SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તે આગળ ન વધી શક્યો. વંદન નમસ્કારની વાત જ ન રહી. પાછળ ખસવા લાગ્યો. અયપુણ્યવીરોની પાસે જઈને વંદના કરી. સ્થવરોએએનામનની જીજ્ઞાસા જાણી લીધી અને પ્રકટ કરતાં કહ્યું કે તને આવો વિચાર ઉત્પન્ન થયો અને એટલા માટે તું આવ્યો છે. અયંપુલ ખુશ થયો અને સહર્ષ સ્વીકાર કર્યો. પછી સ્થવિરોએ આઠ ચરમ, ચાર પાનક, અપાનક વિગેરે વાત કરતા બતાવ્યું કે આવું કરતાં તમારા ધર્માચાર્ય હવે મોક્ષ જાશે. તું એની પાસે જા, તે તારા પ્રશ્નના સમાધાન સ્વતઃ જ કરી દેશે. આ રીતે વિરોએ ફરીથી એને સ્થિર કર્યો. અયપુલ ગોશાલકની પાસે ગયો. સ્થવિરોએ સંકેત કરીને કેરી એના હાથથી છોડાવી લીધી. ગોશાલકે પણ અચંપુલ ઉપાસકને એનામનોગત પ્રશ્નને બતાવીને સમાધાન કર્યું, સાથે જ ખોટું બોલીને ખુલાસો કર્યો કે મારા હાથમાં આમ્રફળ ન હતું માત્ર છાલ જ હતી. આ પ્રકારે અચંપુલની શ્રદ્ધાને પોતાના પ્રતિ સુરક્ષિત કરી. વંદના નમસ્કાર કરીને અચંપુલ ચાલ્યો ગયો. મરણ મહોત્સવ નિર્દેશ – પોતાનું મૃત્યુ નજીક જાણીને મિથ્યાભિનિવેષમાં લીન એ ગોશાલકે પોતાના સંઘના સ્થવિર શ્રમણોને કહ્યું કે મારા આદર-સત્કાર આડંબર સહિત નિર્વાણ મહોત્સવ કરજો. નગરમાં ઉદ્ઘોષણા કરજો કે ચરમ તીર્થકર સિદ્ધ થયા છે. ગોશાલકને સમ્યકત્વ પ્રાપ્તિ – સાતમી રાત્રિના શુભ અધ્યવસાય સંયોગોથી એને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ.જેનાથી એનું ચિંતન સીધું ચાલવા લાગ્યું કે વાસ્તવમાંગોશાલક જ છું. શ્રમણોનો ઘાતક છું, ગુન્દ્રોહી છું, તીર્થકર ભગવાનની આશાતના કરવાવાળો છું અને અનેક ખોટા વાક્ઝાલો, તક, દલીલો, કલ્પનાઓથી પોતાને અને બીજાને ભ્રમિત કરવાવાળો છું.હવે સ્વયંની તેજો વેશ્યાથી તપ્ત થઈને દાહ જવરથી સાતમી રાત્રિમાં આજ છિદ્મસ્થ અવસ્થામાં જ મરી જઈશ. વાસ્તવમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ અંતિમ તીર્થકર છે, મેં તો માત્ર ઢોંગ જ કર્યો અને ખોટો પ્રપંચ કર્યો છે. ગોશાલકની સભ્યત્વથી દેવગતિ :- આ પ્રકારના વિચાર આવવા પર એણે ફરીથી વિરોને પોતાની પાસે બોલાવ્યા અને સત્યને પ્રગટ કરતાં એણે પ્રતિજ્ઞા લેવડાવીને આદેશ આપ્યો કે તમે મારા ડાબા પગમાં પુજની રસ્સી બાંધી મોઢા પર ત્રણવાર યૂકીને ઘસેડતા શ્રાવસ્તી નગરીના વિવિધ સ્થાનો, માર્ગોમાં ઘોષણા કરજો કે આ ગોશાલક જ હતો, તીર્થકર ન હતો. એણે જો પ્રપંચ કર્યો હતો. વાસ્તવમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ અંતિમ તીર્થકર છે. આ પ્રકારે મહાન અસત્કાર પૂર્વક મારા શરીરનું નિષ્કાસન કરજો. એવું કહીને તે કાળધર્મ પામ્યો. શુભ પરિણામોમાં મરીને તે પણ ૧રમાં દેવલોકમાં ઉત્પન્ન થયો. દંભ પૂર્વક પ્રતિજ્ઞા પાલનઃ–પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે અને પ્રતિષ્ઠા પણ કાયમ રહે એટલા માટે ગોશાલકના વિરોએ કુંભાર શાળામાં જ શ્રાવસ્તી નગરી ચિત્રિત કરી અને તેના ચૌટા(ચાર રસ્તા ભેગા થતા હોય) વગેરે સ્થાનોમાં મંદમંદ અવાજથી ઘોષણા કરી દીધી. આ બધું કૃત્યદરવાજા બંધ રાખી અને કર્યું. ત્યારબાદદરવાજો ખોલીને મહાન ઋદ્ધિ ભગવતી સૂત્રઃ શતક-૧૫ | |૧૬૦ | ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy