SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સત્કાર સન્માનની સાથે નિર્વાણ મહોત્સવ કર્યો. ભગવાન ને રોગાંકઃ- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ યથા સમય ત્યાંથી વિહાર કર્યો,વિચરણ કરતાં મેંઢિક ગ્રામ' નામના નગરમાં પધાર્યા. પૂર્વ ઘટના ને છ મહીના પૂરા થવાની તૈયારી હતી. ભગવાનના શરીરમાં મહાન પીડાકારી દાહકારકપિત્તજ્વર ઉત્પન્ન થયો. અર્થાત્ ભગવાનનું શરીર મહાન રોગાતક થી આક્રાંત થઈ ગયું. એ રોગના કારણે લોહી-પરુનાં ઝાડા પણ થવા લાગ્યા. આ સ્થિતિને જોઈને લોકોમાં ચર્ચા થવા લાગી કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગોશાલકના તપ-તેજથી આક્રાંત થઈને દાહપિત જવર થી હવે છદ્મસ્થ જ કાળ કરી જશે. સિંહ અણગારનું રુદન – બગીચામાં એક તરફ ભગવાનના અંતેવાસી, ભદ્ર, વિનીત, સિંહ, નામના અણગાર આત્મ ધ્યાન સાધના કરી રહ્યા હતા અને આતાપના લઈ રહ્યા હતા. એમના કાનોમાં લોકઅપવાદના ઉપરોક્ત શબ્દ પડ્યા. સિંહ અણગારને સંકલ્પ-વિકલ્પ થવા લાગ્યો કે ભગવાનના શરીરમાં પ્રચંડ વેદના ઉત્પન્ન થઈ છે અને તે છઘ જ કાળ કરી જશે વગેરે. આવી માનસિક મહાન વ્યથાથી તે પીડિત થયો, આતાપના ભૂમીથી બહાર આવ્યા અને એ તરફ જઈને પોતાના દુઃખના અતિરેકમાં અત્યંત રુદન કરવા લાગ્યા. ભગવાને શ્રમણોને મોકલીને સિંહ અણગારને પોતાની પાસે બોલાવ્યો અને સમજાવ્યું કે આવું આર્તધ્યાન કરવાનું યોગ્ય નથી. હું હજી ૧૫૧/ર (સાડા પંદર) વર્ષ વિચરણ કરીશ. તુંરેવતી શેઠાણીના ઘરે જા અને એણે મારા માટે જે કોલ્હાપાક બનાવ્યો છે તે લાવતો નહીં. પરંતુ પોતાના ઘોડાના ઉપચાર માટે પહેલાથી (કેટલાક દિવસ પહેલા) બિજોરાપાક બનાવ્યો હતો, જેમાં થોડોક બચેલો પડ્યો છે, તે લઈ આવ. રેવતીનું સુપાત્રદાન અને રોગનિવારણ –ભગવાનની આજ્ઞાથવા પરસિંહઅણગાર રેવતી શેઠાણી ના ઘરે ગયા.શેઠાણીએ આદર-સત્કારની સાથે આવવાનું કારણ પૂછ્યું(કેમ કે તે સમયે ભિક્ષાનો સમય નહતો). સિંહ અણગારે પોતાનું પ્રયોજન કહ્યું કે ભગવાનના માટે જો કોલ્હાપાક બનાવ્યો તે તો નહીં જોઈએ. પરંતુ બિજોરાપાક જોઈએ. રેવતીએ પોતાની ગુપ્ત વાત જાણવાનો હેતુ પૂછ્યો. સિંહ અણગારે ભગવાનના જ્ઞાનનો પરિચય આપ્યો. પછી એણે ભક્તિપૂર્વક બીજોરાપાક વહોરાવ્યો. ભાવોની દાનની અને પાત્રની આમ ત્રિકરણ શુદ્ધિથી એ રેવતી શેઠાણીએ દેવાયુનો બંધ કર્યો અને સંસાર પરિત્ત કર્યો. ત્યાં પણ પાંચ દિવ્ય પ્રકટ થયા. સિંહ અણગાર ભગવાનની સેવામાં પહોંચ્યો અને તે બિજોરાપાકભગવાનના કરકમલમાંઅર્પિત કર્યો. ભગવાને અમુચ્છભાવથીએઆહારના પુદ્ગલોને શરીરરૂપી કોઠામાં નાખ્યા. એ આહારનું પરિણમન થવાથી ભગવાનનો રોગ તરત જ શાંત થયો. શરીર સ્વસ્થ થવા લાગ્યું. થોડા સમયમાં જ ભગવાન આરોગ્યવાન અને શરીરથી બળ સંપન્ન થઈ ગયા. ચતુર્વિધ સંઘમાં પ્રસન્નતાની લહેર ફેલાઈ ગઈ. ત્યાં સુધી કે અનેક દેવ-દેવી પણ ખુશ થયાકેશ્રમણ ભગવાન મહાવીર સ્વામી સ્વસ્થ થઈ ગયા છે. પછી ભગવાન પૂર્વવત્ ધર્મોપદેશ દેતા ગ્રામનુગ્રામ વિચરણ કરવા લાગ્યા. ગોશાલકનો બીજો ભવ રાજાવિમલવાહનઃ-ગોશાલકનો જીવદેવલોકનુંઆયુસમાપ્ત ૧૬૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy