SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ એનો ઉપકાર માને છે, આદર-સત્કાર અને વિનય-ભક્તિ ભાવ રાખે છે. તો તારું તો કહેવું જ શુ?ભગવાને તો તને શીક્ષા આપી, દીક્ષા આપી, શિષ્ય બનાવ્યો, બહુશ્રુત બનાવ્યો તેમ છતાં તું ભગવાનની સાથે વિપરીત બનીને આવું અનાર્યપણું કરી રહ્યો છે, તુચ્છ વ્યવહાર, અસભ્યવચન અને તિરસ્કાર કરતાં અનર્મલ ભાષણ કરી રહ્યો છે. હે ગોશાલક! તને આવું કરવું યોગ્ય નથી. કેમ કે તું તેજ મેખલીપુત્ર ગોશાલક છે. બીજો કોઈ નહીં. ગોશાલકને આશિક્ષા વચન પણવિશેષ ભડકાવવાવાળું બન્યું. એણે એક જ વારમાં પોતાની તેજો વેશ્યાથી એને ત્યાંજ સળગાવીને ભસ્મ કરી દીધો. સર્વાનુભૂતિ અણગારના વ્યવહાર અને ભાષણ સર્વથા ઉચિત અને મર્યાદામય હતા. એના ભાવ પણ પૂર્ણ શુદ્ધહતા. તે અણગાર અચાનક કાળ કરીને પણ આરાધક થયો અને આઠમા સ્વર્ગમાં ૧૮સાગરોપમની સ્થિતિએ દેવરૂપમાં ઉત્પન્ન થયો. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જન્મધારણ કરીને મોક્ષમાં જાશે. સુનક્ષત્ર અણગારઃ- સર્વાનુભૂતિ અણગારને ભસ્મ કરીને ગોશાલક ફરીથી ભગવાન મહાવીર સ્વામીને આક્રોશભર્યાઅનર્ગલશબ્દોમાં પૂર્વવતુબકવા લાગ્યો. સુનક્ષત્ર નામનો અણગાર પણ ભગવાનની આવી અવહેલના સહન ન કરી શક્યો અને ગોશાલકને એણે સર્વાનુભૂતિની સમાન જ ફરીથી શીક્ષા વચન કહા અને સત્યવાત સ્પષ્ટ કરી કે તું તે જ ગોશાલક છે, અન્ય નહીં. આ વચનોને સાંભળીને ગોશાલક અત્યંત કોપિત થયો અને તેજોલેશ્યાથી એને પણ પરિતાપિત કર્યો. પરિતાપિત સુનક્ષત્ર અણગાર ભગવાનની પાસે પહોંચ્યો વંદન નમસ્કાર કરી તેણે ફરીથી મહાવ્રતારોપણ અને સંથારો ધારણ કર્યો, બધાની ક્ષમાયાચના કરી સમાધિપૂર્વક પ્રાણ ત્યાગ કર્યા. તે મુનિ પણ આરાધક થઈને ૧રમાં દેવલોકમાં રર સાગરોપમની સ્થિતિએ દેવરૂપમાં ઉત્પન્ન થયો. ત્યાનું આયુષ્ય પૂર્ણ કરીને એકભવ મહાવિદેહક્ષેત્રમાં કરીને મોક્ષ પ્રાપ્ત કરશે. ભગવાન પરતેજોલેશ્યાનો પ્રહાર -હવે ગોશાલકફરીથી ભગવાનને આક્રોશ વચનો દ્વારા અપમાનિત કરવા લાગ્યો, તિરસ્કાર અને ભત્રેના કરતાં એણે પૂર્વોક્ત બકવાસના વચનો ફરી સાંભળાવ્યા. ત્યારે શિક્ષાવચન કહેતાં ભગવાને પણ ગોશાલકનાતે વ્યવહારને અયોગ્ય બતાવ્યો અર્થાતુ ભગવાને પણ એમ કહ્યું કે ગોશાલક! મેં તને શિક્ષિત કર્યો, દીક્ષિત કર્યો, બહુશ્રુત કર્યો અને મારી સાથે જ વિપરીત બન્યો? તુંએવો વ્યવહાર કરે છે એ તને યોગ્ય નથી. કેમ કેતુંતેજગોશાલકછે, અન્ય નથી. (કેવળવ્યર્થનીવાતો ઘડીને છૂપવા માગે છે) ગોશાલકનો ગુસ્સો પ્રચંડથઈને શિખર સુધી પહોંચી ગયો. તેણે સાત-આઠ કદમ પાછળ ચાલીને તૈજસ સમુદ્યાત કરીને સંપૂર્ણશક્તિની સાથે ભગવાનની ઉપરતેજોલેશ્યાનોવાર કરી દીધો. આ તેજોલેશ્યાનો વાર એટલો સમર્થ હતો કે એક જ ક્ષણમાં ૧૬દેશોને જલાવીને ભસ્મ કરી દે. પરંતુતીર્થકર ભગવાન પરએનું જોર નચાલ્યું. ક્ષતિ પહોંચાડવામાં અસમર્થથઈને તેHજોશક્તિ પ્રદક્ષિણા લગાવી આકાશમાં ઉછળી ગઈ અને પડતાં-પડતાં ગોશાલકના શરીરમાં પ્રવેશ કરીને એને પરિતાપિત કરવા લાગી. જેનાથી ગોશાલકના શરીરમાં બળતરા થવા લાગી. ભગવતી સૂત્રઃ શતક-૧૫ - ૧૫ ૧૬૫ - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy