રમશઃ ચોરેન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિયની યોનિમાંભવ ભ્રમણ કરીને એકેન્દ્રિયોમાં ભવ ભ્રમણ કરશે.વિમલ વાહનના ભવ પછી ક્યાંક શસ્ત્રથી, ક્યાંક દાહથી પીડિત થઈ મરતો રહશે. એકેન્દ્રિયથી નિકળીને વેશ્યાઓનો ભવ કરશે.
ભગવતી સૂત્રઃ શતક-૧૫
૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org