SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પરસ્પર ભવિષ્યવાણી -ગોશાલકની શક્તિનો વાર ખાલી ગયો. તો પણ તે આ પ્રકારે કહેવા લાગ્યો કે હે આયુષ્યમનું કાશ્યપ!તમે અત્યારે ભલે જીવીત બચી ગયા છો. કિંતુછ મહિનામાં જ પિત્ત જ્વર અને દાહપીડાથી છદ્મસ્થ અવસ્થામાં જ મરી જશો. પ્રત્યુત્તરમાં ભગવાને સ્પષ્ટ કર્યું કે... હું તો હજુ પણ સોળ વર્ષ સુધી તીર્થકર રૂપે વિચરણ કરીશ, હે ગોશાલક ! તું સ્વયં જ પોતાની તેજલેયાથી પરિતાપિત થઈને સાત દિવસમાં છદ્મસ્થ પણામાં જ મરી જઈશ” આ વાર્તાલાપની શ્રાવસ્તી નગરીમાં ચર્ચા થવા લાગી કે કોષ્ટક ઉદ્યાનમાં બે તીર્થંકર પરસ્પર એકબીજાને કહે છે કે તું છમહીનામાં મરી જઈશ” “તું સાત દિવસમાં મરી જઈશ.” એમ કહે છે. ગોશાલકનો પરાજય –ભગવાને શ્રમણોને સંબોધિત કરતાં કહ્યું–હવેગોશાલકનિસ્તેજ થઈ ચૂક્યો છે. એની તેજો શક્તિ સમાપ્ત થઈ ચૂકી છે. હવે એની સાથે ધાર્મિક ચર્ચા પ્રશ્નોત્તર સારણા વારણા પ્રેરણા વગેરે કરી શકો છો અને એને નિરસ્ત કરી શકો છો. શ્રમણોએ ભગવાનની આજ્ઞા મેળવી ભગવાનને વંદન નમસ્કાર કરીને એમ જ કર્યું. બધા પ્રકારથી ગોશાલક નિરુત્તર જ રહ્યો અને પ્રચંડ ગુસ્સો કરીને પણ શ્રમણોને જરાપણ બાધા, પીડા પહોંચાડવા માટે સમર્થન થઈ શક્યો.એવુંજોઈને કેટલાય આજીવિક સ્થવિર શ્રમણ ગોશાલકને છોડીને ભગવાનની સેવામાં વંદન નમસ્કાર કરીને ત્યાં રહી ગયા. ગોશાલકની દુર્દશા – ગોશાલક જે પ્રયોજનથી આવ્યો હતો તે સિદ્ધ ન થઈ શક્યું. તે હારી ગયો, શરમિંદો થઈને નિશ્વાસ નાખીને પસ્તાવા લાગ્યો કે હા હા! અહો હું માર્યો ગયો. આ પ્રકારે જેવી કરણી તેવી ભરણીની ઉક્તિ પ્રમાણે તે શારીરિક માનસિક પ્રચંડ વેદનાથી સ્વતઃ દુઃખી થયો અને કોષ્ટક ઉદ્યાનથી નીકળીને અવશેષ સંઘની સાથે પોતાના આવાસ સ્થાનમાં પહોંચ્યો. એટલું થયા પછી પણ એણે મિથ્યામતિનો ત્યાગ ન કર્યો, કેટલા ય ઢોંગ અને અસત્ય કલ્પનાઓ, પ્રરુપણાનો ત્યાગ ન કર્યો. પરંતુ તે ઢોંગ અને પ્રવૃતિઓના દોષોને ઢાંકવાનો પ્રયત્ન કર્યો. તે દિવસભર (૧) કેરી ચૂસતો, દારૂ પીતો (૨) વારંવાર ગાતો, (૩) વારંવાર નાચતો (૪) વારંવાર હાલાહલી કંભારણને પ્રણામ કરતો હતો. દાહ શાંતિ માટે માટી મિશ્રિત શીતળ જળથી નિરંતર શરીરનું સિંચન કરતો હતો. પોતાની આ દુર્દશાને પણ ગુણના રૂપમાં બતાવીને તે પ્રરૂપણા કરતો કે આ બધું ચરમ કૃત્ય છે. આવા કુલ આઠચરમ કહેવાય છે. જેમાં એણે ચાર પોતાના ઉપરના કૃત્ય જોડી દીધા અને અન્ય વાતો જોડીને તુક્કો લગાવી દીધો. પોતાના પાપને ઢાંકવાના પ્રયત્નમાં બુદ્ધિના દુરુપયોગથી કેટલી બેહુદી(તર્કહીન) વાતો એણે બનાવી. આઠ ચરમ, ૪ પાનક, ૪ અપાનક વગેરે. આઠમા ચરમમાં એને ચોથા અપાનકમાં પોતે તીર્થકર રૂપમાં મોક્ષમાં જશે એમ બતાવ્યું. અયપુલઃ– “અયંપુલ' નામના આજીવિકોપાસક ગોશાલકને સર્વજ્ઞ, સર્વદર્શી માનતો હતો. કાંઈ જિજ્ઞાસા લઈને તે ગોશાલકની સેવામાં દર્શન વંદન કરવા માટે આવ્યો.દૂરથી જ ગોશાલકની પ્રવૃતિઓ(હાથમાં કેરી નાચ, ગાન, વારંવાર હાથ જોડવા વગેરે) અને એની દુર્દશાને જોઈને લજ્જિત થયો, ઉદાસ થયો. અર્થાત્ અશ્રદ્ધાભાવ ઉત્પન્ન થવા લાગ્યો અને ૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત Jain Education International For Private & Personal use only www.janorary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy