SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ કરતા. એનાથી પણ અનંત ગણી શક્તિ તીર્થકરોની પાસે હોય છે. પરંતુ તે પણ ક્ષમાધારી હોય છે. આવું હિંસક આચરણ તે કરતા નથી. આથી હે આનંદ! તું ગૌતમ આદિ બધા શ્રમણોને સૂચના આપીદે કે કોઈપણનિગ્રંથ ગોશાલકથી જરાપણ ધાર્મિક ચર્ચાનકરે. કેમ કે તે હમણાં વિરોધ ભાવમાં ચઢેલો છે. ગોશાલકનું ભગવાનની સામે વક્તવ્ય – આનંદ શ્રમણે અન્ય શ્રમણોને સૂચના અને સંપૂર્ણ માહિતી બતાવી દીધી. ગોશાલકથી ન રહેવાયું, એનો ક્રોધ ઉગ્ર થતો ગયો અને તે પોતાના સંઘની સાથે અત્યંત ગુસ્સે થતો ત્યાં પહોંચી ગયો. ભગવાનની સામે ઉભો રહી ભગવાનને કહેવા લાગ્યો કે આયુષ્યમનું કાશ્યપ!મારા માટે તમે સારી વાતો કરો છો. અરે વાહ! ઠીક વાતો કરો છો કે આ મારા શિષ્ય ગોશાલકમખલી પુત્ર છે. પરંતુ તમને અત્યાર સુધી ખબર જ નથી કે આપનો શિષ્ય ગોશાલક ક્યારનો મરી ચૂક્યો છે. હું તો અન્યછું. તલ અને ફૂલના જીવોની સમાન છોડાયેલા શરીરને ગ્રહણ કરતાં કરતાં મેં એ ગોશાલકના શરીરને પડેલું જોયું તો એમાં પ્રવેશ કરી દીધો છે.આ મારો સાતમો શરીરાંતર પ્રવેશ(પઉટ્ટ પરિહાર) છે. હું તો કોડિન્ય ગૌત્રીય ઉદાયી છું. હું ગોશાલક નથી, ગોશાલકના સ્થિર મજબૂત સહનશીલશરીર જોઈને મેંઆમાં આ સાતમો પ્રવેશ કર્યો છે. આથી હુંઉદાયી છું, ગોશાલક નથી, સોળ વર્ષ મને આ શરીરમાં તપ સાધના કરતાં થઈ ગયા. ૧૩૩ વર્ષની મારી ઉંમર છે. એમાં મેં આ સાતમું(પટ્ટિપરિહાર) શરીર પરિવર્તન કર્યું. એટલા માટે આપે સમજ્યા વગરઠીક કહેવાનું શરૂ કરી દીધું કે આ ગોશાલકછે અને મારા શિષ્યછે.આ રીતે વ્યંગ ભર્યા શબ્દોમાં ગોશાલક મનમાની બોલતો જ ગયો. ભગવાન દ્વારા ગોશાલકને સંબોધન – એના થોભવા પર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગોશાલકને આ પ્રકારે કહ્યું--હે ગોશાલક! જેમ કોઈ ચોર પરાભવ પામીને ક્યાં ય છુપાવાના અવસર ન હોય અને ઊન, શણ, કપાસ, તૃણ વગેરેથી પોતાને ઢાંકીને એવું સમજે છે કે હુંછુપાઈ ગયો છું. આ રીતે તે પોતાને ગુપ્ત માને અથવા છૂપાયેલ માને એ રીતેણે ગોશાલક! તું પણ તેજ ગોશાલક હોવા છતાં પણ પોતાને અન્ય બતાવી રહ્યો છે. તું આવુંનકર હેગોશાલક!તને આવું કરવું યોગ્ય નથી. તું તે જ છે. તારી પ્રકૃતિ પણ તેજ છે. તું અન્ય નથી. ગોશાલકનો અનર્ગલપ્રલાપ – ગોશાલકશ્રમણભગવાન મહાવીર સ્વામીના ઉપરના વચન અને દૃષ્ટાંત સાંભળીને અત્યંત કોપીત થયો અને ભગવાનનો અનેક પ્રકારના અનુચિત આક્રોશપૂર્ણશબ્દોથી તિરસ્કાર કરવા લાગ્યો, અનેક પ્રકારના વચનોથી અપમાન કરવા લાગ્યો, ભત્રેના કરવા લાગ્યો. આબધો અનર્ગલ પ્રલાપ કરીને તેણે ભગવાનને કહ્યું કે આજ તું મરી ગયો છે, નષ્ટ થઈગયો છે, ભ્રષ્ટ થઈ ગયો છે. હવે તું જીવીત નહીં રહી શકે અને હવે મારા દ્વારા તને સુખ થવાનું નથી. સર્વાનુભૂતિ અણગારઃ- સર્વાનુભૂતિ અણગારથી પોતાના ધર્માચાર્યની આ અવહેલના સહનન થઈ શકી.તેગોશાલકની નજીક જઈને આ પ્રકાર કહેવા લાગ્યો-હેગોશાલકાજે મનુષ્ય શ્રમણ બ્રાહ્મણની પાસે એક પણ ધાર્મિક વચન સાંભળીને અવધારણ કરે છે, તે ૧૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy